SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ જી. મુનિવરને મમ્મણ રાજવીને ઉપદેશ. [ ૨૮૧] ઉપર પ્રમાણે વીરમતીથી પ્રતિબધાયેલ હિમગિરિગને રાજા (મમ્મણ), મુનિ વર પ્રત્યે અધિક ભકિતયુક્ત બનીને, કૂતરાના સમૂહે ભરેલા બટકાઓની પીડાને દૂર કરવાને માટે પ્રયત્નશીલ બન્ય, સર્ગ બીજે. [[નલ રાજાને પૂર્વભવ ચાલુ. ] T - - - | બાદ શાંત બનેલા રાજાને નમસ્કાર કરીને વીરમતીએ પિતાની લબ્ધિથી પિતાના થુંકવડે જ તે મુનિવરના શરીરને પૂર્વે જેવું હતું તેવું જ બનાવી દીધું. તે પ્રકારના આશ્ચર્યને જોઈને મનમાં વિમય પામેલ મખ્ખણુ રાજા પોતાના કર્તવ્યથી પિતાની મૂઢતાને શેક કરવા લાગ્યા. બાદ વિલાપ કરતા રાજાને તે નિર્મોહી મુનિવરે જણાવ્યું કે–“ હે રાજન ! તમે ખેદ ન પામો. હું હવે પીડા રહિત બન્યો છું. મારા તરફ જુઓ. તારા જેવો રાજા મનુષ્યરૂપી વૃક્ષના ધર્મરૂપી ફલને જાણતા નથી તે જ હકીકત મને ખેદ ઉપજાવી રહી છે. મહાત્મા પુરુષદ્વારા સર્વને ધર્મની પ્રાપ્તિ થાય છે, જ્યારે ખરેખર ખેદની વાત છે કે-કરેલા આચરણથી તે મારા દ્વારા જ પાપનું ઉપાર્જન કરેલ છે. રાજાઓને માટે અંતઃપુર કે. સર્વ સરખું જ છે. અપરાધ વિના પણ પીડા આપનાર તેઓની ( રાજાઓની ) શી ગતિ થાય? ખરેખર, દાંત વડે તૃણને ગ્રહણ કરતાં શત્રુને પણ લેકે હણતા નથી તે ઘાસ ખાનારા પ્રાણીઓને વિવિધ પ્રકારના શસ્ત્રોવડે શા માટે હણવા જોઇએ ? ખરેખર, વિશ્વ અરાજકતાથી ભરેલું છે, શરણ વિનાનું છે. બળવાન અજ્ઞાની જીવથી નિર્બળ પશુઓ શા માટે હણતા હશે ? કલાવતી વિગેરે સતીઓ અને મિત્રાનંદ વિગેરે પુરુષોએ અ૫ હિંસા માત્રથી દુતર સાગર જેવું દુઃખ પ્રાપ્ત કર્યું હતું. બ્રહ્માનું મસ્તક કાપી નાખવાથી ખોપરીમાં ભિક્ષા ગ્રહણ કરતા, દીન અને નગ્ન શંકર પણ ઘણા સમય સુધી નચાવાયા છે. શું ખાવા લાયક બીજા પદાર્થો નથી ? અથવા તો શું પવનથી જીવી શકાતું નથી? જીવહિંસા કરીને પિષણ પામેતાં જીવિતથી શું? કરોડ ભવે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy