SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ નળને પ્રાપ્ત થયેલ સંમેહન આદિ જાંભકાસ્ત્રો. [ ૪૫ ] “હે રાજકુમાર! લક્ષમીને વશીભૂત કરવામાં ચૂર્ણની મુષ્ટિ સરખી, ધર્મરૂપી પૃથ્વીના પરમાણુને વિકસિત કરવામાં વૃષ્ટિ સમાન, સકળ જગતને પવિત્ર કરવામાં અસાધારણ શક્તિશાળી શ્રી વીતરાગ પરમાત્માના ચરણકમળની ધૂલી તને પવિત્ર કરે. સરસ્વતીના વિલાસ માટે હંસ સરખા, હંસની જેવી ઉજજવળ કાન્તિવાળા, અતુલ બુદ્ધિમાન, આત્મજ્ઞાનમાં રમણતાવાળા, શ્રેષ્ઠ આસનવાળા વીતરાગ પરમાત્મા હજારો વર્ષો પર્યત તારા હર્ષને માટે થાઓ. સ્વવીર્યથી અસંખ્ય પોપકાર કરવામાં કુશળ હે કુમાર! આ પૃથ્વીપીઠ પર તારા સરખો ગૌરવવાળો બીજે કઈ થશે નહિ એમ હું માનું છું, તે હે વીર્ય. શાલી ! સર્વ પ્રકારે અહિંસક ભાવે અમારું કલ્યાણ કરતે તું મહાતેજસ્વી, વિજયને પ્રાપ્ત કરાવનાર “સાહન” પ્રમુખ જભકાઢોને સ્વીકાર કર.” આ પ્રમાણે બહુ પ્રકારે વાર્તાલાપ કરતાં સમતા રસના સાગર શ્રીધર આચાર્યવયે તેને જંભક પ્રમુખ અસ્ત્રો આપ્યા. અને તરત જ જેનું સૈન્ય આવી પહોંચ્યું છે તેવા નળરાજાને ધર્મોપદેશ આપીને તેને પ્રમુદિત બનાવ્યું. બાદ આગ્રહપૂર્વક નળકુમારની રજા લઈને તે મુનિવર શિષ્ય સહિત સમેતશિખર તીથે ગયા અને તેમની જ આજ્ઞાથી નળ કનકાવલીને હાથી પર બેસારીને તેના પિતાની રાજધાનીમાં પહોંચાડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy