SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ બાલચંદ્રંસનું પૃથ્વી પર આગમન. [ ૨૭ ] વ્યાસ, સાગ વૃક્ષેાની શ્રેણી યુક્ત, ભૂમિ ઉપરના કમળાથી રમણીય, સિદ્ધપુરુષ તેમજ ગાંધોથી સેવવા લાયક, રત્નાની બનાવેલ ભીંતાવાળા, મૂલ્યવાન વૈડુ મણિના શિખર વાળા તેમજ રતિક્રીડામાં રક્ત કિન્નાના જૂથવાળા આ ક્રીડાપર્વત છે. ભમરાઓએ ડાલાવેલ કમળેાના સમૂહમાંધી ઉછળતી પરાગના સમૂહથી મિશ્રિત પાણીવાળુ અને સધ્યાસમયની લાલીમા દર્શાવતું આ ક્રીડાસરેાવર, છીપ જેવા સ્વચ્છ તારા ગણુથી વિભૂષિત આકાશ જેવું છે. હું શત્રુનુ' ઉચ્છેદન કરનાર રાજા ! પાણીથી શેાભતા, કમળની કળીઓના સમૂહથી મનેારમ શીતળ સ્થાનેામાં આ હાથણી રતિસુખના સંગને ઇચ્છે છે. સમગ્ર વાજિંત્રના નાદને જીતવાપૂર્વક મનાતુર ધ્વનિ કરતા અને હાથણી પાછળ ઉત્ક - તિ અનેàા આ હાથી, શીતળ જળમાં સ્નાન કરીને કમળના કાશ( ડાડા )થી ચઢીયાતી સૂંઢના અગ્રભાગને દરેક જળસ્થાનામાં ફેંકી રહ્યો છે. હું સિ' જેવા સુંદર મુખવાળા ! હું સૂર્ય સમાન તેજસ્વી ! હું વિષ્ણુ× જેવા બળશાળી ! હું ઇંદ્ર સરખા સુદર સમૃદ્ધિવાળા ! હે નરશ્રેષ્ઠ ! મનેાહર કમળાવાળું આ પુંડરીકવન-કમળલન ખરેખર શૈાલી રહ્યું છે. '' આ પ્રમાણે તે મૃણાલલતિકાથી વધુ વાચેલા વનના આંતરિક વિભાગેાનુ વ્યાકુળ મનવાળા રાજા જેવામાં નિરીક્ષણ કરે છે તેવામાં પ્રકાશિત સેકડા ચંદ્રમાના સમૂહને પણ તિરસ્કારતા આકાશનેા મધ્ય ભાગ દેખાયા. “ અરે ! આ શું શંકરનું અટ્ટહાસ્ય પ્રગટી નીકર્યું છે ? શું આ તે હિમાલયના શિખરસમૂહનું પતન થઇ રહ્યું છે ? ” આવી રીતે માણસા અસંખ્ય તર્ક પર ંપરાથી વ્યાકુળ બન્યા તેટલામાં કરાડા રાજહંસા પૃથ્વી પર ઊતરી આવ્યા. પછી પેાતાની પત્ની સાથે નજીકમાં ચાલતા, કંઠમાં રત્નની માળાવાળા, વજ્રમણિના ઝાંઝરથી શૈાભતા, સુવર્ણ કમળના જેવા મુખવાળા પક્ષીઓના સ્વામી ખાલચંદ્ર નળરાજાની નજરે પડ્યો એટલે રાજાએ કૌતુકપૂર્વક સરસ્વતી દેવીની ચરણરજથી વાસિત અનેલ તે 'સને પેાતાના પંજાથી પકડ્યો ત્યારે તે દિવ્ય વાણીથી ખેલવા લાગ્યા કે– << કુમુદના હાસ્યને હસી કાઢનાર, યશવર્ડ સમગ્ર જગતને ખીલાની માફક સ્તબ્ધ કરનાર, હે સકળ શત્રુઓને પરાજિત કરનાર ! હૈ વીર પુરુષાદ્વારા સેવાયેલ આજ્ઞાવાળા નળરાજ ! તમે હુ ંમેશાં જય પામે ! હે રાજેન્દ્ર ! રમણીય ભ્રમરગણુના આનંદને ઉપજાવનાર ઊંચા તમાલ વૃક્ષથી રમ્ય આ આપની વનરાજી શૈાભી રહી છે અથવા તા કડા કે સમાન વયની સહિયરાવાળી, અજન સરખા શ્યામ કેશવાળી કાઇ એક રાજપુત્રી શે।ભી રહી છે.” આ પ્રમાણે અર્થગંભીર, એકધારી, કેામળ વાણી વદતા તે હ ંસે નળરાજાના પવિત્ર મનને આશ્ચર્યમાં ગરકાવ કરે તેવા વૃત્તાંતદ્વારા વ્યાકુળ બનાવ્યું. * जितपुष्करं सकलरुद्ध पुष्करं निनदन्नुदारमनुदारमुत्सुकः । इह शीतलं समवगाह्य पुष्करं प्रतिपुष्करं क्षिपति पुष्करं करी ॥ २५ ॥ ચિાહવત્ર ! રિતુચવીષિતે ! સ્મૃિતિસાર ! હૈંથિવમય !! नरपुण्डरीक ! नवपुण्डरीकवरन्ननु पुण्डरीकवनमत्र राजते ॥ २६ ॥ × વાસુદેવ. Jain Education International For Private & Personal Use Only [જૂથ ?, સફ્ળ ૭ ] www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy