SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સોમકલાની નળરાજાને પ્રાર્થના અને દિવ્યવાણી હંસે કરેલી નળની પ્રશંસા. [ ૨૯ ] આપ ! જોઈએ તે મારા અને તેના સર્વ અલંકારો આ૫ ગ્રહણ કરે, પરંતુ હે દેવ ! મારા ધણીના પ્રાણનું તમે રક્ષણ કરો-તેને બચાવે. હું આપની દાસી બની રહું, આપ મારું બલિદાન કરો અથવા આપ મહારાજ ભલે મને મારી નાખે. હે રાજન ! હું તમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. મારી ઉપર કરુણા કરે.” ગુરુજન વિષે આજ્ઞાંકિતપણું, વૈરીઓને વિષે પરાક્રમશીલતા અને દીનજનો પ્રત્યે દયાળુપણું–આ ત્રણ મહાન પુરુષોનાં લક્ષણે છે. હે રાજન! અમારા ટેળાના આ નાયક વિના મારા પ્રાણત્યાગ થશે અને આ બધા નિનાયક પક્ષીઓ મૃત્યુને શરણ થશે.” આવી રીતે સમકલા હંસી વિલાપ કરતી હતી તેવામાં અચાનક રાજાને ઉદ્દેશીને આકાશમાં કર્ણપ્રિય દિવ્ય વાણું થઈ કે-“હે મહારાજ ! મોહને ત્યજી દઈને આ રાજહંસને છોડી મૂક. આ હંસ દમયંતીને મેળવી આપવામાં તારું દૂતપણાનું કાર્ય કરશે. ” આ પ્રમાણેની આકાશવાણું તેમજ સમકલાના વચને સાંભળીને અત્યંત આશ્ચર્યમાં મગ્ન બનેલા અને પ્રસન્નતા પામેલા નળે જવાબ આપે કે-“હે ભેળી હંસી! તું આવા પ્રકારના વચનો બોલ નહિ. હે ચતુરા ! તારી કુશંકા દૂર કર, મારી પ્રત્યેની કેાઈ પણ જાતની ભીતિ રાખ્યા વગર તું તારા સ્વામી હંસની સાથે સુખપૂર્વક સંચર, અર્થાત તું તારા સ્વામીને લઈ જા. હે ભાગ્યશાલી હંસી ! રાજર્ષિના વંશમાં જન્મેલા મને તું સપુરુષનું રક્ષણ કરનાર અને દુર્જનને દમનાર જાણ. હે ભેળી હંસી! ફક્ત કુતુહલના કારણે જ કલ્યાણકારી માનીને વિવેકી, વિનયશાલી, વિચક્ષણ, સમૃદ્ધિમાન, સૌમ્ય-સરળ સ્વભાવી, શાન્ત, પવિત્ર, મનહર રૂપશાળી તેમજ દીર્ઘજીવી આ હંસ મારા વડે ક્ષણભરને માટે મારા નેત્રોના ઉત્સવરૂપ કરાયે હતું એટલે કે માત્ર કુતુહલતાથી તેને પકડીને મારા નયનને આનંદ પમાડ હતા. અણધારી રીતે ઉપસ્થિત થયેલ તમારે જે સમાગમ થયે છે તે મને આકાશમાંથી પડેલા અને હાથમાં જ પ્રાપ્ત થતા ફળની જેવો લાગે છે, કારણ કે તમારા પ્રત્યે બતાવેલ અગ્ય આચરણના કારણે જ પ્રગટેલી આકાશવાણી વિરહસાગરમાં ડૂબતા-ગરક બનતાં મારા માટે વહાણ સરખી નીવડી છે.” આ પ્રમાણે કહીને રાજાઓના સમુદાયમાં વિઘણુ સરખે નળ બેલતો બંધ થયે એટલે જાણે પ્રેમપૂર્વક હસતે હોય તેમ હંસરાજ ફરીથી બે કે-“હે સ્વામિન ! આ મારી સ્ત્રી તમારા વાત્સલ્યને જાણતી નથી અને તેથી જ બીજા રાજવીઓને સામાન્ય એવી કરતાની તમારા વિષે કલ્પના કરે છે. ત્રણ જગતના પ્રાણી માત્રને અભય આપવામાં સમર્થ નળરાજની તુલ્ય શીકારી સરખા બીજા રાજાઓ હોઈ શકે જ નહિં. સરસ્વતી * भजतो भारती देवी, भुजतो भारती भुवम् । बिभ्रतो भारती शाखां, भूयास्तां भारती तव ॥ ३१ ॥ [ સર્જાઇ ૨, ૪ ૮ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy