SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ----- Jain Education International સ છઠ્ઠા. [ સરસ્વતી દેવીનું મેપ ત પર આગમન : પોતાના વાહન હુંસને આપેલ શ્રાપ : હુંસનું પૃથ્વીપીઠ પ્રત્યે આગમન. ] 1000000 10************* આ અવસરે અપ્સરાઓની સાથે સરસ્વતીદેવી નવરાત્રિની ઉત્સવક્રીડા કરવા ગામડા માટે મેરુપર્વત પર ગઇ. ત્યાં આગળ મેરુપર્યંતના શિખર પર સરસ્વતી દેવીની સાથે શ્રી, હી, કીતિ અને કાંતિ વિગેરે દેવીઓએ સુખપૂર્વક ક્રીડા કરી. તે દેવીઓના હુંસ, પોપટ પ્રમુખ કરાડી વાહનાએ તે પ્રદેશમાં આનંદપૂર્ણાંક ભ્રમણ કર્યું. વળી કૌતુકી તે બધી દેવીઓએ સિદ્ધાયતન—જિનાલયમાં કંકણુના અવાજપૂર્વક હાવભાવયુક્ત નૃત્ય કર્યું. પછી સ્વગૃહે જવાની ઇચ્છાવાળી તે દિવ્ય દેવીઓના પ્રયાણુસમયે સરસ્વતી દેવીનુ ં વાહન હંસ હાજર થયા નહિ. બાલચંદ્ર નામના હુંસ પક્ષી પાતાની સેામકલા નામની પત્ની સાથે કમળાના જૂથમાં રતિ-ક્રીડા કરવામાં મશગૂલ અન્યા હતા. યથાયેાગ્ય સમયને નહીં જાણતા તે હંસ પ્રમાદી બનવાથી સરસ્વતી દેવીના કારણે તે બધી દેવીઓને પ્રયાણ કરવામાં વિલંબ થયે. પછી બીજા વાહુનાના અવાજદ્વારા “ આજે અહીં યાત્રા માટે આવવું થયું છે, ” એમ જાણીને લાંબા સમય ખાદ્ય હુંસીની સાથે રતિક્રીડા કરવાથી મસ્ત બનેલ તે હઁસ સરસ્વતીદેવી સમક્ષ આવી ઊભા રહ્યો એટલે કાપિત થયેલી સરસ્વતી દેવીએ તેને કહ્યું કે–“ હું હુંસ ! શિક્ષા કર્યો વિના તુ સુધરીશ નહિ. કાર્ય કરવાના પ્રસંગે તુ પ્રમાદી બને છે અને તીને વિષે પણ તું સાગસુખમાં લ'પટ બને છે માટે હવેથી હુંમેશાં તારા ભૂમિ પર જ વાસ થાઓ. ” સરસ્વતી દેવીએ આ પ્રમાણે શ્રાપ આપ્યા ત્યારે દીનતા દર્શાવતા તે પક્ષીએ ઉત્કૃષ્ટ ભક્તિપૂર્વક પ્રણામ કરીને નમ્રતાસહિત શાપમાંથી શીઘ્ર મુક્ત થવા માટે મહેરખાનીની માગણી કરી. વળી તે હુંસની મુક્તિની ખાખતમાં બીજી દેવીઓએ પણ વિન ંતિ કરી એટલે શરમાળ અનેઢી સરસ્વતી દેવી મેલી કે—“ જ્યારે તારું' કરાવેલું કાઇ પણ કાર્ય કે જે દેવ, દાનવ અને માનવદ્વારા પશુ અલંધનીય ખનશે ત્યારે તુ શાપમાંથી છૂટા થઈશ. ત્યારખાદ સ્મરણ માત્રથી હાજર થયેલા બીજા હુંસ પર આરોહણુ કરીને વીણા વગાડતી વગાડતી પરમેશ્વરી શારદાદેવી ત્યાંથી વિદાય થઈ ગઈ. "" પછી તે 'સે પેાતાની પ્રિયાને કહ્યું કે—“ હૈ કાન્તે ! છું આવી પડયું તે તું જો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy