SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ הלהבהב הב הכתכתכוכתכתבתכתבתבותבתם સર્ગ પાંચમો. UÇUCUcu -૦RUBBER [ નળરાજાની કામપીડા ] 口母修长长分会会创爸爸 આ પશ્ચિમ દિશાના મુસાફરે કહેલ સર્પના ઝેર તુલ્ય વૃત્તાંતને સાંભળે ત્યારથી --@ --- માંડીને નળરાજાનું મન વ્યાકુળ બન્યું. સાંભળેલી કથા માત્રથી પ્રગટેલા પ્રેમરૂપી રોગથી પીડાયેલા તે નળરાજાને મધ્યરાત્રિએ કે મધ્યા, રાત્રિએ કે દિવસે, પ્રાત:કાળમાં કે સંધ્યા સમયે, મુહુર્ત માત્ર કે એક ક્ષણ પણ, ગૃહમાં કે ગૃહદ્યાનમાં, એકાંતમાં કે સભામળે, કીડાપર્વત પર કે વાવમાં, છાયામાં કે તડકામાં, પિતાથી અગર બીજા દ્વારા લેશમાત્ર પણ શાંતિસુખ પ્રાપ્ત થયું નહિ. “જેની જ્ઞાતિ તેમજ નામ પણ જાણવામાં આવ્યું નથી તેવી, દૂર દેશમાં રહેનારી કોઈ એક વ્યકિતવડે હું કેવી રીતે ઝકડાઈ ગયો? અર્થાત્ પરાધીન બન્યો? તેનું વૃત્તાંત, જ્ઞાતિ કે કુળ વિગેરે જાણવામાં આવે તે પણ માત-પિતાને પરવશ અને બીજા પ્રત્યે સનેહશીલ તે કન્યા મને અત્યંત પ્રિય હોવા છતાં પણ મારે સ્વાધીન કેવી રીતે કરી શકાય ? સકળ કાર્યરૂપી વૃક્ષોને દ્વેષી, એક માત્ર સંતાપરૂપી ફળને દેનાર કામદેવરૂપી કઈ જાતનો દાવાનળ મારા શરીર વિષે ઉત્પન્ન થ છે? જેવી રીતે આશરો લેનાર વ્યકિત પિતાના આશ્રયસ્થાનને જ નષ્ટ કરે તેવી રીતે માનસિક વિકારરૂપ પાપી કામદેવ પિતાના આશ્રયસ્થાન જેવા મારા મનને પીડી રહ્યો છે. પ્રજારી, પરસેવો વિગેરે લક્ષદ્વારા ઓળખાતે આ કામદેવ નિંદાને પાત્ર એવા આમ(અજીર્ણ) રેગ જેવો કહેવાય છે. હરિકૃષ્ણ અને હર-શંકર પ્રમુખ પણ સ્ત્રીનું મુખ જેવા માત્રથી પરવશ બન્યા છે તે શુદ્ધ પ્રાણીઓની તો વાત જ શી ? ખરેખર પાંચ ઇદ્રિરૂપી મુખવાળો તે કામદેવ અસાધારણ કેશરીસિંહ જેવો છે. વળી તે સેવન કરવા છતાં પણ પ્રાણીઓને મૃત્યુ પમાડે છે, કારણ કે પતંગીયું, ભમર, હરણ, હાથી અને માછલું એક એક ઈદ્રિયના પરવશપણુથી મૃત્યુને આધીન થાય છે તે જે * પૂજારી, પરસે, મૂચ્છ, બેચેની વિગેરે દશ પ્રકારની કામદેવની દશા હોય છે. જયારે છેલ્લી દશમી દશાને પ્રાણી પ્રાપ્ત થાય ત્યારે તે મૃત્યુ પામે છે. * “આમ” જાતના અજીર્ણ રોગની પણ દશ દશા હોય છે તેથી “ કામ” ને તેની ઉપમા આપી છે. + કેશરીસિંહને પાંચ મુખ હોવાની માન્યતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy