SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ નળરાજા પાસે તાપસનું આગમન. [૭] આવા સમયમાં કોઈ એક શ્રેષ્ઠ દિવસે નળરાજા મહેલના ઝરૂખામાં બેઠો હતો ત્યારે પંડિત પુરુષ, વીરાંગનાઓ, મિત્ર, છડીદાર, પ્રતિહારીઓ, ભાટે, વિદૂષક-મશ્કરાઓ, બંસી વગાડનારાઓ, તેમજ શાસ્ત્રાભ્યાસ અને સદાચારથી પોતાની સરિખ, મહામિત્રરૂપ, સાલંકાયનને પુત્ર શ્રુતશીલ નામના પિતાના મહામંત્રીશ્વર વિગેરેથી ચારે તરફ વીંટળાયેલા તેણે, વર્ષા જતુએ પોતાની સમૃદ્ધિથી શોભાયમાન બનાવેલ સમસ્ત વિશ્વને અવેલેકતાં દૂરથી આવતા કેટલાક વૃદ્ધ તાપસને જોયા. શરીરે ભસ્મ ચોળેલા, પીળી તેમજ ઊંચી જટારૂપી મુકુટથી શોભતા તે તાપસો યજ્ઞના અગ્નિને ઉપાડીને જાણે ચાલતા ન હોય તેવા શોભતા હતા. જ્યારે તેઓ રાજદ્વારે આવી પહોંચ્યા ત્યારે પુરોહિતે સામે જઈને તેમનું પૂજનાદિ કર્યું. પછી આશ્ચર્ય પામેલા તે તાપસોએ નળરાજને મળવાને પ્રવેશ કર્યો, એટલે જેમ નાવિકખલાસીઓ સમુદ્ર મધ્યે પિતાના મુસાફરોને એક દ્રોપથી બીજે દ્વીપ લઈ જાય તેમ દ્વારપાળે, “કઈ બાજુ જવું” એમ દિગમૂઢ બનેલા તે મુનિજનને મહેલના અંતરભાગમાં લઈ ગયા ત્યારે હજારો શિખરવાળા કૈલાસ પર્વતની જેવા વેત તેમજ શ્રેષ્ઠ રાજમહેલ પર ચઢતા તે તાપસો થાકી ગયા. વળી નીલ વર્ણવાળા રત્નોથી બાંધેલી પડથાર પાસે આવીને પર્વત પરથી નીકળતી નદીની ભ્રાંતિને લીધે “આ નદી તરવીઓળંગવી મુશ્કેલ છે ” એમ વિચારીને શંકાપૂર્વક પગલાં મૂકતા તેઓ કંઈક પાછા રહી ગયા. બાદ ખજ્ઞ, બાણ, ભાથા પ્રમુખ શસ્ત્રો, રાજાને ચગ્ય છત્ર, ચામર વિગેરે રાજ્યચિહો, સીમા-શીરાઈ, ચષક-જામ, ઝારી, પારી-ઉત્તમ કળશ પ્રમુખ શ્રેષ્ઠ રત્નમય ને રજતમય કરોડો પાત્રો, શણગારાયેલા અને સ્વેચ્છાપૂર્વક અહીંતહીં ખેલતા મદોન્મત્ત ચકર, પોપટ, ચક્રવાક, કેયલ, કબૂતર પ્રમુખ ક્રોડા પક્ષીઓ વિગેરે વિગેરે નળરાજાની પ્રત્યેક દિવ્ય વસ્તુઓ તેઓએ જોઈ કે જે પદાર્થોનું તેઓએ આ જિંદગીમાં સ્વપ્નમાં પણું નામ સાંભળ્યું ન હતું. પછી કપૂરની ગંધથી યુક્ત, પુષ્કળ અગરુના ધૂપથી વાસિત તેમજ સુખડના વેરાયેલા રજકણોથી ભરચક મધ્યમાર્ગથી તેઓ પસાર થયા. બાદ તે મહેલ પર ચઢીને તે તાપસો જાણે સ્વર્ગ તદ્દન નજીક આવ્યું હોય, પૃથ્વીતળ દૂર ગયું હોય અને સૂર્ય તેમજ ચંદ્ર હથેલીમાં રહ્યા હોય તેમ માનવા લાગ્યા. ત્યારબાદ ફળ-પુષ્પાદિકને ધર્યા બાદ આશીર્વાદ આપીને આસને પર તેઓ બેઠા એટલે નળરાજાએ તેઓને કહ્યું કે-“હે તપસ્વીઓ ! વનમાં રહેનારા, હંમેશા દુષ્કર તપારાધન કરતાં એવા તમોને શિષ્યયુક્ત બધી રીતે કુશળ છે ને? તમારા પવિત્ર આશ્રમમાં રહેલા વૃક્ષને વજ, (વીજળી ) અગ્નિ, પવન, સર્પ અને પાણી પ્રમુખથી કેઈપણ જાતને ઉપદ્રવ તે થતા નથી ને? તાપસ કન્યાઓ દ્વારા પુત્રની માફક પ્રેમપૂર્વક નેહથી પાલન-પોષણ કરાયેલા તમારા વૃક્ષે સપ, શિકારીજનો અને હિંસક પ્રાણીઓથી સુરક્ષિત (નિર્ભય) છે ને ? વાદળાના પ્રગટપણાથી તેની છાયાને લીધે વટેમાર્ગ જેમ ખુશી થાય તેમ આપના સ્વયમેવ આગમનથી પૂ ! ઘણો જ સંતુષ્ટ થયો છું એટલે કે જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy