SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ હસે પિતાની સ્ત્રી પાસે કરેલ દમયંતીની સ્થિતિનું વર્ણન. [ ૨૩] અફસ ! દેવીના આદેશથી આ પણ બંનેને હવે પૃથ્વી પર જવું પડશે. આજથી આપણા સ્વર્ગીય સુખો દૂર થશે. કપાતે પણ સરસ્વતી દેવી જૂઠું બોલતી નથી. અન્યનું સર્વસ્વ હરી લેવું, અથવા હણી નાખવું અગર તે વેચી નાખવું તે ભલે યોગ્ય હોય પરંતુ પિતાના માબાપ તેમજ સ્વામીની આજ્ઞાને પ્રતિકાર કદાપિ પણ કરો એગ્ય નથી. સમગ્ર દેષોથી કલંકિત બનેલા ધણ, મા, બાપ, સ્વામી, ગુરુ, આચાર્ય તેમજ ઉપકારી વિગેરેની તે પૂજા કરવી જ એગ્ય ગણાય. પારકાનું કાર્ય સાધી આપવામાં હું શૂરવીર છું તે મારા પિતાના માટે હું કેમ પાછો પડું ? સરસ્વતી દેવીના વિમાન તુલ્ય હું હંસ છું તો મારું બુદ્ધિકૌશલ્ય તું જે. દક્ષિણ દિશામાં સ્ત્રીઓમાં શિરોમણિ તેમજ પ્રખ્યાતિ પામેલી ભીમરાજાની દમયંતી નામની પુત્રી છે. જ્યારે મૃગલચની તેણીનો સ્વયંવર થશે ત્યારે ત્યાં આગળ દેવ, દાનવ, મનુષ્ય તેમજ ભુવન પતિ વિગેરે આવશે. ભવિષ્યકાળનું આ વૃત્તાંત જાણીને જ આપણી સ્વામીની સરસ્વતી દેવીએ તે કન્યાની મદદને માટે અને દેવોની મહેરબાનીને માટે મને ભૂમિ પર મોકલ્યો જણાય છે. તેણીના સ્વયંવર--મહોત્સવને ઉપયોગી, સાંભળવા લાયક, જોવા લાયક તેમજ ભિન્ન ભિન્ન ભાષાવાળા કરોડો નાટકો બનાવીને સરસ્વતી દેવીએ ભજવવા લાયક નાટકો ભરત મુનિને અને ગાવા લાયક નાટક નારદમુનિને સમજણપૂર્વક શીખવ્યા છે. સરસ્વતીના આવાસમાં રહેલે હું આ વૃત્તાંત પહેલેથી જ જાણું છું. વળી ગઈ કાલે સંપાતિને પુત્ર સુપાર્શ્વ મને મળ્યો હતે. હે સુંદરી ! દૂર સુધી જોઈ શકનાર, દૂરથી સાંભળવાની શક્તિ ધરાવનાર, મલયાચળ પર્વત પર રહેનાર, પક્ષીઓના રાજા ગરુડનો તે સુપાર્શ્વ પોત્ર થાય છે. દક્ષિણ દિશા સંબંધી લોકોના વૃત્તાંતને તે જાણે છે અને તેણે જ મને કહ્યું છે કે-“દમયંતી નળ પ્રત્યે અનુરાગિણું બની છે.” ચતુર અને મહાપરાક્રમી તે સુપાવે જાતે જ જોયેલ, નળ પ્રત્યે પ્રીતિભાવવાળી દમયંતીની નીચે પ્રમાણેની સ્થિતિ મને જણાવી છે. “રાજસભામાં રહેલા જગતને જીતનાર ભીમરાજાના ખોળામાં બેઠેલી તે દમયંતી, સ્વભુજબળથી ક્રૌંચકર્ણ રાક્ષસનો પરાભવ કરનાર તેમજ ભાટચારણોદ્વારા સ્તુતિ કરાતા તે નળરાજાને વારંવાર સાંભળીસાંભળીને પિતાના કાનને અજવાળે છે અર્થાત કાન ખજવાળવાના મિષથી નળના પુરુપાર્થને કબલ કરી રહી છે. રાત્રિએ સૂઈ ગયેલી તે દમયંતી ભાગ્યશાળીઓમાં શ્રેષ્ઠ અને રૂપવતીના પુત્ર નળને સ્વપ્ન મળે જોઈને વિચારમાં મગ્ન બની જાય છે. તેના મરણ માત્રથી અતીવ રોમાંચ, પરસેવો અને ધજારીથી વ્યાસ બનતી તે ભેળી દમયંતી જાગવા છતાં પણ “શરણહીન બનેલી એવી હું ક્યાં છું ?” એમ સમજી શકતી નથી. મનને વિષે નળરાજા સંબંધી પવિત્ર રાગથી તેના વંશ અને વ્યક્તિત્વના વૃત્તાંતવાળું પરિપૂર્ણ રૂપક-કાવ્ય-નાટક બનાવ્યા બાદ શાસ્ત્રમાં ફરમાવ્યા મુજબ પદ્ધતિએ ગાવાને, તેનું ગળું સુકાઈ જવાને કારણે સમર્થ બનતી નથી તેમજ થાકથી ભીંજાઈ ગએલા આંગળીઓના ટેરવાવડે વીણા વગાડવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy