SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ | [ ૩૨ ] શ્રી દમયંતી ચરિત્ર ઃ સ્કંધ ૧ લે. સગ ચે. (વપ્નમાં) દર્શન કર્યું, એટલે તેઓ બંને બેલ્યા કે–“સેવકરૂપ બનેલ દેવ, દાનવ અને માનવથી થતુતિ કરાયેલી શત્રુની સેના સમૂહને ભયભીત કરનાર છે ચક્રેશ્વરી દેવી! તમને નમસ્કાર થાઓ. હે માતા ! હે ત્રણ ભુવનને અંકુરિત કરવામાં મેઘમાળા સમાન ! હે અતિ સૌંદર્યશાળી ! હે સિદ્ધિદાયક હસ્તવાળી ! હે મહાકાળી! તમને પ્રણામ થાઓ. સમગ્ર પાપના નાશને માટે, દુર્જન પુરુષના વિનાશને માટે તેમજ દારિદ્રયને પાર પામવાને માટે છે નારાયણી ! તમને વંદન હો !” આ પ્રમાણે ભાવભીની ગદગદ વાણીથી સ્તુતિ કરતાં તે બંનેને વિચરતી જગમ કલ્પવેલડી લત્તા સરખી, જગતની માતા ચક્રેશ્વરી દેવીએ કહ્યું કે– “હે વત્સ! તમારા બંને પર હું તુષ્ટમાન થઈ છું. આ તમારો નિયમ (પ્રતિજ્ઞા) પૂર્ણ કરે. પ્રાત:કાળમાં જ મારાથી પ્રેરણા કરાયેલ, શમતા રસના સાગર, યોવનથી દીપતા, દમનક નામના ચારણશ્રમણ મુનિવર અત્રે આવીને પોતાની લબ્ધિદ્વારા તમારા બંનેની ઈચ્છા પરિપૂર્ણ કરશે.” આ પ્રમાણે કહીને જગદંબા ચકેશ્વરી દેવી અંતર્ધાન થયા બાદ રાજમહેલમાં રહેલા તેઓ બંનેએ રાત્રિના પ્રાંતભાગે નિદ્રાને ત્યાગ કર્યો. બાદ પ્રાત:કાળનું કાર્ય કરીને, ભકિતપુરસ્પર દેવપૂજાદિ વિધાન પતાવીને સ્વપ્નના અર્થને વિચાર કરતા તેઓ જેવામાં આશ્ચર્યમાં મગ્ન થાય છે તેવામાં કમળના કિંજલકરેસાના ગર્ભ (અંદરને ભાગ) જેવી વેત કાંતિદ્વારા આઠે દિશાઓમાં સુવર્ણ વૃષ્ટિ કરતા, હાથમાં ગ્રંથપુસ્તક હોવા છતાં નિર્ચથી-કષાયાદિકથી રહિત, શ્રી-શોભા યુકત હોવા છતાં લક્ષમીરહિત એવા આકાશમાર્ગથી આવતા કેઈએક મુનિપુંગવને બંનેએ જોયા એટલે વિકસ્વર રોમરાજીવાળા ભીમનુ પતિએ પિતાની પત્ની સાથે, રાજમંદિરમાં આવી પહોંચેલા તે મુનિવરને અંજલી જેડવાપૂર્વક સામાં જઈને સત્કાર કર્યો. પછી અતિ હર્ષિત થયેલા નૃપતિએ તે મુનિને સુવર્ણના આસન પર બેસારીને ત્રણવાર પ્રદક્ષિણા આપીને પ્રિયા સહિત જલ્દી પ્રણામ કર્યા બાદ મુનીશ્વરની સન્મુખ નીચા આસન પર બેઠેલો અને વિકસિત નેત્ર તેમજ પ્રસન્ન મુખવાળ ભીમ તૃપતિ બોલ્યો કે- “આજે મારા હાથમાં ચિંતામણિ રત્નની પ્રાપ્તિ થઈ છે. ખરેખર આજે મારે આંગણે કલ્પવૃક્ષ ઊગ્ય છે; કારણ કે આપ પૂજ્યને મને મેળાપ થયો છે.” આ પ્રમાણે રાજાએ કહ્યું એટલે ઉચ્ચાભિલાષી રાજા પ્રતિ સંતુષ્ટ થયેલા અને સમતા રસથી વિભૂષિત તે દમનકમુનિ * સારું સ્વપ્ન આવ્યા પછી તરતજ જાગી ઊઠવું અને શેષભાગ ધર્મકાર્યમાં વીતાવો એવું શાસ્ત્રમાં ફરમાન છે. + सग्रन्थं ग्रन्थनिर्मुक्तं, सश्रीकं श्रीविवर्जितम् । दृष्टवन्तौ तमायानाम-न्तरिक्षान्मुनीश्वरम् ॥ २४ ॥ [ સંધ ૨, ૩ ૧]. ગ્રંથી–ગાંઠ. તે દ્રવ્ય ને ભાવથી બે પ્રકારે છે. દ્રવ્યથી નવ પ્રકારને પરિગ્રહ અને ભાવથી રાગ-દ્વેષાદિ કષાયો. તે ગ્રંથીથી જે રહિત હોય તે નિગ્રંથ કહેવાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy