SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ નળનું અદશ્યરૂપે દમયંતીના અંતઃપુરમાં આગમન. [ ૭૩ ] સમૂહથી વ્યાસ તે કુંડિનપુરને વિષે પોતે ઉત્કંઠિત (આતુર) હોવા છતાં પણ જલદી જઈ શકવા સમર્થ ન થયો અર્થાત રાજમાર્ગો પર લેકની અતિશય ભીડ હતી. આકાશને સ્પર્શતાં અતિ ઉજજવળ સેંકડો અગાશી અને ઝરુખાઓવાળું તેમજ સામંતથિી વ્યાસ દ્વારવાળું રાજમંદિર તેણે જોયું. પછી પિતાના નામચારપૂર્વક ગવાતા ગંધર્વ કન્યાના સંગીતથી, દૂરથી પણ સારી રીતે સૂચવાતા દમયંતીના મહેલમાં નળરાજા ગયા. ચક્ર, ધનુષ્ય અને કમળથી ચિલિત આ કોના પગલાં પડેલા છે? કામદેવની પ્રતિમા સરખો આ પડછાયો કોનો જેવાય છે? પુરુષની સરખો રોમાંચ પ્રગટાવનારે આ કોનો સ્પર્શ હશે? તે પુરુષનું સ્વરૂપ જોવામાં મારી બંને આંખે કેમ બંધ થઈ જાય છે?” આ પ્રમાણે પરસ્પર વાતો કરતી સ્ત્રીઓથી પોતાના ચિત્તનું રક્ષણ કરતા નળ આગળ વધવા લાગે. ખરેખર સજજન પુરુષોને પોતાની પ્રતિષ્ઠા એ જ સેથી પ્રથમ આગળિયારૂપ બને છે. મહેલરૂપી પર્વતના અગ્રભાગે(છેલા માળે) રહેલ, સમસ્ત પૃથ્વીની શ્રેષ્ઠ વસ્તુઓના સર્વસ્વથી બનાવાયેલી દમયંતીની સભામાં નળ આવી પહોંચ્યો “હે દમયંતી! આજે તારી ચિંતા નાશ પામી, વિરહ જવરની તારી પીડા આજે દર થઈ છે. કારણ કે તારો સાર્વભોમ સ્વામી પ્રાણુવલલભ નળ આવી પહોંચે છે, તો તે ચકારી ! પ્રાત:કાળે પણ તને તેના મુખરૂપી ચંદ્રનું પાન થશે. જેણે સૈન્ય સમૂહથી પૃથ્વીને, યશથી દિશાઓને, દાનવડે યાચક લોકોને, હર્ષથી જનતાને, રૂપામૃતથી નેત્રે ભરી દીધા છે તેવા નળથી આ સમસ્ત જગત જાણે પરિપૂર્ણ વસી રહેલું હોય તેમ જણાય છે અર્થાત્ જ્યાં ત્યાં નળ, નળ ને નળ જ નજરે પડે છે અથવા તે સર્વત્ર તેની જ પ્રશંસા થાય છે. હે સખી! આજે તારે પ્રાણવલલભ નળ આવી પહોંચ્યો છે તેથી વડીલજનોની આશીષ જયવંતી બની છે, કુળદેવતાઓની પૂજા સફળ થઈ છે અને અમારા મનોરથ પણ સફળ બન્યા છે. ” આ પ્રમાણેના પ્રિય સખીઓનાં વચન સાંભળો તેમજ પોતાની સમક્ષ દમયંતીના અદ્ભુત મહિમાને જેતે તેમજ ઇંદ્રથી હણાયેલ હર્ષવાળા નળ પોતાના આત્માને નિંદા, હદયમાં અત્યંત વિલાપ કરવા લાગ્યો કે “આ દમયંતીને જોઈને પૂર્વે સેંકડો મુસાફરોએ જે કહ્યું હતું અને હંસે જે જણાવ્યું હતું તે તેના લાખમા અંશે પણ બંધબેસતી હકીક્ત નથી. અર્થાત તે લોકેએ કહેલ વર્ણન ઘણું જ અપ લાગે છે કારણ કે વિરાટ સ્વરૂપની માફક તેણીનું વાણી અને મનને અગોચર રૂપ બહુપતિ પણ જાણી શકતો નથી તે અન્ય સામાન્ય અ૯પણ પુરુષની તો વાત જ શી ? હે સવામિન ઇંદ્ર! તમે તમારા વાથી પર્વતની જેમ મારા ચૂરેચૂરા કેમ ન કરી નાખ્યાં? અથવા તો તે લોકપાલ ! તમેએ મને શાપ આપીને કેમ ન બાળી નાખે? શું હું ક્ષાત્રધર્મથી ભ્રષ્ટ થયું છું કે જેથી દમયંતીના પ્રેમમાં પરવશ બનેલા એવા મને વગર પ્રહારે અત્યારે મૃત્યુ પામવાની ઈચ્છાવાળો બનાવ્યું છે? “હમણું આ જ ક્ષણ મહાન છે” એમ વિચારતો, દેવસમૂહથી આશાભગ્ન બનેલ અને હૃદયમાં વિશિષ્ટ લાગણીવાળો નળ ભૈમી( દમયંતી )ને જોવા લાગ્યા. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy