SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૮ ] શ્રી દમયંતી ચરિત્ર : ૭૫ ૭. સર્ગ ત્રીજો, તેણીએ નિશ્ચય કર્યો કે –“મને અવશ્ય નલની પ્રાપ્તિ થશે.” પિતાના હસ્તની આંગળીએ ઇંદ્રસેનને વળગાડીને, સપ્રયોજન આવતી તેણને કુરૂપ નલે જોઈ. “સુદેવ મારફત મારી સૂર્યપાક રસવતી સંબંધી વૃત્તાંત જાણીને દમયંતીએ બનાવટી (કુત્રિમ) સ્વયંવર સંબંધી પ્રપંચ કર્યો છે. ખરેખર, દમયંતીથી હું તેમજ તુપર્ણ રાજા બંને છેતરાયા છીએ. દમયંતીએ મારી અવવિદ્યા પણ પ્રસિદ્ધ કરી દીધી. નિરર્થક ઉત્કંઠાવાળે જતુપર્ણ અને નિષ્ફળ રેષવાળે હું આ પ્રમાણે અમે બંને, ડાળીથી ભ્રષ્ટ બનેલા વાનરની જેમ તેણીની હાંસીને પાત્ર બન્યા છીએ. દમયંતીથી મોકલાયેલ કેશિની ખરેખર આવી રહી જણાય છે. ઇદ્રસેનને જોઈને મારી બંને આંખો અશ્રુથી ભીંજાઈ રહી છે. પુત્રના દર્શન થવા છતાં પણ જેના હૃદયમાં નેહાવેગ પ્રગટતા નથી તેવા વજની જેવા હૃદયવાળા, ભયંકર, મુશ્કેલીથી ભેદી શકાય તેવા અને પુરુષમાં અધમ મને ધિક્કાર હો ! આ પ્રમાણે કુન્જરૂપ નલ વિચારણા કરી રહ્યો હતો તેવામાં કેશિનીએ આવીને ઈંદ્રસેનને પહેલાં અતુપર્ણ રાજાને નમસ્કાર કરાવ્યો. “અરે! આ કેને પુત્ર?” એમ જ્યારે ઋતુપર્ણ રાજાએ પૂછયું ત્યારે કેશિનીએ જણાવ્યું કે –“હે રાજન ! આ બાળકને પિતા, શત્રુઓને પ્રલયકાળના અગ્નિ સરખે નલ રાજા છે.” પછી કતપણે તે બાળકને પ્રેમપૂર્વક ગાઢ આલિંગન આપીને, પિતાના શરીર પરના આભૂષણે ઉતારીને તેને પહેરાવ્યા. “આ મારા સ્વામી નલને પુત્ર છે.” એમ બોલતાં કુજે પણ તેને છાતી સાથે દૃઢ રીતે ચાંપીને, મસ્તક પર ચુંબન કર્યું. ઋતુપર્ણના મહેલમાં ભીમરાજાના ઉપરીઓએ, તેને માટે અનાજ, શાક, દૂધ અને દહીં તથા અનેક પ્રકારના રસોડાના વસાણા(મસાલા) તૈયાર કરી, ઋતુપર્ણને પૂછયું કે –“આપની પાસે કોણ રસોયો છે?” જ્યારે પોતાની જાતને રસોયા તરીકે જાહેર કરતો કુજ રસોઈ માટે તૈયાર થયું. તે સમયે કેશિનીના ઈશારાથી કઈ પણ વ્યક્તિએ કુજને પાણી, અગ્નિ કે કાષ્ટ ન આપ્યા. સુદેવના કહેવાથી દેવી દમયંતીએ જાણ્યું છે કે-કુજ એ જ નળ છે, કારણ કે તમારી સૂર્ય પાક રસોઈ પ્રખ્યાતિ પામી છે, તે છે કુબજ ! હમણું તું શા માટે સૂર્યપાક રસવતી બનાવતો નથી ? અમને પણ તમારું દર્શન કરવાની ઘણા સમયથી ઉત્કંઠા હતી. હે કેશલના સવામી ઋતુપર્ણ રાજવી ! તમારી સાથે આવે અણધાર્યો મેળાપ થવાથી “તમે અત્રે આવ્યા છો ” એ પ્રકારે હું દમયંતીને જણાવીશ.” ઉપર પ્રમાણે સ્વજન( દમયંતી )ના સંબંધને બુદ્ધિપૂર્વક સૂચવતી કેશિનીથી પ્રેરણા કરાયેલ મુજે સૂર્ય પાક રસાઈ કરવાની શરૂઆત કરી. વરુણ દેવના વરદાનથી પ્રાપ્ત થયેલ જળથી ભેજન પદાર્થોને આદ્ર (ભીના) બનાવતા અને સૂર્યના કિરણોથી અગ્નિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy