SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ નારદે ઈદને કરેલ પ્રેરણા. [ ૧૭ ] જિનેશ્વર ભગવંતના સમવસરણમાં જાતિવાળા સિંહ-મૃગ, ઉંદર-બિલાડી, સર્પનાળીયે વિગેરે પરસ્પરનું વૈર ભૂલી જાય છે. તેમ રાજાઓ પણ વૈરભાવ ભૂલીને સાથે ચાલવા લાગ્યા છે. સદ્દભાગ્યની કસોટી સરખા દમયંતીના તે સ્વયંવર મહોત્સવ પ્રસંગે જે રાજા શીઘ્રતાથી આવી પહોંચતું નથી તે પોતાના સ્થાનથી બ્રણ બને છે-રાજા તરીકેની ગણત્રીમાં ગણાતો નથી. જે જે ગુણે અને અલંકારને વિષે દમયંતી રત છે તે તે અલંકાર અને ગુણેને વિષે પિતપોતાનું સર્વોપરિપણું બતાવવું તે જ અત્યારે તે રાજાઓને પરમ પુરુષાર્થ થઈ પડયો છે, અર્થાત્ રાજાઓ યુદ્ધ કરવા કરતાં દમયંતીને પિતાપિતાને પ્રત્યે આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે, એટલે હાલમાં આ સ્વયંવર મહોત્સવ જ યુદ્ધકાર્યમાં વિધ્રકર્તા બને છે, કારણ કે રાજાએ દમયંતી અને દેવભવની પ્રાપ્તિમાં મેટે તફાવત સમજી રહ્યા છે. આ જિંદગીમાં જ દેવાંગનાઓ કરતાં પણ અધિક સૌંદર્યશાળી પત્ની પ્રાપ્ત થતી હેય તે મૃત્યુ પામીને સ્વર્ગે જવા કેણ ઈચ્છે? સ્વયંવરના સમારંભને સૂચવતી દરેક મંચ પર રહેલી રમણીય ધ્વજાઓથી કંડિનપુર સર્વ સ્થળે વ્યાપ્ત બન્યું છે. પછી યુદ્ધકાર્યમાં શૂન્ય-નિષ્ક્રિય બનેલા પૃથ્વીતલને જેવાને અશક્તિમાન બનેલે, અને અગણિત યુદ્ધજન્ય સુખની ઇચ્છાવાળે હું સ્વર્ગમાં આવ્યું છું. હે વજને ધારણ કરનાર ઇંદ્ર! હે વૃત્ર રાક્ષસને નાશ કરનાર ઇંદ્ર! હે પરાક્રમી ! હે શત્રુઓને પરાસ્ત કરનાર ઈદ્ર! ભવિષ્યમાં યુદ્ધ નિમિત્ત ઉપસ્થિત થવું જોઈએ એમ હું માની રહ્યો છું. ” નારદ મુનિ આવી રીતે બોલી રહ્યા ત્યારે ઈંદ્ર બે કે-“હે પૂજ્ય! મને તે યુદ્ધને કંઈ પણ સંભવ જણાતો નથી.” એટલે ઊંડેથી નિ:શ્વાસ નાખતાં અને ઉત્સાહ રહિત બનેલા નારદ મુનિ બેલ્યા કે- “હું હવે પૃથ્વીપીઠ પ્રત્યે જાઉં છું. અહીંયા ફેગટ રહેવાથી ફાયદે શે? કદાચ આ સ્વયંવર સમયે રાજાએ પરસ્પર યુદ્ધ કરે તે મારી જેટલીને ઉછાળવાપૂર્વક નાચ કરતે હું તે યુદ્ધ નીરખીશ.” આ પ્રમાણે બેલીને પાછળ આવતા ઈંદ્રને દર વાજેથી આગ્રહપૂર્વક પાછો વાળીને કલહપ્રિય નારદમુનિ પૃથ્વી પીઠ પર ગયા. બાદ નારદરૂપી મેઘરાજની દમયંતીના ગુણવર્ણનરૂપ ગંભીર ગર્જના સાંભળીને સ્વયંવર મહત્સવ નીરખવાના કુતુહળપૂર્વક પૃથ્વીપ્રદેશ પર જવાની ઈચ્છાવાળા પરાક્રમી ઇંદ્ર પણ તૈયાર થયા. ખરેખર આ સમગ્ર વિશ્વ ગાડરીયા પ્રવાહ જેવું છે. વધારે શું કહીએ? યમ, વરુણ અને અગ્નિ એ ત્રણે દિપાલે પણ કુતુહળી બનીને જલદી ઈંદ્રની સાથે ગયા જ્યારે ઇંદ્ર પોતે માનવદેહ ધારિણી રાજપુત્રી દમયંતીને નીરખવા ચાલે ત્યારે ધૃતાચી નામની અપ્સરાએ પિતાના મુખકમળને મચકોડ્યું, મંજુષા નામની અપ્સરા લવાર-બડબડાટ કરવા લાગી, રંભા તરત જ સ્થિર થઈ (થંભી) ગઈ, મેનકા મૂંગી બની ગઈ. આ પ્રમાણે મદેન્મત્ત સ્વર્ગીય સુંદરીઓનું-દેવાંગનાઓનું હૃદય દુઃખ, ચિંતા અને કલેશથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy