SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Affill l/ISH THE સર્ગ સાતમે. * TTTT TTI effffffffffff ITI - [ નળરાજાનું હિનપુરમાં આગમન: ભીમ રાજાએ કરેલ સત્કાર.] som૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે પ્રભાતકાળે પિતાના મનમાં પ્રતિજ્ઞાને વિચાર કરતે મહાબુદ્ધિમાન નળ દેવોના માનાકાર્યને માટે કંડિનપુર જવા તૈયાર થયે. બાદ પ્રભાતિક કાર્ય કરેલા નળવડે બેલાવાયેલા પુષ્કરાક્ષ ને કિન્નરયુગલ પ્રયાણભૂમિને વિષે રાજાની સાથે હાજર થયા. તેને સારથિપણું સંપીને, સે રાજાથી પરિવરેલ અને હજાર અશ્વવાળા રથમાં બેઠેલા નળે પ્રયાણ શરૂ કર્યું. હૃદયમાં વિષાદને છુપાવતા ને બહારથી પ્રસન્ન દેખાતા નળરાજા પુષ્કરાક્ષ વગેરેની સાથે માર્ગમાં વિવિધ પ્રકારની વાર્તાઓ-કથાઓ કરવા લાગ્યા. પુકરાક્ષે નળરાજાને કહ્યું કે-“હે દેવ! વરદા નામની નદીની ઉત્તર દિશામાં તણ રહિત વિદર્ભ દેશના, મહેલના અગ્રભાગથી સૂર્યમંડળને સ્પર્શતા વિશાળ નગર આવેલા છે. પૃથ્વીના તિલક સમાન છે નળ રાજવી ! આ ભીમરાજાનું પાટનગર છે.” આ પ્રમાણે જોવામાં પુષ્કરાક્ષ બોલી રહ્યો છે તેવામાં નળરાજાના વિરહરૂપી વરદાહને નષ્ટ કરવામાં ચંદનપાત્ર સરખું કુંડિનપુર દેખાયું. વિશાળ પ્રાસાદવાળું, ફરફરતી ઉજવળ પતાકાઓ રૂપી તરંગવાળું, ધ્વનિથી વિAવને ભરી દેતું, લોકેના નેત્ર તથા મનને આશ્ચર્ય યુક્ત બનાવતું, પુષ્કળ સ્ત્રી અને પુરુષરૂપી રનેવાળું તેમજ દમયંતીરૂપી લક્ષ્મીથી અધિવાસિત કુંઠિનપુરનગર હતું અને તેથી રાજા ભીમ (વિષ્યસેન) દેવના દૂત બનેલ નળને જોઈને કંઈક હર્ષિત બન્યા. “હે નાગરિક લેકે ! તમે સમસ્ત નગરમાં પુષ્પરાશિ વેરી મણિના તેર બાંધ! જલદી ધજાઓ ઊંચી બાંધે! ચારે બાજુ કેશરનો છંટકાવ કરે અને માર્ગો પર જાજમ બિછાવો કારણ કે સાક્ષાત કામદેવ સરખા નળરાજા જાતે જ આવી પહોંચ્યાં છે. હે સામતો ! તમે સજજ બને ! હે મંત્રીઓ! તમે ઉતાવળ કરે! ભીમરાજા પોતે જ નળરાજાનું સ્વાગત કરવા માગે છે. કુંડિનપુરમાં ગીત-ગાન શરૂ કરા.” આ પ્રમાણે બોલતા પહેરેગીરોના શબ્દો નળના સૈનિકોએ સાંભળ્યા. ત્યારબાદ થોડા સમય પછી સ્તુતિ કરતાં ભાટચારણેથી તેમજ આનંદ યુક્ત એવા દમ, દમન ને દાન્ત નામના કુમારેથી પરિવરેલ, કમળ જેવા નેત્રવાળા, હાથી પર બેઠેલા અને આકાશને છત્રથી ભરી દેતા ભીમરાજા નળરાજા પાસે આવી પહોંચ્યા. બાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy