SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૨ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૨ જે. સર્ગ ચે. વધવાને કે પાછળ હટવાને શકિતમાન થતી નથી, તેવી રીતે પાછા વળવાને કે આગળ જવાને અત્યારે અમારી શકિત રહી નથી. ( કીડી બારમાં પ્રવેશ કરે છે પણ ઠળીઆ આગળ પહોંચતાં આગળ વધી શકાતું નથી અને બોરના ગર્ભની ચિકાશને કારણે પાછા વળવું પણ મુશ્કેલ થઈ પડે છે.) આ પ્રમાણે ખંભિત થઈ ગયેલા અને વિલખા મુખવાળા દેને જોઈને બુદ્ધિનિધાન ઈદ્રમહારાજે પિતાના પ્રતિહારી નૈગમેલી દેવને નળરાજા પાસે જવા હુકમ કર્યો. સ્વર્ગના દેવ જે આ કેણ આવે છે ?” એવી વિહ્વળતા યુકત નળ જેટલામાં વિચાર કરે છે તેટલામાં નેગમેલી દેવે તેની સમક્ષ હાજર થઈને વિનયપૂર્વક કહ્યું કે-“હે રાજન ! માટે સંકલ્પ-વિકલ્પ કરીશ નહિ. તે સ્વસ્થ થા. ઈદ્ર મહારાજ પિતે તારી પાસે આવે છે તો તેમનું તું સ્વાગત કર.” આ પ્રમાણે સાંભળીને પ્રફુલ મુખવાળો, અંજલી જેડેલો નળ એકદમ ઊભું થઈને ઈંદ્રની સન્મુખ ગયા અને મનમાં સંદેહ ધારણા કરવાપૂર્વક આજ્ઞા મેળવવામાં આતુર નળ બે કે –“હે મહારાજ ! આપ આપના આ સેવકને કોઈપણ કાર્યનું ફરમાન કરે.” આ પ્રમાણે બોલીને ગાંભીર્ય યુકત પરાક્રમવાળ, દ્રઢ ચિત્તવાળ, અને ધર્મરૂપી ધનવાળો નળરાજા અતિ નમ્ર બનીને ઇંદ્ર મહારાજની સમક્ષ બે હાથ જોડીને તેમને હુકમ સાંભળવાની ઈચ્છાપૂર્વક ઊભો રહ્યો. IS . . wilti[[llણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy