SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ તાપસ લેકેએ નળ રાજાને જણાવેલ સ્વવૃતાંત. વાળા, ઊંચા અને પુષ્પસમૂહથી વિરાજતા ક૯પવૃક્ષની જેમ હે રાજન ! તારું દર્શન પણ દુર્લભ છે. હે સ્વામિન ! વીરસેન રાજાના વંશરૂપી સમુદ્રમાં તું કલાવાન, નિર્મળ, શાન્ત, સદાચારી અને પંડિત પુરુષની પીડાને હરનાર ચંદ્ર તુલ્ય ઉત્પન્ન થયા છે. હે નળ ! તારા બાણે અને તારી બુદ્ધિ દાભની અણ જેવી તીક્ષણ છે. દાન તેમજ યશગાથાથી તે સમગ્ર દિશાઓને પરિપૂર્ણ કરી દીધી છે. વળી હે રાજન ! તું યમ, કુબેર, સૂર્ય અને વરુણ સરખે છે, કારણ કે તે ચારે કપાળેના પ્રતિબિંબરૂપે તે આ પૃથ્વી પીઠ પર અવતાર લીધે છે. पद्मभृत् पनवासा च पद्मिनी पन्नलोचना । महाप्रमप्रदा देवी पद्मानि च सति त्वयि ॥४६॥ पदपद्मयुगं जुष्टं, समुदा येन सेव्यते । स निर्धनोऽपि लक्ष्मीनां समुदायेन सेव्यते ॥४७॥ [ રૉંઘ , ૨] હે સ્વામિન્ ! પઘભૂત-કમળને ધારણ કરનારી, પદ્યવાસા-કમળ પર વસનારી, પદ્મા-લીમી, પાચના-કમળ જેવા નેત્રવાળી પદ્મિની સ્ત્રી અને મહાપ નામના નિધાનને આપનારી મહાપવા દેવી તેમજ પવો-કમળો–આ બધી વસ્તુઓ તારા વિદ્યમાન પણામાં કશું પણ કરવાને સમર્થ બની શક્તી નથી, કારણ કે સેવાયેલા તારા ચરણપદ્ય-ચરણકમળની જે હર્ષપૂર્વક ઉપાસના-સેવા કરે છે તે દરિદ્ધી હોવા છતાં પણ લક્ષમીને સમુદાય તેને આપોઆપ આવી મળે છે અર્થાત રંક જનોને લક્ષમી વિગેરેની સેવા કરવાની જરૂર જ રહેતી નથી, કારણ કે તું ખુશ થઈને એટલું બધું વિપુલ દાન આપે છે કે તેઓ ધનાઢ્ય થઈ જાય છે. આરક્ષકાથી વીંટાયેલ હે રાજન ! તું કલારસિક હોવા છતાં દુશ્મનને તાત્કાલિક ત્રાસ આપનાર છે. વળી તે સભાના શૃંગાર! તે સરલાશયી હોવા છતાં મહાન સાહસિક છે અર્થાત્ સરલાશયી તેને કહેવાય કે જે તદન ભેળા અને બીજાથી રક્ષણ કરવા લાયક હોય પરંતુ તારામાં એવી ખૂબી છે કે તે સરલાશયી-નિપાપ હોવા છતાં મહાન સાહસિક છે. તારા જેવી આવી શક્તિ, આવી ભક્તિ અને આવી બુદ્ધિ આ પૃથ્વીમંડળ પર શું બીજા કોઈ રાજાની જવાય અગર તો સંભળાય છે ? અર્થાત તારી જેવો કઈ શક્તિશાળી, ભક્તિમાન અને બુદ્ધિમાન રાજા જ નથી. ગૃહસ્થોને યતિજન તીર્થરૂપ છે; જ્યારે તાપસને ગૃહસ્થ તીર્થરૂપ છે એટલે હે નૃપ ! પવિત્ર કીર્તિવાળા તારા દર્શન કરીને અમે હર્ષિત થયા છીએ. હે રાજન ! અમારું વૃત્તાંત સાંભળોઃ પૂર્વે આ પૃથ્વી પર પ્રસિદ્ધ વંશમાં જન્મેલા, સાંસારિક અવસ્થાનો ત્યાગ કરનારા, બુદ્ધિમાન અને મહાપરાક્રમી કચ્છ અને મહાકચ્છ નામના બે રાજાઓ થયા હતા. તેઓ બંને અવ્યક્ત સ્વરૂપ, જટારૂપી મુગુટથી શોભતા, કામદેવને નાશ કરનાર, આત્મિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy