SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ નલના જીવ કુબેરે કરેલ શ્રી અનંતનાથ ભગવંતની ભક્તિ. [૨૯૩ ] | સર્ગ ચે. છે શુભ કર્મને લીધે બંધાયેલા ભેગાવલિ કર્મને ભેગવવાને માટે નલ રાજર્ષિ --------— પણ કાળધર્મ પામીને ઉત્તર દિશાના સ્વામી કુબેર બન્યા. સાડા સોળ વર્ષની વયવાળા, પુરુષના સ્વરૂપને ધારણ કરતા, પિતાના ઉત્તરચ્છેદ(શા પર પાથરેલ વઢ)ને દૂર કરતા તે કુબેર રત્નના પલંગમાંથી ઊભા થયા. તે સમયે દેવો “જય જય, નંદવર અને ભદ્ર ભદ્ર ” ઉચ્ચ સ્વરે સ્પષ્ટ અવનિ કરવા લાગ્યા. ચામરની શોભાને ધારણ કરતા, ગદાવાળા, મજબૂત દેહને ધારણ કરતા તે કુબેરે સર્વ પ્રકારે વિકસિત બનેલા વડલાની શોભાને ધારણ કરી. જેમ બ્રહ્માથી આશ્રિત કરાયેલું કમળ શેભે તેમ કુબેરથી આશ્રિત કરાયેલ મનોહર સિંહાસને શ્રેષ્ઠ શોભાને ધારણ કરી. પૂર્વના નેહને કારણે દમયંતી પણ તેની દેવી તરીકે ઉત્પન્ન થઈ. કેશિનીની સાથે મહાબલ, ઋતુપર્ણ રાજા અને પુષ્કર (કુબર ) તે જ ક્ષણે તેના મૃત્ય તરીકે ઉત્પન્ન થયા. અવધિજ્ઞાનથી તે સર્વના પૂર્વભવોને જાણતા તે સર્વની પરસ્પર અત્યંત નેહરૂપી શૃંખલા દઢ બની. નવીન જન્મેલા કુબેરને જેવાને ઉત્કંઠિત બનેલા ઇંદ્રાદિ દે તે સ્થળે આવી પહોંચ્યા. તે કુબેરનો અભિષેક કરવાને માટે તૈયાર બનેલા ઇંદ્રાદિ દેવે અત્યંત આડંબરપૂર્વક ઊભા રહ્યા. તે સમયે અત્યંત ભકિતભાવને કારણે પ્રતિહારીએ બે હાથ જોડવાપૂર્વક ઈંદ્ર સરખા પરાક્રમી કુબેરને વિજ્ઞપ્તિ કરી કે– “હે દેવ! ઘણા જ હર્ષની વાત છે કે-અત્રે રહેલા અમારી જેવા સેવકવર્ગના ભાગ્યયોગે આપ અમારા સ્વામી તરીકે કુબેર થયા છે. વરુણ વિગેરે સમસ્ત દે અહીં વિદ્યમાન હોવા છતાં, હે કુબેર ! આપના સરખી દેહકાંતિ બીજા કોનામાં હોઈ શકે ? કલપવૃક્ષે વાળા ક્રીડાવન, ચિંતામણિ રત્નના ભૂમિપ્રદેશો આપના જ છે, કારણ કે કરોડો કામધેનુ સમૂહના આપ સ્વામી હોઈને આપના સરખો આ વિશ્વમાં કોઈ પણ સંપત્તિશાળી નથી. ” આ પ્રમાણે પ્રતિહારીની વાણી સાંભળીને મંગલ કાર્યને માટે સજજ બનેલા કુબેર દેવે તીર્થકર ભગવંતની પૂજાને માટે શાશ્વત જિનચૈત્યમાં પ્રવેશ કર્યો. જિનમંદિરમાં અંત:કરણના સંતાપસમૂહને હરનારા, અનંતનાથ તીર્થકર ભગવંતને નમસ્કાર કરીને, તેમની વિધિપુરસ્સર પૂજા કરીને વિચક્ષણ તેણે અર્થગંભીર સ્તુતિ કરી. “ઉત્કૃષ્ટ કાંતિથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy