SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ભિક્ષાચરે કરેલ પિતાના પ્રવાસનું વર્ણન. [ ૧૭ ] પાલકે પણ નિરપરાધી-નિર્દોષ મુનિવરને ઘાણીમાં નાખીને તલની જેમ પિલ્યા. તે બધા તપસ્વી સાધુઓ કાળધર્મ પામીને સ્વર્ગે સીધાવ્યા. પછી છેલ્લા બાકી રહેલા એક બાળસાધુ માટે સ્કંદકાચાર્યે પાલકને કહ્યું કે-“મને પહેલે ઘાણીમાં પીલીને તારી મનેકામના પૂર્ણ કર. આ બાળસાધુને મારી નજર સમક્ષ પીલાત જેવાને હું શકિતમાન નથી.” એટલે મર્મને છેદવામાં કુશળ તે પાલકે ઊલટા તેમના વચનને તિરસ્કાર કરીને તે બાળસાધુને તેમના દેખતાં જ ઘાણીમાં પીલી નાખે. એટલે બુદ્ધિમાન ને રોષે ભરાયેલા કદકાચાર્યને એટલે બધા ઉગ્ર ક્રોધ ઉદ્ભવ્યો કે જે કોપ આ જગતમાં સમાઈ શકે નહિ. અગ્નિ ઝરતાં મુખને ધારણ કરતાં અને વારંવાર સિંહનાદ કરતા તેમજ ક્રોધે ભરાયેલા તેમણે “કુંભકારકટ” નગરને બાળી ભરમ કરી નાંખ્યું * નાના કીડાથી માંડીને સમસ્ત શહેરને ભસ્મીભૂત કરીને અત્યંત ક્રોધિત થયેલા તેમણે ફરીથી આ પ્રમાણે શ્રાપ આપે કે “જે હું જિનાજ્ઞાન વિરાધક ન હોઉં તે મારા કથનથી આ ભૂમિ કદાપિ કાળે પણ માણસોને વસવા લાયક ન બનો” એટલે નવ જન પહોળું અને બાર એજન લાંબું તે સ્થાન ઉજજડ બન્યું અને તેની સીમા-મર્યાદા તરીકે પાંચ વડલા ઉગાડવામાં આવ્યા છે. આ પ્રમાણે તીર્થોની યાત્રાઓ કરતે, દાની લેકોથી પૂજાતે-સત્કારા અને પરિપૂર્ણ મનેરથવાળો હું મારા દેશ પ્રત્યે પાછો ફરી રહ્યો છું. ચાલતાં ચાલતાં મહાલક્ષમીને પ્રણામ કરીને કાંતિ નામની નગરીથી નીકળેલ હું રસ્તામાં કેઈ એક વડલા નીચે થાક ખાવા બેઠો. તે વખતે મેં એવું કંઈક જોયું કે જે મેં આ જિંદગીમાં કદી કોઈ પણ સ્થળે સાંભળ્યું કે જોયું પણ ન હતું. હે રાજન ! તું તે વૃત્તાંત સાંભળ. તમારું કલ્યાણ થાઓ, કારણ કે ગ્ય વાત પાત્ર-ગ્ય પુરુષને જ કહેવાય છે. ખરેખર આ પૃથ્વી વિવિધ જાતના આશ્ચર્યોથી યુક્ત છે. તે અવસરે જાણે મારા ભાગ્યોદયથી પ્રેરાયેલા હોય તેમ ભીલ લોકોની સેનાથી પરિવરેલી, સેંકડો કંચુકીઓથી વીંટળાયેલી, છત્રને ધારણ કરતી, ચામરવડે વીંઝાતી, સુગંધી પુપરસથી રસ્તાનું સિંચન કરતી, બાલ્યાવસ્થાને કંઈક ધારી રાખેલ છે તેવી ખીલતા યોવનવાળી, હાથણી પર બેઠેલી, પ્રૌઢ સખીવૃંદથી પરિવરેલી અને કોઈ સ્થળે જતી કોઈ એક રાજકુમારીએ ત્યાં આવીને પિતાના પરિવાર સાથે મુહૂર્ત માત્ર વિસામે લીધે. વાણીમાં, વયમાં, વિદ્યાઓને વિષે, આંખમાં, શરીરને વિષે તેમજ વૈભવવિલાસમાં ઉત્કૃષ્ટ અવસ્થાએ પહોંચેલી, આ પૃથ્વીમંડળ પર અદ્વિતીય, તેમજ સુંદર હાસ્યવાળી તે કુમારીને આશ્ચર્ય પામેલા ગામડીયાની જેમ ઉત્કંઠાપૂર્વક અને તૃપ્તિ પામ્યા વિનાના મનુષ્યની માફક મેં લાંબા સમય સુધી જોઈ. વળી સર્વ સ્ત્રી-સમુદાયને વિષે * કેટલેક સ્થળે એવો ઉલ્લેખ મળે છે કે-તેઓએ તે નગરને બાળી નાખવાનું નિયાણું કર્યું. પછી ઘાણીમાં પલાઈને કાળધર્મ પામ્યા બાદ અમિનિકોયમાં દેવ થયા અને પૂર્વનું વૈર સંભારીને તે સમસ્ત નગરને બાળીને ભસ્મ કરી નાખ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy