SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ઋતુપણે પુન: દ્યુત રમવાની કરેલી સૂચના. [ ૨૭૧ ] રાજ્ય છીનવી લેવા માગે છે? જુગારીઓને યુદ્ધ કરવાથી જ વૈભવની પ્રાપ્તિ થતી નથી. અન્ય રીતે પણ થાય અર્થાત્ વભવ-પ્રાપ્તિ માટે કઇ યુદ્ધ કરવાની જરૂર નથી. ઘૂતદ્વારા મેં જીતેલું રાજ્ય ભલે તે નલરાજા ફરી દ્યૂત રમીને ગ્રહણ કરે. જેવી રીતે આપ્યું તેવી રીતે લેવું એ મહાત્મા પુરુષાની નીતિ છે. ભક્તિપરાયણ અને ન્યાય યુક્ત એવા પેાતાના ભાઈને (મને) જો નલરાજા સામર્થ્યથી જીતી લેવાને ઇચ્છતા હાય તે મેં શુ' ન પ્રાપ્ત કર્યું? મારા કથનાનુસાર તું જઇને જલ્દી આ હકીકત નલરાજાને જાવ, જેથી તેઓને ઉચિત જણાય તે પ્રમાણે તે કરે, ” આ પ્રમાણે સૂચના કરીને મહાબુદ્ધિશાળી પુષ્કરે ગુણુવાન નલના દૂતને આદર સત્કાર, દાન અને આભૂષણ આપવાપૂર્ણાંક વિદ્યાય કર્યો. દૂતના સુખદ્વારા પુષ્કરની ઇચ્છા સાંભળીને ચતુર નલે પેાતાની સાથે રહેલા વિશિષ્ટ પુરુષાની સાથે મંત્રણા કરી. પુષ્કરને હણવા ઇચ્છતાં ભીમરાજાના પુત્રા અને વિદ્યાધર રાજવીએએ તેા નલને યુદ્ધ કરવા માટે સલાહ આપી. પવિત્ર બુદ્ધિવાળા શ્રુતશીલ મંત્રીએ પુષ્કરને અધું રાજ્ય આપીને પેાતાનુ કુળપરંપરાનું રાજ્ય ગ્રહણ કરવા સૂચના કરી. ઋતુપર્ણ રાજાએ, જયશાલી પુષ્કરના સબધમાં ઉપર જણાવેલ અને સૂચનાના વિરાધ કરીને પોતે નિર્દેષભાવે જણાવ્યું કે—“હે રાજન્! જુગારી પ્રત્યે રણુસંગ્રામ કરવાની આવશ્યકતા નથી. તેની સાથે દ્યૂત રમવુ એ જ સાચા ઉપાય છે. આ વિષયમાં હું આપને દ્યૂતની ઉત્તમ પદ્ધતિ જણાવીશ, જેથી તમે પુષ્કરને જીતીને આપનુ રાજ્ય પાછું પ્રાપ્ત કરી શકશેા. પૂર્વે હું માલિની નામની સર્વાંગસુંદર મારી પત્ની સાથે જિનેશ્વરભગવતને નમસ્કાર કરવા ગયા હતા. તે જિનમ ંદિરના દ્વારને વિષે મેં રાતા ચંદનથી પૂજાયેલ, દેદીપ્યમાન નેત્રવાળા અને ભયંકર ભાવવાળા એક ક્ષેત્રપાલને જોયા હતા. રાતા કરેણુની માળાથી સુશોભિત વક્ષસ્થળવાળા, કટિપ્રદેશ પર ઉછળતી અને ગંભીર વિન કરતી વીરઘંટાથી (ટાકા) સુથેભિત, યમરાજ સરખા અને જોરથી તાળીઓ પાડતા વેતાલા જેની સમક્ષ નૃત્ય કરી રહ્યા છે તેવા, ખડ્ગ અને ઢાલના પરસ્પરના ધ્વનિથી સામાન્ય ખેચરાને ક્ષુબ્ધ બનાવતા ક્ષેત્રપાલને જોઇને ગભરાયેલી, સંભ્રમ પામેલી, વિકસ્તર કમળના જેવી મુખવાળી મારી પત્નીએ તિરસ્કારપૂર્વક કહ્યું કે“ અરે ! દિશારૂપી વજ્રયાળા ( નગ્ન ), હાથમાં ખાપરીવાળા, કૂતરાના વાહનવાળા, શરમ વિનાના, તિરસ્કારને પાત્ર અને સૌભાગ્ય રહિત આ ક્ષેત્રપાલની દેવાને વિષે ગણના થાય છે. જાતિ ગુણને કારણે મહાવૃક્ષ પણ વૃક્ષની પદ્ધતિને પ્રાપ્ત કરે છે.” ઉપર પ્રમાણે મારી પત્ની માલિની એાઢી રહી હતી તેવામાં તે ક્ષેત્રપાલની મૂર્તિના મધ્ય ભાગમાંથી સિંહનાદ સરખા ધ્વનિ થયા કે—“ અરે ! પાર્ષિણી ! જે મહામેાહને કારણે તુ' મારી ઘૃણા કરે છે તે આવતી ચતુર્દશીએ હું તને હણી નાખીશ. ” આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy