SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ - - દમયંતીના પુનઃ સ્વયંવરના સમાચારથી નલની અસ્વસ્થતા. નહીં સાંભળેલ, ન સંભવી શકે તેવું, અત્યંત નજીકની મુદતવાળું અને હૃદયને પીડનારું એવું આ વૃત્તાંત કુરબક ડૂતના મુખેથી સાંભળીને નળરાજા શ્વાસ રૂંધાવાને કારણે જડ જે બની ગયે. બાદ જલ્દી કુંડિનપુરે પહોંચી જવાના શીઘ્ર આશયવાળા ઋતુપર્ણ રાજાએ તે દૂતને યોગ્ય ઈનામ આપીને રાજસભા વિસર્જન કરી. ખિન્ન ચિત્તવાળા કુબડાએ પણ પોતે જઈને કુરબકને પૂછયું ત્યારે મસ્તકને ધુણવતા તે ચતુર દૂતે જણાવ્યું કે “દમયંતીને સ્વયંવર અવશ્ય થવાને જ છે. આટલા સમયમાં તે કુંડિનપુરમાં કરડે રાજાઓ આવી પહોંચ્યા હશે. જે કોઈ આ સ્વયંવર મહત્સવમાં નહીં જાય તે નિર્ભાગી જાણો અને જે જશે તે ભાગ્યશાળી માને, કારણ કે બીજે કયે સ્થળે દમયંતીનું મુખદર્શન થઈ શકે? કામદેવના પાશ(ફાંસા) સરખી અને પિતાની પ્રતિજ્ઞાના પ્રતીક સરખી પુષ્પમાળા તે કોના કંઠમાં પહેરાવશે તે અમે જાણતા નથી.” કુરબકની ઉપર પ્રમાણેની વાણીરૂપી વાયુથી મૂળમાંથી જ ઉખડી જવા છતાં પણ નલ જે કે સ્થિરતા ગુણને કારણે પૃથ્વી પર પડી ન ગયે, પરંતુ તેનું મન વૃક્ષની માફક ધ્રુજી ઊઠયું. દમયંતીના પરાગ મુખપણને સભ્યપ્રકારે વિચારતાં નલરાજાનું ચિત્ત, ક્રોધ, શેક, કામ, ઉન્માદ–ઘેલછાથી ભરાઈ ગયું. હજુસુધી સૂર્ય ભગવંત નિયમિત ઉદય પામે છે, ચંદ્ર પણ ઊગે છે, પવન વાય છે, અગ્નિ બાળે છે, વરસાદ વરસે છે, વાવેલું ઊગે છે, સમુદ્ર મર્યાદામાં છે, પૃથ્વી સ્થિર છે અને આ સમગ્ર વિશ્વમાં દરેક વસ્તુઓ પિતાપિતાને યોગ્ય સ્થાન-મર્યાદામાં રહેવા છતાં પણ ભીમરાજાની પુત્રી દમયંતીને વિચારવિપર્યય સંભળાય છે. પૂર્વે સુર તેમજ અસુરોની સમક્ષ, સ્વયંવરને વિષે મને પરણીને અત્યારે ફરીવાર સ્વયંવર કરતી દમયંતીનું શરીર મને વજનું બનેલું જણાય છે. તે હદય! અત્યંત દુઃખની વાત છે કે–કામદેવરૂપી દાવાનળે ભીમરાજાની ગંગા સરખી દમયંતીના શીતળ જળને દગ્ધ કર્યું. અરે! મને મૃત્યુ પામેલ જાણીને દુષ્ટ ભીમરાજાએ પિતાના સુખને માટે આ દાનશાળા સરખે સ્વયંવર શરૂ કર્યો. ખરેખર, હું જીવતા હોવા છતાં, ભીમરાજાએ કાગડા સરખા બીજા રાજાઓને માટે વિષથી લેપાયેલ ભજન સરખી દમયંતી નિર્ણત કરાઈ છે. દાઢીમૂછરૂપી કેસરાના સમૂહવાળા અને અશ્રુધારાઓથી સિંચાચેલ મુખરૂપી કમળાથી હું પૃથ્વીપીઠનું પૂજન હમણાં કરીશ અર્થાત યુદ્ધને વિષે પણ રાજવીઓને હણને તેના મસ્તકેથી હું ભૂમિભાગને ભૂષિત કરીશ. કેશરીસિંહની કેશવાળી અને તક્ષક સની ફેણમાં રહેતી મણિને જેમ કેઈ પણ ગ્રહણ ન કરી શકે તેમ સત્વશાલી અને જીવતાં એવા મારી પ્રિયાને ગ્રહણ કરવાને કેણ ઈચ્છી શકે તેમ છે?” આ પ્રમાણે વિચારણા કરતે કુજ ફરીથી રાજમહેલમાં ગયે. કાર્યની અત્યંત ચિંતાવાળા પ્રાણુને કાર્યની સિદ્ધિ વિના શાતિ ક્યાંથી મળે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy