SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૧ લે. સર્ગ ચોથ. અલોકિક એવું તેનું એક ચિહ્ન મેં જોયું કે જેનું વર્ણન બીજાને કહેવામાં આવે તે પણ વિશ્વાસપાત્ર બને નહીં. હે ભૂપાળ! તે કન્યાના લલાટમાં સૌંદર્યરૂપી રાજ્યની ધ્વજા તુલ્ય અને ઊગતા અરુણની જેવી કાન્તિવાળું પવિત્ર નિર્મળ તિલક હતું. હે પૃથ્વી માતા ! હે દેવી! ખરેખર તું રત્નગર્ભા છે! તે પુરુષ ધન્ય થશે કે જેની તે કન્યા અર્ધાગિની-પત્ની બનશે. ગુપ્ત રીતે તેના રૂપને જોવામાં કોતુહલવાળો હું તેની નજીકમાં રહીને લાંબા સમય સુધી આ પ્રમાણે વિચારી રહ્યો હતો તેવામાં આ૫નાવડે જેમ હું પુછાયે તેવી જ રીતે તેણીથી પુછાયેલા ઉત્તર દિશાના કેઈએક મુસાફરે પ્રશંસાપૂર્વક વર્ણન કર્યું, ત્યારે તે મુસાફરદ્વારા વર્ણવાયેલા ઉત્તર દિશાના કોઈ એક રાજવીનું અત્યંત પ્રશંસા પાત્ર ચરિત્ર મેં પણ સાંભળ્યું. તે મુસાફરે તેણીને આ પ્રમાણે સંભળાવ્યું હતું કે-“તું સૌભાગ્યરૂપી અમૃતની સાગર સમાન છે જ્યારે તે સૌંદર્યરૂપી અમૃતના સમુદ્ર સમાન છે. તમારા બંનેને યેગ્ય સમાગમ થવામાં વિધિ-ભાગ્ય દેવીને પ્રયત્ન સફળ થાઓ.” રોમાંચપૂર્વક, ઉત્કંઠા યુક્ત તેણીએ તે વિચક્ષણ પુરુષ દ્વારા વર્ણવતી વ્યક્તિનું વર્ણન સાંભળ્યું કે તે વર્ણવાયેલી વ્યક્તિનું હું નામ પણ જાણી શક્યો નહિ. હે રાજેન્દ્ર ! જ્યારે મનહર સ્વરૂપવાળી તે સ્ત્રી ચાલી ગઈ ત્યારે શૂન્ય મનવાળો તેમજ ખીલાની માફક સજજડ બની ગયેલે હું તે જ વડલા નીચે લાંબો સમય બેસી રહ્યો. જાણે મારી સમક્ષ હજી તેણુ ઊભી ન હોય તેમ કમળાંગીને હું મારા હૃદયમાંથી દૂર કરી શકતા નથી, પણ અત્યારે તેણના સરખા આપના મને રમ દર્શનથી તે જાણે બેવડાઈ ગઈ હોય, બે રૂપે ભિન્ન ભિન્ન થઈ ગઈ હોય તેમ મને લાગે છે અર્થાત આ૫ સૌંદર્યમાં તેનાથી લેશ માત્ર પણ ઉતરતા નથી. હવે વારંવાર વધારે કહેવાથી શું ? કારણ કે દક્ષિણ દિશામાં તેણીના દર્શનથી અને આ ઉત્તર દિશામાં તમારા પરિચયથી હું ફળિભૂત મનોરથવાળે બન્યો છું રસિક પુરુષોમાં અગ્રેસર ! તમારી સમક્ષ આ વૃત્તાંત મેં કહી સંભળાવ્યું છે. તમારું કલ્યાણ થાઓ. હવે મને રજા આપો હું વેચ્છાએ મારા સ્થાને જાઉં.” આ પ્રમાણે તે ભિક્ષાચરની વાણી સાંભળીને અર્થાત તે કન્યાના રૂપગુણના વખાણ સાંભળીને ચતુર નળ પિતાના રૂપના અભિમાન રહિત બન્યા, ને વિચારવા લાગ્યા કે—સ્ત્રીસમુદાયરૂપી રત્નોની ખાણ સમાન તે દેશ તે મારા જાણવામાં આવે, પણ બ્રહ્માની રચના પણ વિવિધ પ્રકારની છે. આ ભિક્ષુક પણ સત્ય વક્તા છે. આ બધું મળતું આવે છે, પરંતુ તેનું વૃત્તાંત સાંભળીને ધીર છતાં પણ મારું મન કેમ આકુળવ્યાકુળ બન્યું છે ? તેનું દર્શન તે દૂર રહે, તેનું સ્થાનક પણ જાયું નથી, તેમજ તેના નામરૂપી અમૃત પણ પીધું નથી છતાં પણ જેમ ચાંદની પિયણાને જાગૃત-વિકસિત બનાવે તેમ સુપ્ત બનેલા મને વારંવાર જાગૃત કરતી તે બાળા મારા હૃદયમાં પ્રવેશ કરી રહી છે. જેમ મેઘના અવાજથી હૃદયમાં લાગેલું શલ્ય એકદમ ભ્રષ્ટ બને છે–ખરી પડે છે અને મંત્ર-જાપથી ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે તેમ સામાન્ય ભાવે સાંભળેલી આ કન્યાની કથા, જાણે મારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy