SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ નળરાજાનું પુંડરીક પર્વત પરથી ઔષધિનું લાવવું. [૪૩] ઝાડ પાસે આવી પહોંચ્યો. ત્યાં આગળ શીશમના થડ સાથે બંધાયેલ, આઠે અંગથી જકડાયેલ, કોઈએક કન્યા યુક્ત રુદન કરતાં શિષ્યને તેમજ મોનભાવે રહેલા મુનિવરને તેણે જોયા ત્યારે તેના પૂછવાથી રુદન કરતો શિષ્ય બોલ્યો કે-“હે કુમાર! આ અમારો વૃત્તાંત લાંબે છે, તે તું લક્ષપૂર્વક સાંભળ:– શ્રેષ્ઠ ગુણશાળી શ્રીમાન આ શ્રીધર નામના ચૌદ પૂર્વ ધારી મુનિવર તીર્થયાત્રા નિમિત્તે સમેત્તશિખર ગિરિવરના દર્શન કરવા નીકળેલ છે. થાકી ગયેલા આ મુનિશ્રેષ્ઠ આ સરોવરના કિનારા પર વિસામો લીધો અને હું તે પૂજ્યની ક્ષણમાત્ર વૈયાવચ્ચ કરવા લાગે તેવામાં કોઈએક દુરાચારી અને અધમ વિદ્યાધર આ રાજપુત્રીનું હરણ કરીને આકાશમાર્ગે જવા લાગ્યું. તે જેટલામાં જાય છે તેટલામાં તે આ કન્યાના પ્રેમી કોઈ એક વ્યક્તિએ તે વિદ્યાધરની સામે આવીને આકાશમાં જ તેને માર્ગ રુપે એટલે તે બંનેનું ખનું તેમજ હાથોહાથ ધંધનું યુદ્ધ થયું. તે સમયે ચંચળ નયનવાળી આ કુમારિકાએ પિતે પોતાની જાતને વિમાનમાંથી છૂટી કરી અને ચપળ તરંગવાળા આ સરોવરને માથે પડતી મૂકી અને સરોવરને જલ્દીથી તરી જઈને વિચક્ષણ તે રાજકુમારી હે પૂજ્ય! મારું રક્ષણ કરો! મારું રક્ષણ કરો !” એમ બેલતી મુનિ સમીપે આવી પહોંચી. અને કહેવા લાગી કે “હું જલંધર દેશના રાજાની કનકાવલી નામની પુત્રી છું અને આ વિદ્યાધરના ભયથી ત્રાસ પામેલી હું આપના શરણે આવી છું.” આ પ્રમાણે પ્રાર્થના કરતી અને ભયભીત બનેલી તેને આશ્વાસન આપીને વિદ્વાન મુનિપુંગવે જાંગુલી વિદ્યાના પ્રભાવથી તેને સર્વાગે સુરક્ષિત બનાવી. તેવામાં પિતાના પ્રતિસ્પધી શત્રુને જીતીને પ્રહારથી જર્જરિત શરીરવાળો તે અધમ વિદ્યાધર આ મનોહર મુખવાળી કન્યાને ગ્રહણ કરવા માટે અહીં આવે, પણ જેમ પુણ્યવિહીન પ્રાણી ભંડારમાં રહેલી લક્ષ્મીને સ્પશી શકે નહિં તેમ વિદ્યાના પ્રભાવથી ભયંકર સર્ણોદ્વારા વ્યાપ્ત બનેલી તેણને અંગુલીથી પણ સ્પર્શ કરવાને શક્તિમાન થયે નહિ. મુનીશ્વરની આવા પ્રકારની શક્તિ જાણુને ક્રોધને કારણે લાલ લોચનવાળો અને શસ્ત્રોના પ્રહારોથી જર્જરિત બનેલે તે પાપી વિદ્યાધર મુનિને જકડીને-થંભિત કરી દઈને ચાલ્યો ગયો. કર્મ-નિજર કરતાં આ પૂજ્યવર્ય તે બધું કષ્ટ સહન કરે છે. મોક્ષના અભિલાષી સત્ત્વવંત પુરુષો કદાપિ પોતાના પ્રાણની રક્ષા કરતા નથી-કરવા ઈચ્છતા નથી અથત પારકાના દુઃખ નિવારણમાં જ પિતાનું વીર્ય ફેરવે છે. પુંડરીક(શત્રુંજય)પર્વત પર “માયા નિર્મૂલની” નામની શ્રેષ્ઠ ઔષધી છે, પરંતુ બત્રીસ લક્ષણવાળો કઈ મહાસાહસિક યુવાન રાજપુત્ર તેની શાખાને જલદીથી લાવે તે આ ઉપદ્રવ-ઉપસર્ગ દૂર કરી શકાય. સિંહ, વાઘ અને વરુથી વ્યાસ તે દિવ્ય ઔષધીને જલદી લાવવા માટે કોઈ પણ સવિશે પુરુષ સમર્થ થઈ શકતો નથી. એક પ્રહર પછી જે તે દિવ્ય ઔષધી લાવવામાં આવે તે પણ તેનાથી કોઈ પણ હેતુ સરશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy