SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪] શ્રી દમયંતી ચરિત્ર ઃ અંધ ૧ લે. સગ ત્રીજો. બંનેનું પર્વતને પણ કંપાવનારું ભયંકર યુદ્ધ થયું. એ પ્રમાણે પરસ્પર તુમુલ યુદ્ધ થતાં બાહુબલી તે નળે તે રાક્ષસને પિતાના ભાલાથી પૃથ્વી સાથે જડી દીધો ત્યારે ભયંકર આઠંદ કરતો તે તરત જ મૃત્યુ પામે. ગમે તે ભેગે રાક્ષસને રણક્ષેત્રમાં હણને, સમગ્ર તાપસ જનેને જલદી ભય રહિત બનાવીને તે ક્ષણ માત્ર શરીરે થાકવાળો બન્યા-તેણે ક્ષણ માત્ર થાક ઊતાર્યો પરંતુ ત્યારબાદ તરત જ તે સ્વસ્થ ચિત્તવાળો બન્યો. પછી ગરુડના જેવા વેગવાળા પિતાના અશ્વ પરથી નીચે ઊતર્યો એટલે લક્ષમીના મિત્રરૂપ પરિવાર જનનું રક્ષણ કરનાર, શેષનાગ જેવી ભુજાવાળા નળરાજાના નવીન કારરૂપ બનેલા પવનેએ સેવા શરૂ કરી–એટલે કે શીતળ પવન વાવા લાગે. વળી વિકસિત અને પત્રપુષ્પથી લચી રહેલ લીંબડો, કરંબ, જંબ, જંબર, કીર, કટુક, અર્જુન, કેતકી વિગેરે વૃક્ષોવાળી તેમજ ઊંચા તાડ વૃક્ષો અને નાની નાની કેળના પવનવાળી વનભૂમિએ તે રાજાના શરીરના શ્રમને સવ પ્રકારે દૂર કર્યો. વળી હરણ, મયૂર, પોપટ, ચકર, ચાતક, કપિંજલ પ્રમુખ પક્ષીગણવાળી તથા નજીકમાં રહેલ ગાંધર્વના સતત ગીત-ગાનમાં તન્મય બનેલા હરણાવાળી વનરાજીએ પણ તેને અત્યંત આનંદ ઉપજા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy