SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ભીમરાજાને દમનક મુનિને આશીર્વાદ. [૩૩] બેલ્યા કે-“જે તારા જેવા ભવ્ય જીવો ઉપભોગ (ઉપયોગ) કરનારા ન હોય તે તપશ્ચર્યા દ્વારા પ્રાપ્ત થતી લબ્ધિઓ પણ ખરેખર નિષ્ફળ નીવડે. સદભાગ્યની વાત છે કેહે રાજન ! તારા ભક્તિભાવથી હું અત્યંત આનંદિત થયો છું. જો કે સાધુપુરુષે સંસારી જીથી નિઃસંગી હોય છે તે પણ અરિહંત ભગવાનના ઉપાસકો-શ્રાવક જને પરત તે તે બાંધવતુલ્ય જ છે અર્થાત તેઓના પર આવી પડતાં કષ્ટોને નિવારવાને પોતાની તપલબ્ધિને ઉપયોગ કરે છે. જેમ સમુદ્ર મથે વારંવાર ઉત્પન્ન થતાં કરોડો કલોમોજાંઓ પાછા તેમાં જ ગરકાવ થઈ જાય છે તેમ જે અગાધ જ્ઞાનરૂપી સાગરમાં હરિ-વિષ્ણુ, હર-શંકર અને બ્રહ્મા વિગેરે પણ લયલીન બન્યા છે તે અવર્ણનીય, નિર્મળ, અનુપમેય, અબાધિત, અવિભાજ્ય, શાશ્વત અને અગમ્ય એવું અસાધારણ જ્ઞાન તારા સખાને વિસ્તારો-તારુ મંગળ કરો. * यस्मिन् यान्ति लयं पुनः पुनरपि प्रत्युद्गताः कोटिशः कल्लोला इव वारिधी हरिहरब्रह्मादयस्तेऽपि हि। . निर्युत्पत्ति निरञ्जनं निरुपम निष्केवलं निष्कलं नित्यं निर्विषयं तनोतु परमं तद् ब्रह्म शर्माणि ते ॥ ३२ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy