SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૮ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૧ લે. સર્ગ ચૌદમે. વૃક્ષ કાણ-જડ છે. આ બધી ઉત્તમ વસ્તુઓ દેષ યુક્ત છે જ્યારે ફક્ત નળરાજા એક જ દેષ રહિત છે. કલીંગ, બંગ, મગધ, શ્રીગૌડ, ચોડ, કર્ણાટક, દ્રાવિડાદિ દેશોના રાજા પ્રમુખ કરોડો ભૂપાળો, દેવો તેમજ સેંકડો નાગરાજે, વધારે કહેવાથી શું? આ સિવાયના અન્ય પણ નળની સાથે રૂપમાં હરિફાઈ કરવાને ભૂતકાળમાં કોઈ જગ્યા નથી, અત્યારે વિદ્યમાન પણ નથી તેમજ ભવિષ્યકાળમાં કઈ પણ થશે નહિ. સમસ્ત વિAવના વીરપુરુષને વશ કરવામાં વીર્યશાળી અને રાજા-મહારાજાઓમાં મુગટ-મણિ સમાન નળરાજા કોઈ અપૂર્વ દેવસ્વરૂપ છે. વધારે કહેવાથી શું લાભ? જેણે તે નળરાજાને નીરખેલ છે તે પ્રમાદને પરિહરનાર ચંદ્ર, શરીરધારી કામદેવ, ચૈતન્યયુક્ત ચિંતામણિ રત્ન, પુરુષરૂપે સરસ્વતી દેવી તેમજ માનવરૂપધારી ઇદ્રને પ્રત્યક્ષ કરેલ છે અર્થાત ચંદ્ર તે પ્રમાદ પ્રગટાવનાર છે ત્યારે નળ રાજા પ્રમાદને પરિહરનાર ચંદ્ર સ્વરૂપ છે, કામદેવ શરીર વિનાને છે જ્યારે નળ શરીરધારી કામદેવ જેવો જણાય છે, ચિંતામણિ રત્ન તે જડ છે જ્યારે નળ તો ચૈતન્યયુક્ત ચિંતામણિ રત્ન છે, સરસ્વતી દેવી સ્ત્રી-સ્વરૂપ છે જ્યારે નળ તે પુરુષ રૂપધારી સરસ્વતી જેવો છે અને ઇંદ્ર તે દેવસ્વરૂપ છે જ્યારે આ તે માનવરૂપે ઇતુલ્ય છે. તારાઓની સંખ્યા ગણવાને કણ શકિતમાન થાય ? નવીન મેઘની જળધારાઓની ગણના કરવાને કણ સમર્થ બને ? હે મનહર ભ્રકુટીવાળી બાળા ! મહાસાગરની રેતીના કણી આઓની ગણત્રી કરવી તે ક્યાં અને નળરાજાના ગુણોને પાર પામે તે પણ કયાં ? અર્થાત કદાચ ઉપરની વસ્તુઓની ગણના થઈ શકે છતાં પણ નળના ગુણે વર્ણવી શકાય તેમ નથી. તારા મનોરંજન માટે મેં આ તો તેના ચરિત્રમાંથી એક અંશ માત્ર જ તને કહેલ છે. તે શંખ જેવા વેત કંઠવાળી ! હું હવે જવાની ઈચ્છા ધરાવું છું. હું તારું શું કલ્યાણ કરું તે ફરીથી મને કહે.” આ પ્રમાણે બલીને હંસ વિરામ પામ્યો એટલે આશ્ચર્યમુગ્ધ બનેલી દમયંતી બેલી કે-“હે પક્ષીરાજ ! આવા પુણ્યશાળી પુરુષનું ચરિત્ર સાંભળતાં કોને તૃપ્તિ–સંતોષ થાય? જે ફરી વાર પણ મારું ઈષ્ટ કરવાની તારી કંઈપણ કામના હોય તો તે નળરાજને આળેખીને મને બતાવ.” આ પ્રમાણે દમયંતીનું કથન સાંભળીને હંસે પિતાના નખ વડે આળેખેલા નળ રાજાના અત્યંત મનોહર રૂપને જોઈને કામદેવથી પીડિત, થાકને કારણે પ્રદબિંદુઓથી ભીંજાયેલી, શરીરે ધ્રુજતી અને શ્રેષ્ઠ જંઘાવાળી દમયંતીએ પોતે જ એકદમ તે આળે ખેલા નળના ગળામાં પિતાને મોતને હાર પહેરાવ્યો, એટલે “તું જય પામ, જય પામ! તારું કલ્યાણ થાઓ. તું દીર્ધાયુષી થા. દીર્ધાયુષી થા.” એમ બોલતાં હંસે “આ શું ? ” એમ તેણીને પૂછ્યું ત્યારે આંખની પાંપણ હષોથી ભીંજાવાને કારણે ગદ્દગદિત કંઠવાળી, કામદેવને આધીન મનવાળી દમયંતી પણ શરમ ત્યજી દઈને બેલી કે-“હે હંસ! આ વિષયમાં તું આશ્ચર્ય પામ નહિં. આ હાર ગ્રહણ કર અને જેને હાર છે તેને તું સમર્પણ કરજે-તેને આપજે. કરાયેલ કાર્ય કરવામાં તને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy