SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ [ પર ] શ્રી દમયંતી ચરિત્રઃ અંધ ૧ લે. સર્ગ પંદરમે. O) તરફ, દિશામાં અને વિદિશામાં રાત્રિદિવસ ફક્ત નળરાજાને જ નીરખતી તેણીએ સકલ વિશ્વને નળયે જ માની લીધું. શૃંગાર વિનાની, આહાર રહિત, ભેજન વગરની, વિનોદ વિનાની, ઉદ્યમ રહિત-જડ જેવી તેમજ વિરહ-વ્યથાથી વ્યાકુળ બનેલ તેણીએ જગતને ઉજજડ જંગલ જેવું માન્યું. વળી શુદ્ધ આચારનું સેવન કરવા લાગી, સુખશાને ત્યાગ કર્યો, અનાન કરવું પણ ત્યજી દીધું અને પુરુષ સાથે વાર્તાલાપ કરે પણ બંધ કર્યો. દમયંતીને રડતી જોઈને તેના દુખે દુઃખી થયેલી અને અશ્ર પૂર્ણ નેત્રવાળી તેની સહીયરે તેણીને અધિક રીતે જ આવાસન આપવા લાગી. પછી જ્યારે કમલીની સરખી દમયંતી મૂછોરૂપ મહાસાગરમાં ડૂબી ગઈ અર્થાત મૂચ્છ પામી ત્યારે ટીંટડીના સમૂહની જેમ તેની સખીઓનું ટોળું આક્રંદ કરવા લાગ્યું અને “અરે સખીઓ ! પાણી છાંટે, પાણી છાંટે; પવન નાખો, પવન નાખો; આસન પર બેસાડો; છત્ર ધારણ કરો, છત્ર ધારણ કરે.” આવા પ્રકારે ભયભીત થઈને વ્યાકુળ બનેલી સખીવૃંદના મુખમાંથી મોટો કેળાહળ અચાનક પ્રગટી નીકળે ત્યારે સખીઓને આવા પ્રકારનો શેકયુક્ત કવનિ સાંભળીને કંઈક વ્યગ્ર બનેલ ભીમ રાજા પોતાની પુત્રી દમયંતીના રાજમહેલે જલ્દી આવી પહે, એટલે પિતાના ચરણમાં નમસ્કાર કરતી, કામ-પીડાના ચિહને નહીં જણાવા દેતી દમયંતીને લીમ નૃપતિએ વિરહાતુર બનેલી સમજી લીધી. શું ચતુર પુરુષો પારકાના અભિપ્રાયને જાણી લેવાને સમર્થ બનતા નથી? પછી દમયંતીનું મસ્તક ઊંચું કરીને તેણે તેને આશીર્વાદ આપે કે-“હે પુત્રી ! કેટલાક દિવસો બાદ સ્વયંવરને વિષે તું ગુણવાન પતિને પ્રાપ્ત કરજે.” પછી તેની સહીયરોને ઉદ્દેશીને જણાવ્યું કે-“હે દાસીવર્ગ! તમારી સખી દમયંતીની નજીકમાં થનારા સ્વયંવર મહેત્સવ માટે રુચિ જલદી પ્રગટાવે અર્થાત તેને સ્વયંવર મહત્સવ માટે તૈયાર કરો.” એટલે દમયંતીના મનોરથને જાણનાર ભીમ રાજાની આ વ્યાક્તિ-ગૂઢ વાણું સાંભળીને વિચક્ષણ સખીવર્ગનું ચિત્ત અત્યંત આનંદરૂપી મહાસાગરમાં લયલીન બન્યું. પંડિત પ્રવર શ્રી મણિયદેવસૂરિએ નૂતન મંગળસ્વરૂપ અને શ્રેષ્ઠ પંક્તિનું આ નળચરિત્ર રચ્યું છે તેને સંતપુરુષના કર્ણની શેભા સરખા કમળરૂપ નળાયન(નળચરિત્ર)ને સૌથી શ્રેષ્ઠ પ્રથમ સ્કંધ પૂરે થશે. - इति श्रीमाणिक्यदेवसूरिकृते नलायने प्रथम उत्पत्ति m: હમારા ! * બેલવું કંઈક ને સમજાવવું કંઈક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy