SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ત્ય સકંધ બીજે, સર્ગ પહેલો. [દમયંતીને સ્વયંવર મહત્સવઃ નળરાજાનું પ્રયાણ.] છે ત્યારબાદ કુંડનપુરાધીશ ભીમ રાજાએ અન્ય નૃપતિઓને આમંત્રણ આપવા કિc2cSee 24માટે ચારે દિશામાં પિતાના દૂતો મોકલ્યા એટલે પોતાના સ્વામીના આદેશથી તે તો ગૌડ, ચૌડ(ચૌલ), કર્ણાટક, લાટ, દ્રવીડ, ચેદી, અંગ, બંગ ને તિલંગ વિગેરે દેશોમાં ગયા. તે દૂતો પૈકી ઉત્તર દિશામાં મોકલાયેલ વૃદ્ધ દેવદત્ત નામના દૂતને વૈદભીએ પિતાની સખીદ્વારા કહેવરાવ્યું કે-“હે પૂજય ! ઉત્તર દિશાના બધા રાજાઓને આમંત્રણ કરવામાં તમારે એવું કાર્ય કરવું જોઈએ કે જેથી નળ રાજા અહીં જલદી આવવાને અતિ ઉત્કંઠિત મનવાળ બને.એટલે સંપૂર્ણ વસ્તુસ્થિતિને જાણ લેનાર તેણે પણ તે જ જવાબ આપે. બાદ સ્વજનને આલિંગનાદિ આપીને તે ઉત્તર દિશામાં ચાલી નીકળ્યો. સૌમ્યશાન્ત, વાકપટુ, ત્વરિત વેગવાળ, સમયજ્ઞ દેવદત્ત નામને દૂત બધા રાજાઓને આમંત્રણ આપતે આપતે આર્યાવર્તમાં આવી પહોંચે. તેવામાં વનપ્રદેશમાં નદીના કિનારા પર અશ્વ ઉપર બેઠેલ, ધનુષ્યકળાના અભ્યાસમાં રકત, શ્રુત તેમજ શીલથી યુક્ત નળરાજા તેના જેવામાં આવ્યું ત્યારે રાજાધિરાજ, પરાક્રમી અને કમળ જેવા નયનવાળા નળરાજાને જોઈને દેવદત્ત પોતાના બંને નેત્રોની સફળતા માની. પછી રોનું લેણું ધરીને, પ્રણામ કરીને, લલાટ પ્રદેશ પર બે હાથ જોડીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યું કે “હે સ્વામિન્ ! વિદર્ભ દેશને સ્વામી શ્રીમાન્ ભીમ નરકવર આપને સ્વયંવર મહોત્સવને માટે આમંત્રણ આપે છે. તાલ અને હિંતાલના વૃક્ષોથી શોભતા તેમજ મયૂર સમૂહના સંચરણથીવિચરવાથી સુંદર દેખાતા તેમજ ઈચ્છાને પરિપૂર્ણ કરનાર કંડિનપુરનગરના સીમાડાને આપ અલંકૃત કરો. વધારે કહેવા માત્રથી શું? હે પૃથ્વીચંદ્ર! ભીમરાજાને ભૂમિપ્રદેશ આપના સે સમુદાયને જલદીથી આદર-સત્કાર કરશે અર્થાત્ ત્વરિત ગતિએ આપ ત્યાં પધારે. હે વિચક્ષણ મહારાજ ! હે દાક્ષિણ્યના ભંડાર ! ચતુરંગી સેનાથી પરિવરીને આપ દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરે.” આ પ્રમાણેની ગૂઢાર્થવાળી વાણી સાંભળીને ચતુર નળરાજાએ પિતાને અનુલક્ષીને દમયંતીએ મેકલાવેલ જુદો સંદેશ જાણી લીધું. બાદ નળરાજાની સંજ્ઞા-ઈશારાથી શ્રતશીલ મંત્રી બેલ્યો કે “હે દૂત! કુદરતી રીતે જ જન્મથી ભાલમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy