SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ ઉપદેશમાળા ચિત્રમુનિએ બંને જણાવીને ત્યાંથી વિહાર કર્યો. બહાદત્ત પણ પિતાને ઘેર આવ્યો, અને અનેક પાપાચરણ કરવા લાગ્યો. ચિત્રમુનિ લાંબાકાળ સુધી સાધુમાગને સેવી કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયા અને જેણે પૂર્વભવે નિયાણું કરેલું છે એવો બ્રહ્મદત્ત ધર્મ પામ્યા સિવાય અનેક પાપકર્મ આચરીને સાતસો વર્ષનું આયુષ્ય ભોગવી સાતમી નરકે ગયે. એ પ્રમાણે બીજા માણસ પણ ભારે કમી હોય છે તે પ્રતિબંધ પામતા નથી, માટે સુલભ બધિપણું એ ઘણું દુર્લભ છે એ આ કથાને તાત્પર્ય છે. હવે બીજું ઉદાઈ નૃપને મારનારનું દષ્ટાંત કહે છે– પાટલીપુત્ર નગરમાં કેણિક રાજાને પુત્ર ઉદાયી નામે રાજા થયા. તેણે કોઈ રાજાનું રાજ્ય લઈ લીધું. તેથી તે વેરી રાજાએ પિતાની સભામાં કહ્યું કે-“જે કઈ ઉદાયી રાજાને મારી આવે તેને હું માગે તે આપું.” તે ઉપરથી તેના કેઈ સેવકે તે પ્રમાણે કરવાનું કબૂલ કર્યું. તે સેવક પાડલીપુર આવ્યો અને અનેક ઉપાયો ચિંતવ્યા. પરંતુ કેઈ ઉપાય લાગુ પડશે નહિ. તેથી તે દુષ્ટ વિચાર્યું કે “ઉદાયી રાજા વિશ્વાસ વિના મૃત્યુ પામે તેમ નથી” તેથી તેણે ગુરુ સમીપે જઈને કપટથી ચારિત્ર ગ્રહણ કર્યું. તે આચાર્ય (ગુરુ) ઉદાયી રાજાને ઘણા માન્ય હતા. પેલે સેવક ચારિત્ર ગ્રહણ કરીને આચાર્ય પાસે અધ્યયન કરવા લાગ્યું અને સાધુઓને અત્યંત વિનય કરવા લાગે. અનુક્રમે વિનયગુણથી તેણે આચાર્ય વિગેરેનાં ચિત્ત વશ કર્યા. હવે ઉદાયી રાજા આઠમને દિવસે અને ચૌદશને દિવસે રાત્રિદિવસના પિસહ કરે છે, ત્યારે આચાર્ય ધર્મદેશના આપવાને રાત્રિએ તેની પૌષધશાલામાં જાય છે. આઠમને દિવસે ત્યાં જવાને ગુરુ પ્રવૃત્ત થયા તે વખતે પેલા નવદીક્ષિત સાધુએ કહ્યું કે-“હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy