SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૪ ]. શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૧ લે. સર્ગ તેરમે. ~~~~~~~ ~~~ ~~ નહિ અથીત પ્રહર પછી તે ઔષધી પણ નકામી નીવડશે, કારણ કે આ કિલનવિધા મધ્યાહ્ન સમયે જરૂર પ્રાણને હરી લેશે, તે અત્યારે અમને કોણ સહાય કરશે? આ પૃથ્વીપીઠ પર પારકાને ખાતર દુઃખી થનાર કેઈક જ હોય છે. અત્યારે અમારા ત્રણેનું મરણ ચેકસ નજીક આવી પહેંચ્યું છે. આ મારા પૂજ્ય ગુરુ નક્કી મૃત્યુને આધીન બનશે અને જે મારા ગુરુનું મૃત્યુ થાય તે માટે પણ અણસણ જ સ્વીકારવું પડશે, કારણ કે પહેલાં મેં પણ ગુરુ સાથે જ મૃત્યુ અંગીકાર કરવાનું કહયું–સ્વીકાર્યું છે. અરે ! અરે! અફસોસની વાત છે કે-આ રાજપુત્રીનું રક્ષણ કરવા છતાં પણ ખરેખર રીતે તેનું રક્ષણ થઈ શકયું નથી, કેમકે જ્યારે ગુરુનું મૃત્યુ થશે ત્યારે વિચક્ષણ તેણી પણ પોતાના પ્રાણને ત્યાગ કરશે.” આ પ્રમાણે શોથી પીડા પામતા તે તપસ્વી મુનિવરની વાણી સાંભળીને પારકાના દુઃખે દુઃખી થયેલે અને ઊંડા નિસાસો નાખતે નળ તેમના પ્રત્યે બોલે કે-“હે તપાવી ! હું રાજપુત્ર છું અને બત્રીસ લક્ષણે મારામાં છે. અત્યંત ક્રોધવાળા યમરાજથી પણ મને ભય નથી, પરંતુ સર્વ પ્રકારે શક્તિશાળી મારે અશ્વ એક પ્રહર માત્રામાં પુંડરીક પર્વત પર જવા-આવવાને સમર્થ થઈ શકે તેમ નથી. આ પૂજ્ય પુરુષ પણ શક્તિહીન બનતા જાય છે અને હવે તેઓ લાંબા સમય પસાર કરે તેવું મને લાગતું નથી. પારકાનું કાર્ય સાધી આપવામાં અશક્તિમાન અને મિથ્યાભિમાની મને ધિક્કાર હો !” આવા પ્રકારની નળની વાણી સાંભળીને પ્રમોદ પામેલા શિખે જણાવ્યું કે–“હે કુમાર ! તારા આગમન માત્રથી જ સઘળાં કાર્યો ખરેખર સિદ્ધ થયાં છે, કારણ કે મારા ગુરુ દેવની મહેરબાનીથી પ્રાપ્ત થયેલ સામાન્ય તેમ જ વિશેષ બળનું પૃથક્કરણ કરનાર “અશ્વકળા ” નામને મંત્ર મારી પાસે છે. તે ઉત્તમ પુરુષ ! પાઠસિદ્ધ મારો આ મંત્ર તું સ્વીકાર કે જેના માહાયથી અશ્વો પણ પક્ષીઓની પેઠે ઊડી શકે છે, ત્વરિત ગતિવાળા બની શકે છે, કારણ કે મંત્ર શીખ્યા પછી ગમન કરવાની ઈચ્છાવાળા કઈ પણ દૂર કે નજીક, ટાઢ કે તડકે, ભૂખ અથવા તરસ તેમજ જમીન યા આકાશ કંઈ પણ જાણતા નથી તે મંત્રાધિષિત અશ્વ પર ચઢીને જતાં એવા તારા માટે પુંડરીક પર્વત બસો એજન દૂર હોવા છતાં નજર સમક્ષ જ છે, અર્થાત્ તું અવારા ત્યાં જલ્દી પહોંચી જઈશ. તે પર્વતના સૌથી શ્રેષ્ઠ શિખર પર ત્રણ પાંદડાંવાળી, તિકત–તીવ્ર ગંધવાળી, વેત પુષ્પવાળી, હંમેશાં ફળ આપનારી, હિંસક જાનવરોથી વ્યાપ્ત તે ઓષધી છે. ” આ પ્રમાણે કહીને તેણે નળકુમારને તે મંત્ર આપ્યો એટલે તેના દ્વારા મંત્રાધિષિત બનેલ અશ્વ અર્ધા પ્રહરમાં તે પર્વત પર પહોંચી ગયો. ત્યાં આગળ સિંહ વિગેરેને પરાભવ કરીને, તે શ્રેષ્ઠ દિવ્ય ઔષધી લઈને તેટલા જ સમયમાં એટલે કે અર્ધ પ્રહર માત્રમાં જ પાછે તે મુનિવર્ય સમક્ષ આવી પહો . બાદ તે ઔષધીના સ્પર્શમાત્રથી જ તે મુનિ બંધનમુક્ત બન્યા એટલે પુન: ચિતન્યને પ્રાપ્ત થયેલા તેમણે નળરાજાને નીચે પ્રમાણે ધન્યવાદ આપે: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy