SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૬] શ્રી દમયંતી ચરિત્ર : સ્કર્ષ ૧ લે. સર્ગ સાતમો. તેમજ પક્ષીઓના રહસ્યને જાણી શકતો નથી. તું અપારિજાત- દુશ્મનનો નાશ કરનાર હોવાથી તેને પારિજાત વૃક્ષ યુક્ત, તેમજ તું નિરંજન-નિષ્કલંક હોવાથી અંજન વૃક્ષના સમૂહવાળું આ વન સંરક્ષણ કરવામાં સમર્થ તને પ્રેમ પ્રગટાવી શકતું નથી. વળી હે રાજન્ ! સુંદર પુષ્પના ભારથી લચી પડેલા, મકરંદરસના બિંદુઓને ટપકાવતાં, તેમજ હર્ષજન્ય અશ્રુજળ વરસાવનારા આ તરુવર, ધર્મ-વૃક્ષ જેવા તને વંદન કરે છે. આ બાજુ પ્રકુલિત કરણના ઝાડ પર રહેલ વાંદર, ધીમે ધીમે વહેતી નદીના પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈને ( પ્રતિસ્પધી વાનર માનીને ) સ્વહસ્તમાં રહેલા ફળને વારંવાર ફેકે છે. વળી ખરી પડતા બીજરૂપી મતીઓના કણીયાથી પિતાના ફળરૂપી ખજાનાને વૃદ્ધિ પમાડતા પિપટની ચાંચના અગ્રભાગના ઘસારાની સંખ્યાને આ દાડમણ વિસ્તારતી હોય છે અર્થાત આ દાડમણ સેંકડો પોપટને આકર્ષી રહી છે. વિકસિત પ્રદવનના પારિભદ્ર વૃક્ષના પ્રકુટિલત પુષ્પ-ગુચ્છાઓને કારણે અકાળે ઉપસ્થિત થયેલ સંધ્યાથી ભયગ્રસ્ત બનેલ ચક્રવાક પક્ષી ત્વરાથી લાંબા સમય સુધી દૂર થઈ જાય છે. એટલે કે સંસ્થાને કામ થવાથી તે ચકવાકીને શોધવા વન બહાર નીકળી જાય છે અને ત્યાં સૂર્યનારાયણને તપતે જોઈ પિતાનાં ભ્રમનો નિરાસ થવાથી પાછો આ વનમાળે આવી સ્વક્રીડામાં મશગૂલ બને છે. ચપળ ને હસતો આ વાનર ટોળામાં રહેલ પોતાના સ્ત્રીના સ્તનમંડળને જોત જેતે પાકી ગયેલા નારંગ વૃક્ષના ફળને ચુંબન કરે છે. તેમજ ભમરીઓના કર્ણપ્રિય ગીતધ્વનિને સાંભળીને ખાધેલ વસ્તુ વાગોળતે, સુખપૂર્વક બેઠેલે અને જાણે ચિત્રમાં આળખાયેલ હોય તે આ કસ્તુરી મૃગ “ગ્રથિપણું” નામના વૃક્ષને તેડતા નથી અર્થાત્ ચારો ચર્યા વિના તલ્લીન થઈને ભમરીઓનું સંગીત સાંભળી રહ્યો છે. કૃતમાલ, તમાલ, તાલ (તાડ), હિન્ડાલ, શાલ, સરલ, અર્જુન અને સજે વિગેરે નામવાળા વૃક્ષે યુક્ત તેમજ પ્રકુલિત બકુલ, વજુલ અને આમ્રલતાના મથે રહેલ હંસના સંસર્ગવાળા આ અને તે વનપ્રદેશ છે. અહીં સૂર્યના કિરણોને પ્રવેશ અશક્ય હેઈને શ્યામ શીતળ ભૂમિવાળા વનપ્રદેશોમાં કેકિલ(કોયલ), કપિંજલ, ચક્રવાત, હંસ, ચાતક અને પિપટ પ્રમુખ પક્ષીગણે નિરંતર વાસ કરીને રહ્યા છે. આ ઉપરાંત સારસ, શરારિ, ચકાર, પોપટ, જળકુકડી (ટીંટોડી), વનકુકડો, કપિંજલ વિગેરેથી સુંદર અને ગાઢ કાદવને ખુંદવામાં ચપળ સુવરના અવાજથી વ્યાપ્ત એવા આ નદી-કિનારાઓ અહીં વતે છે. પૂતળીઓના તનના અગ્રભાગમાંથી ઝરતા જળબિંદુઓના પાનમાં તન્મય બનેલા પારેવાઓના સમૂહવાળો, શ્યામ વસ્ત્રસરખા વાદળાઓ દ્વારા હંમેશાં નાચતા મયૂરોના જથ્થાવાળો અને મૃદંગ(ઢાલ)ના જેવો અવાજ કરતો આ વિશાળ કુવારો અહીં રહે છે. વળી વાંદરાઓથી * अपारिजातस्य सपारिजातं निरञ्जनस्यापि धनाञ्जनौघम् । तथापि राजन् ! न तवापि हर्ष वनं विधत्तामवनप्रियस्य ॥ ११ ॥ [ ધ ૨, ૩ ૭] * ચક્રવાક અને ચક્રવાકીનો એ ગાઢ પ્રેમ હોય છે કે સંધ્યા કાળ થતાં જ તેઓ એક બીજાને શોધવા ત્વરાથી અહીંતહીં લાગ્યા કરે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy