SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ એક હીએ તાઠય પર્વત અને વિચારોને જીત્યા પદેશમાળા પહ દેવી ભરતચકીને પોતાના આવાસમાં લઈ ગઈ. ત્યાં તેની સાથે એક હજાર વર્ષ પર્યત ભેગભેગવ્યા. ત્યાર પછી ચક આગળ ચાલ્યું, એટલે ચક્રીએ વૈતાઢય પર્વત પાસે આવી તેની ઉપર રહેનાર “નમિ” અને “વિનમિ” નામના વિદ્યાધરોને જીત્યા. વિનમિ વિદ્યારે પોતાની પુત્રી ચક્રીને આપી. તે સ્ત્રીરત્ન થઈ. એ પ્રમાણે ભરતચક્રી સાઠ હજાર વર્ષ પર્યત દિગ્વિજય કરીને અયોધ્યામાં પાછા આવ્યા તે પખંડાધિપતિ મહા ઋદ્ધિમાન થયા. તેમની દ્ધિનું સ્વરૂપ કહે છે-રાશી લાખ હાથી, તેટલા જ રથે, તેટલા જ અશ્વો, છાનુ કોટી પાયદળ, બત્રીસ હજાર દેશે, બત્રીસ હજાર મુકુટબંધ રાજાઓ જેના સેવક છે, અડતાળીશ હજાર પાટણ, તેર હજાર નગર, છન્કેટી ગામે, ચૌદ રતન, નવ નિધિ, સાઠ હજાર વંશાવળી કહેનારા ભાટે, સાઠ હજાર પંડિતે, દશ કોટી દવજ ધારણ કરનારા, પાંચ લાખ મશાલચી, વીશ હજાર સુવર્ણ આદિ ધાતુની ખાણ, પચીશ હજાર દેવ જેના સેવકે છે, અઢાર કેટી ઘોડેસ્વાર જેની પાછળ ચાલે છે–આ પ્રમાણેની ઋદ્ધિ પ્રાપ્ત થઈ છતાં તે મનથી વિરક્ત રહેતા હતા. એ પ્રમાણે ઘણા લાખ પૂર્વે વ્યતીત થતાં એકદા ભરતચક્રી પિતાની શંગારશાલામાં શરીર પ્રમાણ આદર્શ (કાચ) માં પિતાનું રૂપ જોવા લાગ્યા. તે વખતે દરેક અવયવની સુંદરતા નિહાળતાં એક આંગળીને વીટીરહિત હોવાથી અત્યંત શોભારહિત લાગતી જોઈને મનમાં વિચાર કરવા લાગ્યા કે “અહે! દેહની અસારતા! પરપુદ્દગલેથી જ શરીર શેભે છે, પોતાના પગલેથી શેભતું નથી. અરે ! મે શું કર્યું! આ અસાર દેહની ખાતર મેં ઘણું આરંભે કર્યા. આ અસાર સંસારમાં સઘળું અનિત્ય છે. કેઈ કેઈનું નથી. મારા નાના ભાઈઓને ધન્ય છે કે તેમણે વીજળીના ચમકારાની જેવાં ચંચલ રાજ્યસુખને તજી દઈને સંયમ સ્વીકાર્યું. હું તે અધન્ય છું, જેથી આ અનિત્ય એવા સંસારી સુખમાં નિત્યપણાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy