SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૮ ] શ્રી દમયંતી ચરિત્ર: કંધ ૨ જો. સગ છઠ્ઠો. બનવાને માટે મને માકયેા છે. આપે નિષધા નગરીથી પ્રયાણ કર્યું. ત્યારથી તદ્વારા પ્રત્યેક સ્થાનના સમાચાર મેળવતી અને તમારા આવવાના માર્ગ તરફ રહેલ ગવાક્ષમાં બેઠેલ દમયંતી ઉત્તર દિશાના (નળરાજાની દિશામાંથી આવતા) પવનને પેાતાના અંગેાથી વારવાર ભેટે છે અર્થાત્ તમે જે દિશામાં રહ્યા છે તે દિશામાંથી આવતા પવન પણ તેણીને સુખકર બને છે. હું રાજન્! ગુણુના સાગર સમાન આપની વીણાના કીર્તનદ્વારા આપની સેવા કરવાને માટે લાયક અને દમયતીએ મેાકલેલ કિન્નરનુ એક જોડુ શિબિરની મહાર ઊભું છે. ” આ પ્રમાણે મંત્રીએ કહેવાથી, તે યુગલને જોવાની આકાંક્ષાથી હર્ષ પામેલ નળ મંત્રીની સાથે ઊભેા થઇને તેની આગળ ગયેા એટલે તે કિન્નરયુગલે પણ પાતાના અને નીલ નેત્રથી રાજાના ચરણમાં અર્ધ્ય આપીને ( નમસ્કાર કરીને ) નીચે પ્રમાણે મી વાણીથી કહ્યું કે- ઉપયેાગમાં નહીં લેવાયેલ, મુઠીમાં જ ખંધાઇ રહેલ, શત્રુઓને વશ કરનાર, તેમજ ફરીવાર ધારણ કરતુ નહીં જોવાયેલ એવુ જેનું ધનુષ છે તેવા વીરસેન રાજાના વશમાં જન્મેલ, વીર સાČભૌમ અને નિર્મળ અંત:કરણવાળા નળરાજા આ વિશ્વમાં જયવંત વર્તે છે. હું સાલેમ! તમારા ગુણુ કીર્તનના સમયે સજ્જન પુરુષ જે પેાતાના મસ્તકેાને ધુણાવે છે તે એમ સૂચવે છે કે તમારા ગુણુથી પરિપૂર્ણ અનેલ હૃદયમાં બીજાના શુષ્ણેાને સાંભળવાના અવકાશ નથી. ’ પછી શત્રુને પરાજિત કરનાર, પૂર્ણિમાના ચંદ્ર જેવા મુખવાળા અને કામદેવ સરખા નળરાજાએ, સ્તુતિ કરતાં કિન્નરયુગલને તેમજ પુષ્કરાક્ષ મંત્રીને માના શ્રમ દૂર કરવા માટે પેાતાના નાકરાને સેખ્યા અને પાતે સાંધ્ય ક્રમ કર્યું. ખાદ તારારૂપી કમળથી આકાશ વ્યાસ બન્યું ત્યારે ( રાત્રિસમયે ) રાજસભામાં બેઠેલા, હર્ષને કારણે અગ્લાન હૃદયવાળા, તેમજ સભ્યા સાથે વિનેાદ કરતાં નળરાજાએ ફરીથી કિન્નરયુગલનું સ'ગીત સાંભળ્યુ. તે સમયે કિન્નરયુગલના મુખથી પ્રગટેલ નૂતન સંગીતને લીધે તે સંગીત જાણે આકાશને ભરી દેતુ ડાય, પૃથ્વીને તરખેાળ બનાવતું હાય, ઇંદ્રિયાને તૃપ્ત બનાવતુ હોય અને મનને વશ કરતુ હોય તેવા શ્રોતાજનને અચાનક અનુભવ થયા. પછી “ આવું કિન્નરયુગલ કયાંથી પ્રાપ્ત થયું ? ” એમ નળરાજાવડે પુછાયેલ ચતુર પુષ્કરાક્ષ મંત્રીએ તેમના સ ંદેહને દૂર કરવા માટે મિષ્ટ વાણીમાં મિથુન સંબંધી હૅકીકત જણાવી. “ વિદ્યાધરેંદ્રની પુત્રી, પૂજ્ય પ્રભાવવાળી આ કિન્નરી દમયંતીની પ્રિય સખી છે. કાઇપણ પ્રકારે વનમાં આવેલી તેણી ભીમરાજાને પ્રાપ્ત થઇ. આ સંબંધમાં વિશેષ હું કંઇપણ જાણતા નથી, ’” આ પ્રમાણે પુષ્કરાક્ષ મંત્રી કહી રહ્યો હતેા તેવામાં રાજપરિવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy