SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૪ ] શ્રી દમયંતી ચરિત્ર : ધ ૨ જો, સગ પહેલે "" તિલકવાળી વિદર્ભ દેશની પુત્રી દમયંતી અમારા સાંભળવામાં આવી છે. તે રમણીય દમયંતીને સ્વયંવર મહાત્સવમાં પ્રાપ્ત કરનાર અમારા સ્વામી તેમજ સૈનિકાને હ લાંખા સમય સુધી વૃદ્ધિ પામી. અમારા પ્રયાણુમાં કંઈપણ વિલંબ નથી. અમે ત્યાં પહેાંચ્યા જ જાણજો. અમે વૈશાખ શુદિ પુનમ પહેલાં ત્યાં આવી પહેાંચશું. આ પ્રમાણ્ શ્રુતશીલ મંત્રી એલી રહ્યા બાદ નળરાજાએ તે દેવદત્ત તને હજાર ઘેાડા યુક્ત એક કરાડ સુવર્ણ ઇનામ તરીકે આપ્યું. પછી નળરાજાવડે બહુમાનપૂર્વક વિસર્જન કરાયેલ દેવદત્તે કુડિનપુરે પાછા આવીને તે બધા વૃત્તાંત ભીમરાજાને જણાવ્યેા અને મત્સ્યની માફક પ્રિયતમના સમાચારરૂપી અમૃતને ઇચ્છતી દમયંતીને તેની સખીદ્વારા કહેવરાવ્યું કે“ ઉત્તર દિશાના સઘળા રાજાઓને અને નળને કુંડિનપુર આવવાની ઉત્કંઠાવાળા કરતા મને કાઇએક સુવર્ણની સાંકળ પ્રાપ્ત થઈ છે. '' એટલે આવા પ્રકારના વચન-ચાતુર્યને સમજનારી દમયંતીએ નળરાજાના મેળાપ થશે એમ માનીને તે દેવદત્તને પાંચ અગાને શાભાવનાર સુવર્ણના અલંકારો અણુ કર્યા. આ ખાજુ નિશ્ચયથી પેાતાને પ્રાપ્ત થયેલી પ્રિયતમાના દર્શન માટે આતુર મનવાળા નળરાજાએ ચતુર'ગી સેના સાથે પ્રયાણ કર્યું, ત્યારે શેષનાગ પીડા પામવા લાગ્યા અર્થાત્ નળરાજાના સૈન્યભારને સહુવાને અશક્ત બન્યા, કાચએ વિલખા ખની ગયા, પૃથ્વીતત પાતાલમાં પ્રવેશવા લાગ્યુ, મહાસાગર ખળભળી ઊઠ્યા, પર્વતેા પડવા લાગ્યા, દિગ્ગજો આક્રંદ કરવા લાગ્યા, આકાશમંડળ અદૃશ્ય થઈ ગયું, દિશાએ શૂન્ય બની ગઇ, સૂર્ય ધૂળવડે ઢંકાઈ ગયા અને ચાલતા એવા તેના સૈન્યદ્વારા ત્રણ જગત પણ વ્યાકુળ ખની ગયા. વળી તે સમયે રસ્તામાં આવેલા પ તસમૂહે ભાંગીને ભુક્કો થઈ ગયા, ખધી નદીએ કાદવવાળી બની ગઈ-સુકાઈ ગઈ, ઉખરભૂમિ-ઉજ્જડ ભૂમિ તળાવ જેવી બની ગઇ અને ગાઢ જંગલેા જલ્દીથી ઝળહળી ઊઠ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy