SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ -- - - -- - - - નળ સાથે ચારે લોકપાલને વાર્તાલાપ. [ ૬૫ ] શિક્ષણ આપ્યું? ફક્ત આપની ખાતર જ તે વહાલી દમયંતીને હું ત્યાગ કરું છું, કારણ કે સ્વમાની પુરુષો પિતાના સ્વામીના કાર્યની સિદ્ધિ માટે પોતાના પ્રાણેને પણ ત્યાગ કરે છે. પામર જનેને પણ નિંદવા લાયક એવું સ્ત્રી સંબંધી દૂતકાર્ય હું કેવી રીતે કરું? ગામડી પણ ખીજડીના પુપને સુંઘતું નથી તે શું નાગરિક જન તેને સેવે ખરો? વડીલ જનના વચનમાં કૃત્ય અને અકૃત્ય બંને હોય છે, પણ જે ગુરુએ– વડીલજને આદેશ આપે હોય તો અકૃત્ય કાર્ય પણ કરવું જોઈએ. જે ગુરુ પોતે જ મૂખ હેાય તે પછી શિષ્યની તે વાત જ શી કરવી? જ્યાં સારથિ પોતે જ જન્માંધ હોય ત્યાં ઘોડાઓને માર્ગ સીધે કયાંથી હોઈ શકે? આપના આગ્રહથી તમારું દ્વતપણું કરતાં મને દમયંતીનું દર્શન અડચણ વિના સહેલાઈથી કેવી રીતે થશે ? જે ચોરવૃત્તિથી તે કન્યાને હું એકલે જોઉં તો લાખ સેવકે-રક્ષક પુરુષના રક્ષણમાં હું પ્રતીકાર કેમ કરી શકું ? બધા પહેરેગીરોને હણીને બળાકારે તેની પાસે જતાં ને ઉગ્ર વર્તનવાળા મારા ઉપર તે બાલા-દમયંતી શું વિશ્વાસ કરશે? હે ઇદ્ર ! તેણીએ પૂર્વે મને વરવાનો નિશ્ચય કર્યો છે. તેણી મને જોઈને શરમાઈ જશે અને તમને વરવાને તે કદી સ્વીકાર કરશે નહીં. વળી તેણીને જોયા બાદ મારો ગુણ રહેલે ભાવ પણ સ્થિર રહેશે નહીં, કારણ કે વિદ્વાન માણસથી મુશ્કેલીથી પણ વિષયે જીતી શકાતા નથી, તો મને એકલવા કરતાં ન મોકલો તે જ ઉત્તમ છે. તમારા સ્વાર્થ સિદ્ધ થશે નહીં અને મારું ગમન નિષ્ફળ જશે, તે હે દિપાલે! તમે મારા પર પ્રસન્ન થાઓ ! આ પ્રયાસ કરો નહિ. આવી રીતે તમારી કાર્યસિદ્ધિ થશે નહીં. ફક્ત નિંદા જ થશે. ” ત્યારે લીલાપૂર્વક હાથ ઊંચા કરીને વરુણદેવે તેને કહ્યું કે “ખેદની વાત છે. હે રાજન! તે કહ્યું તે ઉચિત નથી. હે રાજન! કન્યાઓ તો સેંકડો પુરુષનું નિરીક્ષણ કરનારી હોય છે. તે કન્યાને જોવા માત્રમાં કયો દેષ લાગી જવાનું છે? તું શ્રેષ્ઠ દેવભક્ત છે અને તારું સર્વસ્વ પણ દેના સમર્પણને માટે છે. તું સમસ્ત પૃથ્વીને સ્વામી, પવિત્ર, શ્રીમાન, અથ જનેના મને રથને પૂરનાર, મહત્વાકાંક્ષી, મહત્તાને સાગર, વિચક્ષણ, સુંદર વાણુ બેલનાર અને ઇલિયાને જીતનાર છે તેથી દમયંતી પાસે જઈને દૂતનું કાર્ય કરવામાં તું જ એક લાયક છે. ઘણું કરીને ગામડી મનુષ્ય-બુદ્ધિહીન પ્રાણી અંતઃપુરમાં પ્રવેશ કરવા લાયક નથી હોતા. જ્યાં જેની ગ્યતા હોય ત્યાં તેને કાર્ય સંપાય છે. દૂધનું રક્ષણ કરવાનું કાર્ય કોઈ પણ માણસ બીલાડાને સેપતું નથી. જંભ અને વૃત્ર નામના રાક્ષસને હણનાર તેમજ વરદાન આપનાર ઇદ્ર તારા સિવાય બીજા કોને વિનંતિ કરે?” ત્યારબાદ અગ્નિદેવે પણ ત્રણ ભુવનના સ્વામી નળને કહ્યું કે-“હે રાજન ! તારા સિવાય કઈ પણ વ્યક્તિને ઇંદ્ર યાચક તરીકે મેળવી નથી અર્થાત ઇદ્ર તારા સિવાય કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy