SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા બાલુત્તિ મહીપાલો, ન પયા પરિભવઈ ઇસ ગુરુ ઉવમા છે જ વા પુરઓ કાઉ, વિહરતિ મણ તહાં સોવિ | શબ્દાર્થ—“આ બાળક છે એવી બુદ્ધિએ જેમ રાજાને પ્રજા પરાભવ કરતી નથી તે ઉપમા ગુરુને પણ આપવી; અને જેમ ગીતાર્થને આગળ કરીને મુનિ વિચરે છે તેમ બાળ એવા ગુરુને પણ માનવા.. - ભાવાર્થ–વય અને દીક્ષા પર્યાયવડે શ્રેષ્ઠ હીન છતાં પણ જ્ઞાનવડે એવા ગુરુપણે સ્થાપેલા બાળવયના આચાર્યની આજ્ઞામાં જ મુનિઓએ વર્તવું. કારણ કે તે ગીતાર્થ હોવાથી ગચ્છમાં દીપક તુલ્ય છે. આને માટે લૌકિક દૃષ્ટાંત આપે છે કે-કેઈ વખત રાજા બાળક હોય તે પણ પ્રજા “આ બાળક છે” એમ કહી તેનું અપમાન કરતી નથી પણ તેની આજ્ઞામાં વતે છે. તે પ્રમાણે ગચ્છને માટે પણ સમજવું. હવે ગુરુનું સ્વરૂપ કહે છે. ગુરુ કેવા હેય? પડિ તેયસ્સી, જુગપહાણાગમ મહુરવક છે ગંભીરે ધીમંત, વિગ્સપર અ આયરિઓ ૧૦ અપરિસાવી સેમો, સંગહસીલો અભિગૃહમઈય અવિકંથણો અચવા, પસંતહિયઓ ગુરૂ હોઈ ૧૧ાા | શબ્દાર્થ–“તીર્થંકરાદિના પ્રતિબિંબ જેવા તેજસ્વી, યુગપ્રધાનાગમ, મધુર વક્તા, ગંભીર, ઘતિમાન, ઉપદેશ દેવામાં તત્પર–એવા આચાર્ય હોય. ૧૦. વળી અપ્રતિશ્રાવી, સૌમ્ય સંગ્રેહશીલ, અભિગ્રહ કરવાના બુદ્ધિવાળા, બહુ નહિ બેલનારા, સ્થિર સ્વભાવવાળા ને પ્રશાંત હૃદયવાળા ગુરુ હોય.” ૧૧. ભાવાર્થ–આચાર્ય ભગવંત આકૃતિમાં તીર્થકર ગણધરાદિ જેવા અતિ સુંદર હોય, કાંતિમાન હોય, વર્તમાનકાળે વર્તતા સમગ્ર શાસ્ત્રના પારગામી હોય અથવા અન્ય લોકની અપેક્ષાએ સર્વથી વિશેષ જ્ઞાનવાન હોય, જેનું વચન મધુર લાગે તેવા કે ધીમે-ધૃતિમાન. ગાથા ૧૧-અપરિરસવિએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy