SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ ઉપદેશમાળા " પરશુરામે તાપસાને પૂછ્યું' કે ‘ ખરું' આલે કાઈ પણ ક્ષત્રિય અહી છે? કારણ કે મારી પરશુમાંથી અગારા વધે છે.’ ત્યારે તાપસે એ કહ્યુ` કે · અમે ક્ષત્રિયા છીએ. પરશુરામે તપસ્વીએ ધારીને તેમને છેડી દીધા. એ પ્રમાણે સર્વ ક્ષત્રિયેાને મારીને તે નિષ્કંટકપણે હસ્તીનાપુરનું રાજ્ય ભાગવવા લાગ્યા. એક દિવસે પરશુરામે કેાઈ નિમિત્તિયાને પૂછ્યું કે ‘મારું મૃત્યુ કાનાથી થશે ?' નિમિત્તિકે કહ્યુ કે 'જેની દૃષ્ટિથી આ ક્ષત્રિયેાની દાઢા ક્ષીરરૂપ થઈ જશે અને તેનુ ભાજન જે કરશે તે તમને મારશે' તે સાંભળીને પરશુરામે ાતાના મારનારને આળખવા માટે એક દાનશાળા બંધાવી અને ત્યાં સિંહાસન ઉપર દાઢાના થાળ મૂકયો. અહીં વૈતાથવાસી મેઘનાદ નામના વિદ્યાધરે નિમિત્તિયાના કહેવાથી પાતાની પુત્રીના વર સુભ્રમ થશે એમ જાણીને ત્યાં આવી સુભૂમને પેાતાની પુત્રી અપણુ કરી, અને પેાતે તેના સેવક થઈ ત્યાં રહ્યો. એક દિવસ સુભ્રમે પાતાની માતાને પૂછ્યું કે ‘હું માતા શુ' ભૂમિ આટલી જ છે ?' એવા પુત્રના શબ્દો સાંભળીને નેત્રમાં અશ્રુ લાવી ગદ્ગદ્ સ્વરપૂર્વક તારા રાણીએ પૂર્વાંની સઘળી હકીકત જણાવીને કહ્યુ` કે ‘હે પુત્ર! તારા પિતા અને પિતામહને હણીને તથા સર્વ ક્ષત્રિયાના નાશ કરીને પરશુરામ આપણુ રાજ્ય ભાગવે છે, અને તેના ભયથી નાસીને આ તાપસને આશ્રય કરી ભાંયરામાં રહ્યા છીએ.’ એ પ્રમાણે માતાના સુખથી સાંભળીને સુભૂમ ક્રોધિત થઈ એકદમ ભેાંયરામાંથી બહાર નીકળ્યે, અને મેઘનાદ સાથે હસ્તીનાપુર જઈ દાનશાળાએ આવ્યા. તે વખતે દાઢાના થાળ સુભૂમની દૃષ્ટિએ પડતાં તે દાઢાની ક્ષીર થઈ ગઈ, એટલે તે ક્ષીર સુભ્રમ ખાવા લાગ્યા. પરશુરામે તે વાત જાણી. એટલે સન્નાઁ થઈ ને જાજવલ્યમાન પરશુ લઈ બહાર નીકળ્યા, પર’તુ પરશુરામનું તે હથિયાર સુભ્રમની દૃષ્ટિ પડતાં જ તેના પૂર્વના પુણ્યથી નિસ્તેજ થઈ ગયું. પછી સુભ્રમે ભેાજન કર્યા પછી ઉડીને તે થાળ પરશુરામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy