SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮ ] શ્રી દમયંતી ચરિત્ર ઃ સકધ ૧ લે. સર્ગ બીજે. વટેમાર્ગુ સખ્ત તાપમાં ચા જતે હોય અને એવામાં અચાનક સૂર્યની આડું વાદળું આવી જાય અને તેની છાયાથી વટેમાર્ગુને સંતોષ ઉપજે તેમ હું પણ આપના દર્શનથી તુષ્ટ થયો છું. પૂર્વ સંચિત પાપને નાશ કરનાર, ભવિષ્યના સુંદર ફળને સૂચવનાર, અને સર્વ તીર્થસ્વરૂપ અતિથિ-મુનિજને અભવી જીવને આંગણે આવતા નથી, અર્થાત્ અભાવી જીવને અતિથિ-તાપસને સમાગમ થતો નથી. અતિથિઓને અપાતું દાન એ જ ખરેખર મનુષ્યપણું છે અર્થાત માનવ જીવનની એ જ સાર્થકતા છે. પિતાના ઉદરનું પરિપષણ કરવા સિવાય પશુઓનું બીજું કયું લક્ષણ હોઈ શકે ? અર્થાત્ પશુઓ પણ પિતાની ઉદરપૂર્તિ તો કરે જ છે પણ મનુષ્યમાં એ જ વિશેષતા છે કે તે અતિથિસત્કાર પણ કરી શકે છે. જે તે અતિથિસત્કાર ન કરતા હોય તો તેના અને પશુના જીવનમાં તફાવત રહેતું નથી. વૃક્ષ અને બીજની માફક સંપત્તિનું ફળ ધર્મ છે અને ધર્મનું ફળ સંપત્તિ છે–એમ આ પરસ્પર કાર્ય–કારણ કેગ જાણ. એટલે કે જેમ બીજમાંથી વૃક્ષ ઉત્પન્ન થાય અને ઊલટું એ જ વૃક્ષમાંથી પાછાં બીજ પ્રગટે તેમ ધર્મ અને સંપત્તિને ગ જાણ. વૃદ્ધિ થવાના હેતુપૂર્વક ક્ષેત્રમાં બીજ અને યોગ્ય પાત્રમાં ધનનું દાન કરનાર મનુષ્ય માટે તે આ ખેડૂતના જેવી ફરજ જ ગણાય, એમાં પરોપકાર જેવી વસ્તુ જ નથી. એટલે કે ખેડૂત ખેતરમાં બીયાં વાવે તેમાં તેને હેતુ વધારે પાક મેળવવાનો છે, તે કાંઈ ખેતર ઉપર ઉપકાર નથી કરતા. તેવી રીતે તમારા જેવા અતિથિ જનને દાન દેવું તે અમારી ફરજ જ છે, તેમાં કાંઈ અમે પરોપકાર નથી કરતા. કસાઈ લેકે, અભ તેમજ હત્યા (બ્રહ્મહત્યા, સ્ત્રી હત્યા, બાળહત્યા, ગેહત્યા વિગેરે વિગેરે) કરનારાઓના ગૃહે મુનિઓ જતા નથી. વિધવા સ્ત્રીને યોવન, જંગલમાં ઊગેલા વૃક્ષને ફળ તેમજ કંજુસ મનુષ્યને આપેલ ધન આ ત્રણે વસ્તુમાં વિધિ-નશીબને શ્રમ ફેગટ જ ગયો છે અર્થાત તે ત્રણે વસ્તુઓ નિષ્ફળ પ્રાય છે. જે પીડિત જનનું રક્ષણ કરતે નથી, જે અતિથિઓને આદરસત્કાર આપતું નથી અને જે પોતે પરાક્રમી નથી તે ખરેખર અધમ પુરુષ જાણો. આપના સમાગમથી આજ મારા પિતૃઓ ખુશી થયા છે, આજ લહમીદેવી જાતે આવીને મને ખરેખર વરી છે, તેમજ આજે હું ધન્યભાગીકૃતકૃત્ય થયો છું માટે આપની આજ્ઞાનું પાલન કરનાર મને કહો કે આપ કૈણ છો ? કયા વનપ્રદેશમાંથી આવ્યા છો ? અને શેને માટે આ પરિશ્રમ લીધો છે ? આપના આગમનરૂપી મહેરબાનીને બદલે કઈ રીતે વાળી શકાય ? આ પૃથ્વી, આ લક્ષમી, આ રાજય અને આ રાજમહેલ સર્વરવ આપનું જ છે.” આ પ્રમાણે મનહર, ઔદાર્યયુક્ત અને ગંભીર વાણી સાંભળીને હર્ષિત થયેલા તેમજ વિચક્ષણ તાપસ જેને પ્રત્યુત્તર આપ્યો કે-“હે દુશ્મનને પરાજિત કરનાર ! હે પૃથ્વી પીઠ પર ચંદ્ર તુલ્ય ! હે નિષધ દેશના સ્વામી નળ રાજા ! પૂર્વે પ્રાપ્ત નહીં થયેલ કુશળતા આજ તમારા દર્શનથી પ્રાપ્ત થઈ છે એમ હું માન. હંમેશા ફળ આપવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy