SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ નળને રાજપદે સ્થાપી વિરસેન રાજવીને સંયમ-સ્વીકાર. [૪૭] કરવાને શક્તિમાન નથી. આપ સ્વામી જ તેને માટે પૂરેપૂરા લાયક છે.” આવી રીતે વારંવાર બોલતાં નિ:સ્પૃહી તેમજ પુરુષશ્રેષ્ઠ નળને સિંહાસન પર સ્થાપીને મંત્રીએ છત્ર ધારણ કર્યું અને વરસેન રાજાએ પોતે જ તેનું રાજ્યતિલક કર્યું. બાદ કળશ ધારણ કરેલ અન્ય જાએ તીર્થ જળદ્વારા તેને રાજ્યાભિષેક કર્યો. રાજા, સામંત તેમજ મંત્રી પ્રમુખે તેને નમસ્કાર કર્યો અને તે સમયે જ આવી આકાશવાણુ સ્પષ્ટ રીતે સંભળાઈ કે-“હે રાજેશ્વર ! સર્વ કરતાં અનુપમ, શાલિ-ડાંગર કરતાં પણ અધિક ઉજજવળ તારી કીતિ અને પ્રતાપ નિરંતરને માટે ચિર સ્થાયી રહો.” બાદ અશ્વોના હૈષારવ સાથે, હાથીઓના ગરવની સાથે દિવ્ય દુંદુભીના નાદથી આખું આકાશમંડળ બહેરું થઈ ગયું. પછી દીન લોકોને દાન આપવામાં આવ્યું, કેદી જનને કારાગૃહમાંથી મુક્ત કરવામાં આવ્યા, હર્ષિત બનેલ ભાટ-ચારણે સ્તુતિ કરવા લાગ્યા તેમજ નટ લેકે નૃત્ય કરવા લાગ્યા. બંસી, વીણા, મૃદંગ, ઝાલર, ભેરી, ભુંગળ વિગેરેથી પરિપૂર્ણ અવાજ પડઘા પાડતે ચારે તરફ ફેલાઈ ગયે. પછી ત્રણ અહોરાત્રિ પર્યત મહાનું દાન દેવાપૂર્વક અંત:પુરની સાથે વીરસેન નૂપ વનવાસ માટે ચાલી નીકળ્યા. પછી “હે ચિરાયુષી ! વંશપરંપરાગત તમારા સેવક તુલ્ય મારા પુત્રને આપ સ્વીકારો-આપની સેવામાં નિયુક્ત કરો.” એમ નળરાજાને કહીને સાલંકાયન મહામાત્યે પણ પોતાના વ્યુતશીલ નામના પુત્રને નળને સોંપે અને પોતે વૃદ્ધ વીરસેન નૃપની સાથે ચાલી નીકળે. એટલે પગે ચાલતો અને રુદન કરતો નળ સહુની પાછળ-પાછળ લાંબા સમય સુધી ચાલવા લાગ્યો ત્યારે “હે પુત્ર ! તને આ છેલ્લું ચુંબન લઉં છું અને છેલ્લે આલિંગન આપું છું. તને મારા સેગન છે કે હવે તે આગળ વધીશ નહિ–અહીં જ રોકાઈ રહ.” આ પ્રમાણે વીરસેને પોતે જ પાછો વાળલે નળરાજ મંદિરે આવીને એક મહિના સુધી નીચે પ્રમાણે વિલાપ કરતો રહ્યો. “હે વજ સરખા કઠોર હૃદય! પિતાએ આપેલ તાંબલ અને પિતાની સાથે કરેલા જનને યાદ કરવા છતાં તું કેમ ચીરાઈ જતું નથી ?” ત્યારે શ્રુતશીલ મંત્રીએ તેને સમજાવ્યાથી શોકને ઓછો કરેતો નળ રાજ્યકાર્ય સંભાળવા લાગ્યો. પછી દિગવિજય કરીને અને રાજ-સમુદાયને જીતી લઈને કરાક્રમી તે નળે નિષધ દેશના ખંડિયા રાજ્યોને જય સ્તંભથી વિભૂષિત કર્યા અથત પિતાની જયપતાકા ફરકાવી. હે દમયંતી! વિવિધ પ્રકારના ધર્મ–મહદ્વારા અનેક ધર્મો પ્રત્યે સમભાવ દર્શાવતો, જુદી જુદી જાતના ભેંટણીને હાથમાં ગ્રહણ કરીને આવતાં રંજિત રાજાઓથી સેવા, અનેક રાજાઓની પુત્ર સાથે ક્રીડા કરવામાં વિચક્ષણ શ્રીમાન નળરાજા અત્યારે રાજ્ય કરી રહ્યો છે. મહાસાગરનું પાણી ખારું છે, ચંદ્ર ક્ષય પામે છે, શંકર ભિક્ષા માગે છે, ઈદ્ર પણ સ્થાનભ્રષ્ટ બને છે, કામદેવ શરીર વિનાનો છે, કૃષ્ણ શ્યામ છે, શેષનાગ વિષયુક્ત છે, બ્રહ્મા ઘરડો છે, ક૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy