SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - શ્રી દમયંતી ચરિત્ર ઃ સ્કધ ૭ મો. સર્ગ છો. મારી જાતને અધિક પુન્યશાલી માનું છું. વામનાવતાર ધારણ કરીને વિષ્ણુએ બલિરાજાને પાતાળમાં પહોંચાડ્યો હતો જ્યારે કુબજ રૂપ ધારણ કરીને આપે મને વિશ્વમાં સર્વોત્તમ બનાવે છે. હે દેવ! તમે તે તમારા સેવકવર્ગને ગમે તે પ્રકારે મોટાઈ જ આપો છે. ખરેખર, અચિંત્ય વર્તનવાળા આપનું આચરણ અત્યંત મનોહર છે. “પ્રાકામ્ય શક્તિને કારણે દરેક પદાર્થોમાં પોતાની જાતને દર્શાવતાં તમે આવા પ્રકારની ચેષ્ટા કરી રહ્યા છો. તમારા શત્રુઓ પ્રત્યે પણ તમને દ્વેષ નથી, તે પછી સ્વતંત્ર વિચરનારા મિત્રોને વિષે તે દ્વેષ કેમ હોઈ શકે? આ વિશ્વમાં, અજ્ઞાનતાને કારણે કરાયેલે કોઈપણ વ્યક્તિનો દોષ એ દેષ નથી, પરંતુ તે સ્વામિન્ ! હું આપને વિજ્ઞપ્તિ કરું છું કે–હે દેવ ! આપ શીધ્ર દિવિજય કરવા માટે પ્રયાણ કરો. સર્વ રાજાઓ અને તમારી સમક્ષ રહેલે હું આપને વિનતિ કરીએ છીએ. તમારા સૈન્યમાં રહેલા અશ્વોની ખરીઓદ્વારા ઊડેલી ધૂળવડે દિશારૂપી સ્ત્રીઓ, અકાળે પ્રગટ થયેલ ફાગુન માસની ક્રોડાવિલાસની (“ધૂળી પડવા”ની) શેભાને ધારણ કરે. આપના દર્શનથી પ્રગટેલ હર્ષાશ્રુની વૃષ્ટિ દ્વારા આર્યાવર્તન લેકના ભૂમિપ્રદેશો શાલિ(ડાંગર-ખા) ઊગવાના નિમિત્તભૂત બને.” ઋતુપર્ણ રાજવી દ્વારા મેઘગંભીર વાણવડે વિજ્ઞપ્તિ કરાયેલ નલરાજાએ પર્વતની માફક ધૈર્યપૂર્વક જવાબ આપે કે–“હે અયોધ્યા નગરીના સ્વામી તુપર્ણ! તમે જે કહ્યું તે સર્વ મારે કરવા ગ્ય છે, પરંતુ હું શ્રુતશીલ નામના મારા મંત્રીની રાહ જોઈ રહ્યો છું. મહાબુદ્ધિમાન તે મંત્રીના જલદી આગમન થયાબાદ આપનું સમગ્ર મનવાંછિત પૂર્ણ થશે.” આ પ્રમાણે અધ્યાપતિ તુપર્ણ રાજવીને જણાવીને વિનયશાલી નલરાજા દમયંતીના મહેલે પધાર્યા. નલ અને દમયંતી વચ્ચે ભૂત, ભવિષ્ય અને વર્તમાન સંબંધી વિવિધ વાર્તાલાપ થયા. દમયંતીએ નલને કેશિની સંબંધી હકીકત જણાવી, જે વૃત્તાંતને સાંભળીને આશ્ચર્ય પામેલ નલ હાયપૂર્વક પરોપકારપરાયણ બુદ્ધિથી બોલ્યા કે “અરે! મારી ઘાતકીડ, રાજયથી ભ્રષ્ટ બનવું, વનમાં ભટકવું અને સર્ષથી ડસાવું–આ સર્વ ક્રિયાઓ સારી બની છે. જો તેમ ન બન્યું હોત તે સર્ષના વિષરૂપી વાળાને નષ્ટ કરનાર આ દિવ્ય વેષ મને કયાંથી પ્રાપ્ત થાત? ગરુડના અધિષ્ઠાયકપણાવાળો આ સુંદર વેષ હું તેને આપીશ, જેથી કેશિનો સ્વામી મહાબાહુ કુમાર ફરીથી બેલી બને.” આ પ્રમાણે દમયંતીને કહીને, કેશિની પાસે જઈને તેણીને તે બહેડાના ડાબડામાં રહેલ દિવ્ય વેષ જે હતો તે આપી દીધું. વિનયી અને અંજલિ જોડેલી કેશિનીએ તે વેષને સ્વીકારીને અશ્રુયુક્ત ગદગદ વાણીથી જણાવ્યું કે–“આ જગતમાં કોઈને વામી, ભર્તા, પિતા, માતા, ભાઈ અથવા તે કઈ પણ વજન હોય છે પરંતુ આ પૃથ્વીપીઠને વિષે તે મારા માટે આપ બંને જ સર્વસ્વ છો. મારા સ્વામીની પીડા દૂર કરવાને માટે મારા ચરણે અત્યારે વૈતાઢ્ય પર્વત તરફ જવાને અત્યંત આતુર બન્યા છે, જયારે મારું મન * આઠ પ્રકારની લબ્ધિ પૈકી “પ્રાકામ્ય” એ પણ એક જાતની લબ્ધિ છે. x શાલિના પાકને પુષ્કળ પાણી જોઇએ, ત્યારે જ તે વિપુલ પ્રમાણમાં પાકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy