SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૬ ] શ્રી દમયંતી ચરિત્ર : કપ ર જે. સગે બીજે. મારી જાતને વર્ગલક્ષમીના રક્ષણ કરનારની જેવો માનું છું. જેમ ભમરાઓ વડે રસ પીવાતા પુષ્પો- અધિક રીતે શોભી ઊઠે છે તેમ અતિથિએવડે વહેંચાઈને ભેગવાતું ધન પણ અધિક રોતે દીપી નીકળે છે. તે લક્ષમીથી શું? જ્યાં આગળ દાન દેવાથી થતાં કળાહળથી વ્યાપ્ત દરવાજે નથી અર્થાત જ્યાં દાન આપવામાં આવતું નથી. ફળયુક્ત બનેલા ઝાડ ઉપર જે પક્ષી–ગણ બેસીને તેને ઉપગ ન કરે, તે તે વૃક્ષનું પ્રજન શું? દાન નહીં આપનાર મનુષ્યના જે દિવસે પસાર થઈ ગયા છે અને થઈ રહ્યા છે તે દિવસોને નહિં જન્મેલા અથવા મૃત્યુ પામેલા મનુના દિવસોની જેવા જ હું ચોક્કસપણે માનું છું અર્થાત જેઓ દાન આપતા નથી તેઓ જમ્યા છતાં નહીં જન્મેલા અને જીવવા છતાં પણ મત્યુ પામેલા છે. આ પ્રમાણે શ્રતના સાગર સમી ઇંદ્રની વાણી સાંભળીને નારદ પ્રેમપૂર્વક બેલ્યા કે-“હે ઇંદ્ર ! તે ઠીક કહ્યું. બહુ સારું કહ્યું. હે ચતુર ! તું પ્રસંગને ચાગ્ય જ પૂછે છે. તે વાસવ! સદ્દભાગ્યની વાત છે કે–આ તારી વાસના ધર્મયુક્ત છે. હે ઇંદ્ર ! આવા પ્રકારને શ્રેષ્ઠ વૈભવ અને આ ઉત્કૃષ્ટ વિનય આ બંને વસ્તુઓ પંડિત પુરુષોને પ્રાપ્ત થવા મુશ્કેલ છે, કારણ કે અતિથિઓના અભાવમાં તું શાક કરે છે તે ખરેખર તને ઘટે છે, કેમકે કૃતકૃત્ય થયેલા તારી આ ન્યૂનતા તારા પુણ્ય પ્રકર્ષની એટલી કચાશતા જણાવે છે. તારા આ આચરણથી-વર્તનથી હું અત્યંત પ્રમોદ પામ્યો છું. વધારે શું કહું? તું વિજયવંત રહે. હે પરાક્રમી! તું અસંખ્યાત સમય સુધી સ્વર્ગના રાજ્યને ભગવટો કર. યુદ્ધરૂપી યજ્ઞમાં પ્રાણની આહુતિ આપનાર રાજાએનું જે આગમન અટક્યું છે તેનું અંતઃકરણને વશ કરનારું વૃત્તાંત તું સાંભળ: ભીમરાજાની દમયંતી એવા નામથી પ્રખ્યાતિ પામેલી, પૃથ્વીના શણગારરૂપ અનુપમ પુત્રી જયવંત વતે છે. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ આ ત્રણે લોકમાં તેને સરખું રૂપ નથી તેમજ ભૂતકાળ, ભવિષ્યકાળ તથા વર્તમાન કાળમાં તેવું રૂપ શું સાંભળવામાં આવે છે ખરું? અર્થાત્ ભૂતકાળમાં તેના જેવું સૌંદર્યયુક્ત કઈ હતું નહિ, ભવિષ્યકાળમાં તેવું કઈ થશે નહિ અને વર્તમાનકાળે કઈ છે નહિ. તે દમયંતી જગતના યુવાન પુરુષોમાં અલંકારરૂપ, શુદ્ધ શ્રેષ્ઠ વંશવાળા અને મહાવીર્યશાળી કઈ એક સદ્ભાગી પુરુષ પ્રત્યે અત્યારે પ્રેમભાવને ભજી રહી છે. તેના મનમાં જે કોઈ પુરુષ સ્થાન કરીને રહે છે તે જાણી શકાતો નથી અને તેણીનું શરમાળપણું તે વ્યકિતને જણાવા દેતું પણ નથી. પ્રત્યક્ષ કામદેવના સંતાપવાળા અને વિરહ-વ્યથાને જણાવનારા તેના અંગે દ્વારા તેને તેવી જઈને તેના પિતા ભીમ નૃપતિએ સ્વયંવર મહોત્સવ શરૂ કર્યો છે. હાલમાં જળમાર્ગ અને સ્થળમાર્ગ દ્વારા દિશાઓ તેમજ વિદિશાઓના રસ્તાઓ વટેમાર્ગુઓથી રાત્રિદિવસ ભરચક બન્યા છે અર્થાત આ સ્વયંવર મહોત્સવને કારણે પુષ્કળ જનસમૂહ દરેક દિશાએથી આવી રહ્યો છે. વળી પૂર્વના વૈરભાવને ત્યજી દઈને રાજાઓ સાથે પ્રયાણ કરતાં હાઈને જિનેશ્વર ભગવંતના સમવસરણ જેવું પૃથ્વીપીઠ બની ગયું છે અથવા જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy