SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ (૩). ૧) વંત અને સોળમા દેવાધિદેવ શ્રી શાંતિનાથ ભગવાનના આંતરામાં નળરાજા રાજ્ય કરતા હતા. નળ છે. રાજાનાં પૂર્વના અસાધારણ પૃદયે કરીને તેમનું અસાધારણ રૂ૫, અતુલ બળ, મહા અભ્યદય, પરોપકાર વૃતિ અને અનુપમ મહિમા-માહાસ્ય વગેરે હતું. માટે જ “ નળરાજાની પ્રશંસા કરવા સાથે તેમનું કીર્તન અને નામસ્મરણ માત્રથી મનુષ્યને ઉત્તમ ફલ પ્રાપ્તિ થાય છે,” તેમ ગ્રંથકાર મહારાજ છે. ગ્રંથની શરૂઆતમાં જણાવે છે. શ્રી દમયંતી સતીશિરોમણી ગણાય છે, કારણ કે પૂર્વભવે પરમાત્મા ભક્તિ અને મહાન તપશ્ચર્યાના પ્રભાવે દમયંતીનું અસાધારણ સ્વરૂપ, બુદ્ધિચાતુર્ય અને અનુપમ મહિમા હતે. વળી શ્રી s દમયંતા સતી પોતાના ભાલપ્રદેશમાં તિલક લઈ જન્મેલ હતા કે તે તિલકના કિરણો વડે સૂર્યની જે પ્રકાશ અંધકારમાં થ હતા. વળી આ મહાસતીના તે અસાધારણ પૂણ્ય પ્રભાવે જ્યારે તેમના પિતા ભીમરાજાએ તેમના લગ્ન માટે સ્વયંવર મંડપ રો હતા અને તેમાં દેવો તથા દેશદેશના આમંત્રિત સર્વ રાજાઓ સ્વયંવરમંડપમાં આવી બેઠા હતા. તે વખતે સાક્ષાત શ્રી શારદાદેવી પિતે આવી મંડપમાં આવેલા અને બેઠેલાં દે તથા રાજાઓના નામ, દેશ, વૈભવ, ગુણુ વગેરેનું વર્ણન સતી દમયંતીની સાથે રહીને ( એક સખી તરીકે ) કરતા હતા. આવી કેટલીક અસાધારણ પુણ્ય રચનાની હકીકત આ કાળની સર્વ સતી માં માત્ર સતી દમયંતીમાં જોવાય છે. આટલું જ નહિં પરંતુ મહાસતી દમયંતીના અસાધારણ શીલ માહાત્મના પ્રભાવવડે ચમત્કારિક અનેક પ્રસંગોના વર્ણન ગ્રંથમાં આવેલ છે. સાથે નળરાજ પ્રત્યે અપૂર્વ પતિભકિત, સતી દમયંતી સાસરે જતાં માતપિતાએ આપેલી સોનેરી શિખામણ, જુગારથી થતી ખાનાખરાબી, ધૂર્ત જનની ધૂર્તતા, પ્રતિજ્ઞા પાલન, સતી સ્ત્રીઓના ધર્મો, રાજ્યનીતિ, વનનિવાસ વખતે આવતાં સુખદુ:ખે વખતે ધીરજ, શાંતિ, અનુભવની ભાવભરિત ખેંધ, વગેરેનું અદ્ભુત વર્ણન અને પ્રાસંગિક ઉદાહરણો વડે આ ગ્રંથની ગ્રંથકાર મહારાજે અનુપમ રચના કરી છે. આ વિશેષ નલદમયંતીને કલિવડે (અશુભ કર્મના ઉદયે ) થયેલ બાર વર્ષ સુધી દંપતી વિયોગ, ઘતાસકત મનુષ્યની દુર્દશાનું વર્ણન સાથે જીવનનું પરિવર્તન કેવું હૃદયદ્રાવક બને છે તેને હૃદયગ્રાહી તાદશ છે. ચિતાર પ્રાસંગિક મનોહર દષ્ટાંત, બોધપાઠ, શિક્ષાપ્રદ વચને અને રસિક બીજા વર્ગને સાથે પૂજ્ય માણિજ્યદેવસૂરિ મહારાજે આ ગ્રંથમાં આપેલ છે; તેમજ પ્રાસંગિક અંતર્ગત શકુંતલા-દુષ્યત, કલાવતી સતી, સુભદ્રા, તિલકમંજરી વગેરે આદર્શ રમણીઓની સુંદર કથાઓ આપી અપૂર્વ કૃતિ બનાવી છે. નલરાજા દમયંતીને વનમાં સૂતી મૂકીને ચાલ્યા ગયા ત્યારે દમયંતીએ તે સંકટના સમયમાં યતાથી ઉત્તમ ભાવના ભાવવામાં અને કર્મને દોષ આપવા સાથે પોતાના તે વિરહના દિવસે કેવી રીતે ગુજાર્યા છે અને ત્યાંથી આગળ ચાલતાં કેટલેક સ્થળે શાસનની ઉન્નતિ કરી કેટલાય મનુષ્યોને ધર્મ પમાડ્યો છે અને અનેક પ્રસંગોએ અભૂતરીતે શિયલત (સાચવ્યું) છે, રક્ષા કરી છે વગેરે તેમના સતીપણાના અપૂર્વ માહાસ્યનું વૃત્તાંત વાચકને આત્મિક આનંદ ઉત્પન્ન કરે તેવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy