SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ નળની ખાત્રી માટે કેશિનીનું મોકલવું. [ ૨૫૭ ] ઋતુપર્ણ રાજવીને, ભીમરાજાના મહામાત્યે આવીને પ્રણામપૂર્વક વિજ્ઞપ્તિ કરી કે-“ખરેખર, હર્ષની વાત છે કે સૂર્યવંશના આભૂષણ સમાન આ૫ અત્રે પધાર્યા તેથી અમે કૃતકૃત્ય થયા છીએ. આજનો અમારો દિવસ ખરેખર ધન્ય છે. આપના અહીં આવવાથી માત્ર ભીમરાજા જ હર્ષિત બન્યા છે એટલું જ નહિં પણ પુણ્યશાળી બન્યા છે. ફકત ચામર અને છત્ર ધારણ કરનારની સાથે, રાત્રિએ પ્રયાણ કરીને પ્રાત:કાળે આપ જે અહીં આવી પહોંચ્યા તે કેને વિસ્મય નથી પમાડતું? દુદેવને કારણે કોઈપણ જાતની મહાન આપત્તિ આપના પર આવી પડી હોય તેમ જણાતું નથી કારણ કે લક્ષમીરૂપી લતાને વિકસિત કરવામાં ઉપવન સરખું આપનું મુખ તે હકીકતને સ્પષ્ટ કહી રહ્યું છે, તો આપના અહીં આગમનમાં બીજું કોઈ કારણ જણાય છે, જેથી આપ સ્વયં અહીં પધાર્યા છો. દૂતદ્વારા સાધી શકાય તેવા કાર્યોમાં રાજાઓ પોતે પ્રયત્નશીલ બનતા નથી. આપ નિ:શંક રીતે જણાવો કે-મનગમતા અતિથિ સરખા આપ સૂર્યવંશી રાજવીનું કયા પ્રકારે આતિથ્ય કરાય ? ” કુજના મુખ તરફ દષ્ટિ ફેંકતા ઋતુપણે તે મંત્રીશ્વરને જણાવ્યું કે-“ખરેખર, મહાપુરુષને સર્વ પ્રકૃતિથી જ પરાધીન હોય છે. હે મંત્રીશ્વર ! તમે ચિંતા ન કરો, મને કેઈપણ પ્રકારની ન્યૂનતા નથી. મહારાજા ભીમની મારા પ્રત્યે પૂર્ણ મહેરબાની છે. આધિ તેમજ વ્યાધિથી રહિત છે, અને અહીં આવવાની ઉત્કંઠાવાળો હું માત્ર ભીમરાજાને નમસ્કાર કરવા માટે જ કુંડિનપુર આવ્યો છું. કુબેર અને શંકરની માફક અમે બંને રાજવીની પ્રીતિ રૂપાંતર (વિકૃતિ ) ન પામે તેવી થાઓ, દક્ષિણ સાગરથી પ્રારંભીને હિમાલય સુધીની પૃથ્વી, એક બીજાના આગમનથી જાણે એક જ સાંકળથી બંધાઈ ગઈ હોય તેવી થાઓ.” આ પ્રમાણે ઋતુપણે જણાવ્યું ત્યારે તાંબૂલ લઈને, તેને નમસ્કાર કરીને મંત્રી ગયો એટલે ભીમરાજા પણ અત્યંત પ્રીતિભાવવાળા બન્યા. - કુજની સાથે તથા પ્રકારે આવેલા ઋતુપર્ણને સાંભળીને માતા સહિત દમયંતી મનમાં આશ્ચર્ય પામી “હે માતા! આ કુબ્સ ચક્કસ તમારો જમાઈ છે. તે જણાવેલ દિવસની પછી માત્ર એક જ રાત્રિ પસાર થઈ છે. ફક્ત વિદ્યાધર અને નલરાજા સિવાય ઋતુપર્ણ કે બીજો કોઈ પણ અશ્વવિદ્યાને જાણતા નથી.” માતા કહે છે કે –“હે પુત્રી ! તું જે કહે છે તે સાચું છે. મારા જમાઈ આવી પહોંચ્યા છે, પરંતુ મુજ રૂપનો અવશ્ય નિર્ણય કરવો જોઈએ, તો ઋતુપર્ણના સેવક બનેલા તેમની પાસે જઈને, વિવિધ પ્રકારના ઉપાયો દ્વારા કેશિની તે સંબંધી નિર્ણય કરે” પછી દમયંતી અને પ્રિયંગુજરીથી ફરમાવાયેલ, મર્મને જાણનારી, કારણપુરસર દાસી બનેલી વિદ્યાધરી કેશિની ત્યાં ગઈ. તેણીના ડાબા નેત્રની બંને પાંપણે ફરકવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy