SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૪] શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૨ જ. સર્ગ પાંચમો. લેકપોલેને શું દુર્લભ છે? અને તેવી વસ્તુ મારાથી કેમ બનશે? અરે? આ લેકપાલની આવા પ્રકારની વાંછા મારાથી કઈ રીતે જાણી શકાય ? હવે તે તેઓનું વગર ફરમાવેલું કાર્ય હું કરું તે જ સારું કહેવાય આદેશરૂપી કષ્ટને સહન કરીને કાર્ય કરનારા મૂર્ખાઓથી શું લાભ? અર્થાત વગર કહ્યું કાર્ય કરનારની જ કિંમત છે. ધન, દોલત, જીવન અથવા તો અન્ય ગમે તે વસ્તુ તેઓના કાર્યની સિદ્ધિ માટે અર્પણ કરતાં મને કોઈપણ જાતની ખલના ન થાઓ.-હું કોઈપણ પ્રકારે પાછો નહીં પડું. પ્રાપ્ત થઈ નથી છતાં પણ મેં મારા મનથી વૈદભીને સ્વીકારી-ગ્રહણ કરી લીધી છે. મારી પાસે માગણી કરતાં આ લોકપાલને ફક્ત તે એક જ વસ્તુ દેવા લાયક નથી. પ્રાણ, કીતિ પ્રાપ્ત કરવા માટે જિંદગીના જોખમે પ્રયત્ન કરે છે તે પ્રાણથી પણ અધિક એવી કીર્તિને નાશ મારાથી કેમ કરી શકાય? શરીર, લકમી–વૈભવ, અથવા રાજ્ય અગર તે કહે કે સમગ્ર દેશ આ બધું દમયંતી આગળ તેના સોળમા અંશે પણ પહેચી શકે તેમ નથી-દમયંતીને ખાતર આ બધી વસ્તુઓ જતી કરી શકાય. “ભલે એમ થાઓ.” એ પ્રમાણે વિચારીને નળ, પ્રસન્ન, ઉદાર, ગંભીર અને મિત વાણી બે કે—-“હે ઇંદ્રમહારાજ ! જે કેઈ પણ કાર્યને વિષે તમારું મન માને તે કાર્યની અંદર મને શીઘ્ર દાસની માફક જોડે-મને આપ હુકમ કરો. અત્યારે મૃત્યુથી અગર તો ધનથી પણ માયા-કપટ રહિતપણે મારે આપનું કાર્ય અવશ્ય કરવું જોઈએ.” આ પ્રમાણે પ્રમાદ રહિત મનવાળો નળ શંકારહિતપણે બે ત્યારે “સાધુસાધુ” એવી દેવ–વાણુથી જગત વ્યાપ્ત બની ગયું. પછી સાત્વિકશિરોમણિ તે નળરાજાને પિતાના પ્રપંચમાં ફસાયેલે જાણીને કપટના મહાસાગર જેવા ઇંદ્ર ફરીવાર બેલ્યા કે– હે ભૂપાળ! તું સર્વ કષ્ટ સહન કરનાર અને દરેક કાર્યમાં કુશળ છે તે સત્ય છે, પણ ફકત વાણીવિલાસથી જ તારે અમારું કાર્ય સાધવાનું છે. કુંડિનપુરમાં ભીમરાજાની ત્રણ લોકના આભૂષણરૂપ દમયંતી નામની પુત્રી છે, તે સ્વયંવરદ્વારા પતિને વરવા માટે આતુર , બનેલ છે એમ હું જાણું. ત્યાં જઈને તું તેને અમારા માટે–અમને વરવાને માટે આગ્રહ કર. કામદેવથી પીડાયેલ અમારો તું દૂત બન.” આ પ્રમાણે અતિ તીક્ષણ વજ સરખું ઈંદ્રનું વચન સાંભળીને સુભટે ખેંચેલા ખની જેમ રાજાનું ચિત્ત કંપી ઊઠયું. તેણે આકડાના દૂધ સરખા, વિષ જેવા અને કપટવાળા વચને બોલતાં ઇદ્રને પિશાચ સરખે માન્ય. “હે ઈ! તમને પ્રણામ થાઓ ! હે સ્વામિન! તમે યેગ્ય જ કહ્યું પરંતુ હે ઇંદ્રમહારાજ ! આ વિષયમાં મારે કંઈક આપને કહેવું છે. તે દમયંતીને માટે મેં આપની હમેશાં માગણી કરી છે, જ્યારે ઊલટું આજે તમે મારી પાસે તેની માગણી કેમ કરો છો? જેને વરવાને માટે હું જઈ રહ્યો છું તેને માટે તમારું દૂતકાર્ય હું કેવી રીતે કરું? કોને કષ્ટ આપવાને માટે કે આપને આવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy