SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯ર ] શ્રી દમયંતી ચસ્ત્રિ : ધ ૧૦ મે : સમાં ત્રીજો પિતાના આત્મધ્યાનને ભૂલી જઈને શીધ્ર ક્ષેભ પામ્યા. મનુષ્યને વિષે શ્રેષ્ઠ હસ્તી સમાન અને ભયંકર બાહ-સ્તંભવાળા તેણે નજીકમાં રહેલા એક વૃક્ષને જલદી ઉખેડી નાખીને, અભિમાનપૂર્વક કહ્યું કે –“હે દમયંતી! તું ભય ન પામ, ડર નહિ. હે રાક્ષસ! હે દુખ ! તું ઊભું રહે, મને જીત્યા વગર ચેરની માફક કેમ નાશી રહ્યો છે?” આ પ્રમાણે નલ રાજર્ષિથી આક્રોશ કરાયેલ તે માયાવી રાક્ષસ કૃત્રિમ દમયંતીને છોડી દઈને, તેમની સાથે યુદ્ધ કરવાને માટે સન્મુખ આવ્યો. સિંહનાદ, ભુજાના આસ્ફાલનથી દિશાઓના મુખભાગોને બધિર બનાવતું તેમજ પર્વતોને ધજાવતું એવું તે બંનેનું પરસ્પર યુદ્ધ થયું. પરસ્પરના પ્રહારોને વખાણતા તે બંને વરે એકબીજાથી ચઢિયાતા પરાક્રમવડે લડવા લાગ્યા. બાદ ક્રોધવડે રાજર્ષિ નલવડે મસ્તક પર મુષ્ટિથી તાડન કરાયેલ તે રાક્ષસ બૂમ પાડત-પાડતે જલદી નાશી ગયે. પછી વિકસિત કમળ જેવા વદનવાળી, આશ્ચર્યને કારણે હાસ્ય કરતી કૃત્રિમ દમયંતીએ જદી નલરાજર્ષિને ગાઢ આલિંગન આપ્યું. સમય વગર પણ મેઘવૃષ્ટિથી જેમ કદંબનું વૃક્ષ ફળયુક્ત બને તેમ કૃત્રિમ દમયંતીના આલિંગનને કારણે રોમાંચિત બનેલા નલ મુનિ શોભી ઉચ્યા. બાદ પિતાના મનોવિકારને કાબૂમાં લાવતાં અને પોતે સંયમધારી છે એમ જાણતાં નલરાજર્ષિએ દેવોએ કરેલી માયાને જાણી અને પિતાના આત્માની નિંદા કરી. રંભા નામની અપ્સરા પણ મુનિવરના આ પ્રકારના સંશયને જાણીને જલદી અંતર્ધાન થઈ ગઈ. ખરેખર માયાવી પ્રાણું પોતાનું કાર્ય કરીને કેઈપણ પ્રકારે તે સ્થળે સ્થિર રહી શકતા નથી. પછી મુનીશ્વર નલે પિતાના શીલરૂપી દર્પણમાં લાંછન ( ડાઘ)રૂપ પિતાને તે પ્રકારના આચરણને અનેક પ્રકારની ઉગ્ર તપશ્ચર્યારૂપી શરાણથી શીઘ્ર ઘસી નાખ્યું-ભૂંસી નાખ્યું. “ઇંદ્રની આજ્ઞાથી મારા સ્વરૂપને વિમુવીને દેવોએ પિતાના કાર્ય દ્વારા નલરાજર્ષિને છેતર્યા એટલે તેના ઉપસર્ગના કારણભૂત હું બની છું.” એમ વિચારીને દમયંતી પણ ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગી. વિવિધ પ્રકારના અશનના અણુશણુ દ્વારા ક્ષીણ દેહવાળી, સ્વાધ્યાય, સંયમ અને સમાધિને વિષે તપુર, કર્મરૂપી તૃણને બાળી નાખનાર, શ્રીમાન નલરાજર્ષિ પિતે મલ રહિત થવાથી સર્વ મુનિવરોને વિષે, ભાગ્યને સર્વશ્રેષ્ઠ બન્યા. રાગ રહિત બનેલ નલ મુનીશ્વર સમ્યફ પ્રકારે સમાધિમાં લયલીન બન્યા ત્યારે અસંખ્ય ગુણવાળી સાધ્વીશ્રી દમયંતી કાળધર્મ પામી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy