SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ -- - કેશિનીએ પિતાના સ્વામીને કરેલ નિર્વિષ. [ ૨૬૭ ] તે અહીં જ રહ્યું છે. શરણે આવેલાનું શક્તિપૂર્વક પિષણ કરવું, વિખૂટા પડેલાને પરસ્પર મેળાપ કરાવી આપો અને કારાગૃહમાં પડેલા પ્રાણુઓને મુક્ત કરવા–આ જ ખરેખર શાશ્વત (સાચો) ધર્મ છે. વધારે કહેવાથી શું ? મારા મુખને વિષે સો જીભ નથી. ફક્ત એક મારું મન જ આપ બંનેએ કરેલા કાર્યને જાણે છે; તેથી આપના યશને તાત્ર પર્વત પર વિસ્તૃત કરવાને માટે હું જાઉં છું. મારા સ્વામીની રક્ષા કરવાને કારણે અભયદાન આપનાર તમે બંનેનું ક૯યાણ થાઓ! આપની મુખ્ય દાસી તરીકે જે સ્થાન મેં પ્રાપ્ત કરેલ છે તે સ્થાન કેઈને આપશે નહિ, આપના સેવકરૂપ બનેલા મારા સ્વામી સાથે હું ફરી અહીં આવી પહેચીશ.” પછી કેશિની દંપતીને આપ વિજય પામે” એવા પ્રકારને આશીર્વાદ આપીને, ભૂમિપ્રદેશ તરફ પાછું વળી વળીને જેતી આકાશમાગે ઊડી ગઈ. વાયુને પણ જીતી લેનાર ગતિથી ક્ષણમાત્રમાં તે વૈતાઢ્ય પર્વત પર પહોંચી જઈને તેણીએ પોતાના પિતાના તેમજ શ્વસુર પક્ષના લોકોને નિહાળ્યા. હર્ષાશ્રજળને વહાવતા તે સર્વને જોતા છતાં કેશિનીએ પિતાના સ્વામીને ગડધિષિત વેષ આપીને નિર્વિષ બનાવ્યો રાહુથી નિમુક્ત બનેલા ચંદ્રની માફક મહાબાહુ કુમાર વિષ રહિત બન્યા ત્યારે નગરમાં અપૂર્વ મહોત્સવ પ્રગટી નીકળે. મહાબળકુમારે તથા પ્રકારના વેષ-પ્રાપ્તિ સંબંધી વૃત્તાંત કેશિનીને પૂછ્યું ત્યારે તેણીએ સમસ્ત જનતાના સાંભળતાં સંપૂર્ણ હકીકત કહી સંભળાવી. શ્રીમાન, કૃતજ્ઞી, પરાકમી મહાબલ વિદ્યાધરકુમાર નલરાજાની સેવાને માટે શીધ્ર ચાલી નીકળે. તેના પિતા, તેના સાસરા, તેમજ તેના કુટુંબીજનો પણ મિત્રાચારીને માટે નલને જેવાને સાથે ચાલી નીકળ્યા. વિકસ્વર સુવર્ણ કમળસમૂહની કાંતિને જીતી લેનાર કિરણવાળા વિમાનેદ્વારા વિદ્યાધરસમુદાય શીધ્ર કુંડિનપુર આવી પહોંચે. વિદ્યાધરસમૂહના આગમન પહેલાં કેશિનીએ જલદી આવીને તે હકીકત જણાવી એટલે, સમસ્ત રાજવીમંડળથી પરિવૃત્ત અને ઉત્કંઠાવાળો નલરાજા તેઓને સત્કાર કરવા માટે રાજસભામાં આવીને બેઠો. તે સમય દરમિયાન પિતાના શત્રુઓને પરાભવ કરનાર, શાસ્ત્રને પારગામી શ્રતશીલ મંત્રી પણ શીવ્ર ત્યાં આવી પહોંચે એટલે જેવી રીતે તક્ષક નાગ ત્રણ ફણાઓથી શોભે તેમ નલરાજા પણ ત્રણ પ્રકારની શક્તિથી શોભવા લાગ્યા. કુબેરના નવનિધિ સહિત મિથુન રાશિવાળી તિથિનો દિવસ વિજય-યાત્રા માટે ' ઉચિત છે” એ પ્રમાણે ઉત્તમ તિષીથી જણાવાએલ દિવસે પરાક્રમી ના રાજા દિવિજય કરવા માટે તૈયાર થયા. શ્રેણ, અનુભવી અને વિધિને જાણનાર શ્રી માણિકદેવસૂરિએ આ શ્રેષ્ઠ અને નૂતન મંગળસ્વરૂપ નલાયન રમ્યું છે કે જે આર્ય પુરુષના કર્ણ શોભાવવામાં - કમળ સમાન છે, તેને આ સાતમે સ્કંધ પૂર્ણ થયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy