SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ تعرفحا يجعلها في محلف સર્ગ આઠમે. [ હંસને મુક્ત કરવા હંસીએ કરેલ નળનુપને પ્રાર્થના : આકાશવાણું : હંસની મુક્તિ અને કથન.] તારા ઝરપpxઅરxoxમણસ્ત્ર છે. પછી તે નિષધપતિ અંત:કરણમાં વિચાર કરવા લાગ્યું કે-“અરે! લાંબા સમય toeીરના કલાક પછી આ કંઈક જોવાય છે. આ લાખે પક્ષીઓ કોણ હશે? તેઓનો આ નાયક કોણ હશે? આ હંસના મુખમાં આવી મનેહર વાણી કયાંથી? અરે ! સર્વ સ્થળે પક્ષીઓ તે પીંછાની શેભાવાળા હોય છે તેને બદલે આ હંસને આવી જાતના રનના આભરણે કયાંથી? જે પ્રકારે તેની શ્રેષ્ઠતા દેખાઈ રહી છે, તથા જે પ્રકારે તેના ગુણને આવિષ્કાર દેખાઈ રહ્યો છે તેથી જણાય છે કે પક્ષીરૂપે આવેલે આ કઈ દેવ છે. સ્વેચ્છાથી અથવા કેઈ કાર્યના હેતુથી, શાપને અંગે અથવા માયા-પ્રપંચથી વિવિધ રૂપને ધારણ કરનારા પ્રાણીઓ જગતમાં વર્તે છે. જાણે મારું મનવાંછિત તરતમાં જ મને પ્રાપ્ત થવાનું હોય એમ સૂચવતો હંસને પકડી રાખનાર આ મારો જમણો હાથ ફરકે છે, જેને અંગે મારા મનની પ્રસન્નતા થઈ રહી છે તેથી હું માનું છું કે-આ હંસનું દર્શન ખરેખર નિષ્ફળ થશે નહિ.” આ પ્રમાણે વિચારતાં અને આશ્ચર્યથી વિકસિત નેત્રવાળા નળરાજા પ્રત્યે જાણે ભયભીત બની હેય તેમ સેમલા હંસી નમ્રભાવે તરત જ વિજ્ઞપ્તિ કરવા લાગી કે – “હે મહારાજ! આપે આ અણઘટતું શું કર્યું ? કારણ કે હું રાજાઓની મધ્યે સિંહ સમાન ! ખરેખર આપે જગતમાં “પુણ્યશ્લોક ” એવું બિરુદ પ્રાપ્ત કર્યું છે તેથી જ અંત:કરણમાં આપને દઢ વિશ્વાસ રાખીને દૂર દેશથી અમે આપના દેશમાં વસવાટ કરવા માટે આવ્યા છીએ, તે શા માટે આપ મારા સ્વામીને પકડવાને ઈચ્છો છે? આમ કરવાથી આપને શું વિશ્વાસઘાતનું પાપ નહિં લાગે? અરે! અરે! અમારા માટે આ શું બન્યું ?—આ શું સંકટ આવી પડયું ? જેના દ્વારા રક્ષણ મળવું જોઈએ તેનાથી જ ભય ઉત્પન્ન થયો છે, અર્થાત્ “વાડ ચીભડા ગળે” તેવું થયું. શું કદી પણ ચંદ્રથી અંગારાની વૃષ્ટિ થાય ખરી? જે માત્ર દૂધ અને પાણીનું પૃથક્કરણ કરવામાં વિચક્ષણ છે તે મારા સ્વામી વિવેકી હંસને મારે આપને ઘટે નહિ. હે મહારાજ ! મારા પ્રાણાધારને છોડી ઘૉ. હે નિષધસ્વામી! મારા પર મહેરબાની કરો! અને મને મારા સ્વામીની ભિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy