SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ દૂતકાર્ય સંબંધી નળની વિચારણા. [૬૯] નિદ્રાળુ બનવાને લીધે સ્તુતિપાઠકો વડે ઉચ્ચ સવારે શયનને સમય જણાવાયેલ અને નજીકના તંબુમાં પોતાને યોગ્ય શયાવાળે નળ પથારીમાં જઈને સૂતે. ખરેખર મને સમજાય છે કે દમયંતીને મારા પ્રત્યે મહાન અનુરાગ (પ્રેમ) છે. કુલીન વ્યકિતઓની મિત્રાચારી વેદવાક્યની જેમ નાશ પામતી નથી-ફેરફાર પામતી નથી. પત્થરમાં કોતરેલ લીપીની જેમ સ્થિર રહેનારી, સાગરની માફક અનુક્રમે વૃદ્ધિગત થતી, પથ્યની માફક પરિણામે કલ્યાણ કરનારી સજજન-મંત્રી વિશ્વને વિષે અમારું રક્ષણ કરો ! જેણને કપાળમાં પ્રકાશિત દેદીપ્યમાન તિલક છે, ભેજવંશમાં જેનો જન્મ થયો છે, વિદ્યાધરીની સાથે જેની મિત્રાચારી છે, કિન્નરીથી ગવાતા ગીતો એ જેનો વિનોદ છે, તથા પ્રકારનું અસાધારણ રૂપ છે, તથા પ્રકારને અપૂર્વ ગુણસમૂહ છે અને દેવો જેની માગણી કરી રહ્યા છે તે હું માનું છું કે-તે રાજપુત્રી દમયંતી માનુષી નહીં પણ દેવી છે. આવા પ્રકારના અનુપમ રૂપને તેમજ અસાધારણ નેહભાવને ધારણ કરતી તેને તથા પ્રકારના દૂત વચનેવટે મારે કેવી રીતે કહેવું? ખરેખર કઠોર એવા આ દૂતપણાના કાર્યને ધિક્કાર છે ! અધમ, નિર્દય અને અધન્ય એવા મને ધિક્કાર હે ! વળી ક્રૂર, અયોગ્ય કાર્ય કરનારા તેમજ શુદ્ધ બનેલા તે લેકપાલને પણ ધિકાર હે ! પુષ્કરાક્ષ મંત્રી વિગેરે લોકો મારા મનભાવને સારી રીતે જાણે છે તે હું દૂત બનીને કાર્ય કરીશ ત્યારે તે લોકોનું માનસ મારા માટે કેવા પ્રકારને વિચાર કરશે? તે શું અહીંયા જ અવસરચિત આત્મઘાત કરું? અથવા રાજ્યનો ત્યાગ કરીને હું શસ્ત્રવિહેણું બની જાઉં, સંન્યાસી બની જંગલમાં ચાલ્યા જાઉં? આ બાજુ નજીકમાં વાઘ છે, બીજી બાજુ પર્વત પરથી વહી આવતી નદી છે; આ બાજુ દેવોને દૂત બનવાનો આદેશ છે, બીજી બાજુ દમયંતીને મારા પ્રત્યે પ્રેમ છે. આ વિષયમાં ઉપાય ન સૂઝવાથી આલંબન વિનાનું, ચિંતાગ્રત અને મર્યાદા વિનાનું મારું મન શા માટે ભ્રમી રહ્યું છે? આ પ્રમાણે દમયંતી પ્રત્યેના કરુણાભાવ તેમજ વિષયાભિલાષ એ બંનેથી પ્રગટતાં લોકાપવાદને કારણે લજજાળુપણાને મનમાં વારંવાર વિચારતો નળ ઘણી જ મુશ્કેલીથી કંઈક નિદ્રાધીન થયો તેવામાં પ્રાત:કાળ થતાં કિન્નરયુગલનાં ગીતથી જાગી ઊઠ્યો. G: ક્વાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy