SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ - સર્ગ ચદમે [ દમયંતી સમક્ષ હસે વર્ણવેલ નળચરિત્ર (ચાલુ) હંસનું નળ પ્રત્યે પુનરાગમન. ] હ૦૦૦૦૦૦૦૦૦૦૦ છે પછી પિતાને નગરે પહોંચેલ, મંત્રાધિષ્ઠિત અસ્ત્રોની પ્રાપ્તિથી અતિ દેદીપ્યમાન ૦૦૦૦૦૦૦૦૦-અને પિતૃસેવાપરાયણ તે નળરાજાનું એક પખવાડીયું પસાર થઈ ગયું તેટલામાં તે જાલંધર દેશના રાજા ચંદ્રબાહુએ મોકલેલ દૂતે આવીને, વીરસેન મહારાજાને પ્રણામ કરીને વિજ્ઞપ્તિ કરી કે-“હે રાજેશ્વર ! અમારા ચંદ્રબાહુ ભૂપાળે પિતાની ચતુર કનકાવલી નામની કન્યા આપના નળ નામના પુત્રને અર્પણ કરી છે. સ્વજીવિતનું રક્ષણ થવાથી જાણે ખરીદાયેલી હોય તેમ જ અગાઉથી જ નળ પ્રત્યે પ્રેમાનુરાગિણું તે કનકાવલી નગરના દરવાજે રહેલી છે તે તેને આપ સ્વીકાર કરો.” એટલે દૂતનું તે કથન સ્વીકારીને વીરસેન રાજાએ તે જ દિવસે વર-વધૂનો લગ્નમહોત્સવ હર્ષપૂર્વક કરાવ્યું. બાદ કેટલાક સમય વીત્યા પછી નળને રાજ્ય-ધૂરા વહન કરવામાં સમર્થ જાણીને વીરસેન રાજાએ પોતાના સાલંકાયન નામના મહામંત્રીને જણાવ્યું કે“હે મહામાત્ય ! પ્રજારક્ષાનું કાર્ય કરતાં મારા દશ લાખ વર્ષો વ્યતીત થઈ ગયા છે. હવે મારે મારા સ્વાર્થની ચિંતા કરવી જોઈએ અથત મારે મારું આત્મસાધન કરવું જોઈએ. હવે નળ યુવાન, ધનુર્ધારી, મહાપરાક્રમી તેમજ પ્રજા-પાલનમાં પ્રવીણ બન્યો છે, તે રાજ્યને ભાર વહન કરવા માટે તું તેને જણાવ–સમજાવ.” આવા પ્રકારનું રાજાનું વચન સાંભળીને “ભલે એમ થાઓ, જેવી આપની આજ્ઞા.” એમ કહીને મંત્રીશ્વર સાલંકાયને નળ આગળ જઈને ગંભીર વાણીથી કહ્યું કે “જગતના આધારરૂપ છે કુમાર ! પરોપકારપરાયણ, પ્રવીણ, ગંભીર અને યશસ્વી એવા તમારી પિતૃભક્તિ કેમ ન હોય? અર્થાત્ અવશ્ય હેય જ; કારણ કે પુત્ર હોવા છતાં અને વૃદ્ધ બનવા છતાં સંયમના પિપાસુ આ તમારા પિતા હજુ પણ રાજ્યભારને વહન કરી રહ્યા છે, તે ચાલો રાજાજ્ઞાને સ્વીકાર કરી પૃથ્વીનું પાલન કરો. તમારા જેવા પુત્ર દ્વારા વીરસેન રાજા સ્વ-મને રથની પૂર્તિ કરે અર્થાત પિતાની અભિલાષા બર લાવે.” આ પ્રમાણે કહીને કમળ જેવા વિકસિત નયનવાળા તેને ઊભું કરીને શરમથી વ્યાકુળ અને નીચે નમાવેલ મસ્તકવાળા નળને વીરસેન નૃપતિ સમક્ષ હાજર કર્યો ત્યારે “હે પિતાજી ! આપ મારો કેમ ત્યાગ કરે છે ? મારા વડે આપની શી અવગણના થઈ છે ? હું રાજ્યભાર વહન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy