SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૨]. શ્રી દમયંતી ચરિત્ર : રકધ બીજો : સર્ગ નવમે. ન મળી શકે તેવા આ રમણીય માનવ-ભવને પ્રાપ્ત કરીને જે પ્રાણી વિષયને ત્યાગ કરતું નથી તે નૌકામાં બેસવા છતાં ડૂબે છે.” આ પ્રમાણે બોલતાં શ્રતસાગર મુનિવરના વચનથી મોહનો ત્યાગ કરીને મમ્મણે વાસ્તવિક ધર્મ પ્રાપ્ત કર્યો. રાણું વીરમતી સાથે શ્રાવક ધર્મ સ્વીકારીને પવિત્ર બુદ્ધિવાળે મમ્મણ રાજવી મુનિરાજના ચરણોમાં નમસ્કાર કરીને, બે હાથ જોડીને કહેવા લાગ્યો કે “હે પૂજ્ય! મારા જેવા દુબુદ્ધિ, દુરાત્મા, અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલા દુષ્ટ પ્રાણએને માક કરી હે પય! એક વનમાંથી બીજા વનમાં પરિભ્રમણ કરતાં આપ ક જઈ રહ્યા હતા તે મને જણાવો. મૂઢ બુદ્ધિવાળા મેં આપને અહીં લાંબા સમય સુધી રોકી રાખ્યા છે.” મુનિવરે જણાવ્યું કે –“હે ભાગ્યશાલી ! સાંભળ, વિશ્વને વિષે પ્રસિદ્ધ અષ્ટાપદ નામનું તીર્થ છે. તે પર્વતના સુંદર શિખર પર ભરતચક્રવર્તીએ બનાવેલ, તીર્થકર ભગવંતોની મૂર્તિઓ યુક્ત સિંહનિષદ્યા નામને જિનપ્રાસાદ છે. વર્તમાનકાળે તે પર્વત પર ચઢવાનું મનુષ્ય માટે અશક્ય છે; કારણ કે તે પર્વતના આઠ પગથિયા એક એક એજનની ઊંચાઈવાળા છે. કાળના પ્રભાવથી અત્યારે આ સમયના પ્રાણીઓ માટે તે તીર્થની તળેટીને સ્પર્શ કરવાથી તીર્થયાત્રાનું ફળ મળે છે. જે કોઈ તે અષ્ટાપદ પર્વત પર જઈને, અરિહંત પરમાત્માઓની પ્રતિમાઓને વાંરે છે તે પ્રાય: આઠ ભાવમાં મોક્ષની પ્રાપ્તિ કરે છે. આરાધના કરવાથી પ્રસન્ન બનેલી શાસનદેવીની કૃપાથી જ કેઈક વિરલ વ્યક્તિને તે તીર્થયાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે, તે હે રાજન ! હું અષ્ટાપદ પર્વત પ્રત્યે જવાને ઈચ્છું . આરંભેલા કાર્યની પૂર્ણાહુતિ સિવાય મને સંતોષ પામતું નથી. મારી યાત્રામાં થયેલે આ અંતરાય મારા માટે સફળ બનેલ છે, કારણ કે તને પ્રતિબોધ આપવાથી મેં મહાપુણ્ય ઉપાર્જન કરેલ છે.” મુનિવરને તીર્થયાત્રાએ જવાની ઈચ્છાવાળા જાણીને મમ્મણ રાજાએ આગળ ગયેલા સાર્થને રેકવા માટે પોતાના માણસોને મોકલ્યા. ભક્તિપુરસ્સર તે મુનિવરની સાથે ચાલીને, તેમને સાથે સાથે ભેગા કરીને, તેમને નમસ્કાર કરીને મમ્મણ રાજા પાછો વળ્યો. ત્યારથી પ્રારંભીને ચક્રવતી સરખે મમ્મણ રાજા, પિતાની રાણી વિરમતી સાથે ગીતાર્થ મુનિવરની સેવા-સુશ્રષા કરતો કરતો ધર્મકૃત્ય કરવા લાગ્યો. અણુવ્રતાદિ ધર્મરૂપી જળના તરંગથી નિરંતર આ મનવાળી વીરમતીએ અષ્ટાપદ પર્વત પર રહેલ ચિત્યને, દેવીની માફક વંદન કરવાની ઈચ્છા કરી. તે કાર્યની પૂર્તિ માટે વાહનદ્વારા તે સ્થળે પહોંચવું અસાધ્ય જાણીને, તેણીએ શાસનદેવીની સહાયથી તે કાર્યની સફળતા ઈચ્છી. તે સમયથી મમ્મણ રાજવીની સેનાએ શાસનદેવીની આરાધના માટે તેમની વિધિપુરસ્પર મૂર્તિ બનાવી અને સમાધિભાવમાં રહીને ત્રણે કાળ પૂજા શરૂ કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy