SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ઋતુપર્ણ રાજાએ નળરાજાની કરેલી પ્રશંસા [ ર૬પ ]. | સર્ગ છઠ્ઠો. [કેશિનીનું પિતાના સ્વામીનું પીડા દૂર કરવા વૈતાઢય પર્વત તરફ પ્રયાણ.] Dowામગ મગજ) )&r ) છે જદી પગપાળા આવી પહોંચેલા ભીમરાજાએ નલરાજાને નમસ્કાર કરીને પોતે Bxsraem-- પ્રતિહારી તરીકેનું સ્થાન લીધું. વિકસ્વર રોમરાજીવાળા દમ, દમન અને દાન્ત–એ ત્રણે દમયંતીના ભાઈઓ નલને પ્રણામ કરીને ભેટી પડ્યા. ત્યાં આવી પહોંચેલા, ભૂમિને સ્પર્શ કરતાં અને ભીમરાજાથી ઊભા કરવામાં આવેલા તુપર્ણ રાજાએ નલને બે હાથ જોડીને નમસ્કાર કર્યો. પછી દ્રવિડ અને એડ વિગેરે દેશના રાજાઓ મસ્તકવડે નલરાજાને પ્રણામ કરીને, દર ઊભા રહીને તેમની સેવા કરવા લાગ્યા. તે રાજમહેલનું આંગણું સેંકડો સામંતે, નાગરિક તેમજ અન્ય દેશના વાસીઓથી તેમજ ભેટશુઓ દ્વારા વ્યાપ્ત બની ગયું. ગરુડે આપેલા સુંદર વસ્ત્રાભૂષણને ધારણ કરતા અને અપ્રમાદી નલ જગતના દષ્ટિરૂપી વિષને દૂર કરનાર બન્યું. મને છત્ર ધારણ કર્યું, દમ તેમજ દાન્ત ચામર વીંઝવા લાગ્યા અને ત્રાતુપર્ણ રાજવી નળને સ્થગીધર (તાંબૂલ આપનાર) બન્યા. જેવી રીતે સુવર્ણની શેભાને વિસ્તારો મેરુપર્વત કલ્પવૃક્ષોથી શોભે તેમ અનેક રાજાઓથી વીંટળાયેલ નળ સભામાં શોભવા લાગે. દાન દેનાર, રક્ષણ કરનાર, પિતાના પિતા તેમજ ભાઈની માફક નલરાજા પ્રત્યે નગરવાસીઓએ પિતાના પ્રાણોથી પણ તેમનું કલ્યાણ ઈછયું. પૃથ્વીની માફક પિતાનું સમસ્ત શરીર તે વીર નળને અર્પણ કરવાની ઈચ્છાથી દમયંતી શીધ્ર શ્વાસોશ્વાસ લેવા લાગી. નળના ગુણેથી આકષોયેલ, અને સ્વાગત વિધિ જાણનારા રાજાઓ તેમની સેવા કરવાની ઈચ્છાથી જુદી જુદી દિશામાંથી નિરંતર આવવા લાગ્યા. વળી, અલ્પ પરિવારથી નલની સેવા કરતાં ઋતુપર્ણ રાજાને બીજા રાજાઓ કરતાં અધિક સન્માન મળવા લાગ્યું. આશ્ચર્યજનક વૃત્તાંતવાળા નળના સામાન્ય (મળતાવડા) સ્વભાવથી ઋતુપર્ણ રાજા આશ્ચર્યમુગ્ધ બની ગયા. કેઈએક દિવસે, પવિત્ર ભક્તિપૂર્વક અનેક રાજાઓથી પ્રેરાયેલા હતુપણે નળને વિજ્ઞપ્તિ કરી કે-“હે રાજન! દષ્ટિને અમૃત-સિંચન સરખા જગતના ભાગ્યને કારણે કલિરૂપી અંધકારને હણીને ચંદ્ર સરખા આપ ફરીથી ઉદય પામ્યા છો, તે હે રાજન ! તમારી સમસ્ત જનતા પર સમાન મહેરબાની હોવા છતાં “સર્વશેષ”ની માફક હું * પ્રસાદીમાંથી વહેંચતા વહેચતા છેવટે જે કઈ બાકી રહે તે “શેષ” કહેવાય છે. ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy