SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ( ર ) છે જ સ્ત્રીઓ બુદ્ધિમત્તા, સંસ્કારી, સુશીલા, પતિવ્રતા અને ઉત્તમ પ્રકારની ગૃહિણી બની શકે છે અને તેવી છે. આદર્શ માતાઓ જ ગુણવાન નરરત્નપુત્રને જન્મ આપી સંસારનું કલ્યાણ કરી શકે છે. સ્ત્રીજીવન ઉપર જગતના જીવન અને ઉન્નતિને મુખ્ય આધાર છે, કારણ કે ઉત્પન્ન થયેલ મહાન પોને પ્રાથમિક સંસ્કાર પ્રેરનાર-ગૃહશિક્ષણ આપનાર માતા છે, તેથી સ્ત્રી જીવન શુદ્ધ અને સંસ્કારી હોવાની ખાસ જરૂર છે. ઉપરોક્ત વગેરે કારણોથી આ સભાએ મહાન પુના ચરિત્રની જેમ સતી ચરિત્રો, આદર્શ જૈન સ્ત્રીરોના ચરિત્રોના પ્રકાશનનો કમ પણ સાથે જ ચાલુ રાખ્યો છે. જે અત્યાર સુધીમાં છે. પ્રથમ શ્રીચંપકમાલા ચરિત્ર, આદર્શ જૈન સ્ત્રી રત્ન (પહેલે ભાગ ), સતી સુરસુંદરી, શ્રી મહાવીર દેવને વખતની મહાદેવીએ અગાઉ પ્રકટ કરેલ છે, અને આ પૂર્વાચાર્ય શ્રી માણિકયદેવસૂરિવિરચિત સંસ્કૃત (નલાયન) ઉપરથી આ મહાસતી શ્રી દમયંતી ચરિત્રનું પ્રકાશન અમો જૈન સમાજ પાસે ( આજે મુકીયે છીયે, તેની રચના ઘણુ જ રસમય, સુંદર અને અનુપમ છે. નળદમયંતી ચરિત્રે પ્રાકૃત સંસ્કૃત ભાષામાં કાવ્ય, કથા, ચપૂ. નાટક વગેરેમાં ઘણા છે; જેવાંકે છે નળ વિલાસ નાટક, નળચરિત્ર, નળપાખ્યાન, નળ ચરિત્ર, નૈષધીય ચરિત્ર, નળોદય કાવ્ય, નળાખ્યુદય, નળચરિત્ર નાટક, નળવર્ણન કાવ્ય, નળવિક્રમ નાટક, દમયંતીપરિણય કાવ્ય, નળભૂમિપાળ, દમયંતી ચરિત્ર, દમયંતી પ્રબંધ, દમદંતી કથા વગેરે જુદા જુદા પૂજ્ય વિધાન પૂર્વાચાર્ય મહારાજની સ્વતંત્ર છે કૃતિ(રચના)ના ઘણા છે, તેમ શ્રી વસુદેવહિંડી, શ્રી નેમનાથ ભગવંત ચરિત્ર, શ્રી સંઘપતિ ચરિત્ર, જિ શ્રી ત્રિષષિ ક્ષાકા પુરુષ ચરિત્ર, કુમારપાળ પ્રતિબોધ, પાંડવ ચરિત્ર, શીપદેશમાળા, ભરફેસર બાહુબળ વૃતિ, હરિવંશપુરાણ, પાંડવપુરાણ, વગેરે ગ્રંથમાં અંતર્ગત ચરિત્ર તરીકે તે તે ગ્રંથના પૂજ્ય પુરુષોએ (j. છે. રચેલાં પ્રસિદ્ધ થયેલા તેમજ અપ્રસિદ્ધ જૈન ભંડારોમાં હસ્તલિખિત પ્રતોમાં પણ સચવાયેલ છે પરંતુ . આ પૂજય માણિક્યદેવસૂરિએ રચેલ નલાયન(કુબેર પુરાણોમાં આવેલું સતી શ્રી દમયંતીનું ચરિત્ર ઘણું [1 જ સુંદર, રસિક, ચિત્ત કર્ધક, રસોમિંયુકત અને સાંભળનાર તથા વાંચનારના આત્માને આલાદ ઉત્પન્ન છું કરે તેવું હેવાથી જ તેનું અમોએ સચિત્ર સુંદર પ્રકાશન કરેલ છે. પૂજ્ય પૂર્વાચાર્ય શ્રો માણિજ્યદેવસૂરિ મહારાજે આ અનુપમ ગ્રંથ મૂળ સંસ્કૃત ભાષામાં પદ્યરૂપે દશ જ છે અને ૯૯ સર્ગોમાં ૪૦૫૦ લેક પ્રમાણમાં રચેલો છે. આ મૂલ ગ્રંથનું જુદા જુદા બે ભંડારોની [ પ્રત પાસે રાખી પૂજ્ય વિદ્વાન આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિ મહારાજે બહુ જ સુંદર રીતે સંશોધન કર્યું છે છે. મૂળકૃતિ બહુ જ સુંદર, ચિત્તાકર્ષક, રસ અલંકાર અને અનુપ્રાસ વગેરેથી અલંકૃત હેઈ વાચકવર્ગને આત્મિક આનંદ ઉત્પન્ન કરવા સાથે મનનપૂર્વકના અધ્યયનથી ઉચ્ચ આદર્શશિક્ષા આપનાર ચરિત્ર છે, આ ગ્રંથના કર્તા શ્રી માણિક્યદેવસૂરિ ક્યારે કયા સૈકામાં થયા, તે સંબંધમાં આ ચરિત્ર મૂળના પ્રકાશનના સંશોધક આચાર્ય મહારાજે તેની સંસ્કૃત પ્રસ્તાવનામાં શ્રી માણિજ્યદેવસૂરિ ચોદમાં સૈકામાં વિદ્યમાન હતા એમ જણાવેલ છે, કે જે હકીકત અમોને પણ આધારભૂત લાગે છે. - આ ગ્રંથના મૂળ કર્તા પૂજ્ય આચાર્ય મહારાજ જણાવે છે કે-પંદરમા તીર્થંકર ધર્મનાથ ભગ- (1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy